AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold : શું તમે 22 અને 24 કેરેટ સોના વચ્ચેનો તફાવત જાણો છો? 22 કેરેટને ‘916’ કેમ કહેવાય છે? જાણો વિગતવાર

જ્યારે પણ તમે સોનું ખરીદવા જાઓ છો, ત્યારે દુકાનદાર ચોક્કસપણે પૂછે છે કે સોનું 24 કેરેટ છે કે 22 કેરેટ ખરીદશો? શું તમે જાણો છો કે આ 24 અને 22 કેરેટ શું છે અને આ બંનેમાં શું તફાવત છે?

Gold : શું તમે 22 અને 24 કેરેટ સોના વચ્ચેનો તફાવત જાણો છો? 22 કેરેટને '916' કેમ કહેવાય છે?  જાણો વિગતવાર
Gold
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2021 | 8:29 AM
Share

દરેક વ્યક્તિ પોતાના જીવનના ક્યારેક ને ક્યારેક સોનું ખરીદે છે. સોનુ રોકાણ અથવા લગ્ન, જન્મદિવસ, ભેટ વગેરે માટે ઘરેણાં બનાવવા લઈ શકાય છે, પરંતુ જ્યારે પણ તમે સોનું ખરીદવા જાઓ છો, ત્યારે દુકાનદાર ચોક્કસપણે પૂછે છે કે સોનું 24 કેરેટ છે કે 22 કેરેટ ખરીદશો? શું તમે જાણો છો કે આ 24 અને 22 કેરેટ શું છે અને આ બંનેમાં શું તફાવત છે?

જો તમે જાણો છો કે આ બંને કેરેટનું સોનુ કેવું હોય છે તો તે સારી બાબત છે અને જો તમે જાણતા ન હોવ તો અમે તમને તેના વિશે જણાવીશું. કેરેટનો સીધો સંબંધ શુદ્ધતા સાથે છે. કેરેટ જેટલું ઊંચું તેટલું શુદ્ધ સોનું મનાય છે. તે માત્ર 0 થી 24 સુધીનું રેટિંગ છે. તેથી તમારે સમજવું જોઈએ કે 24 કેરેટ સોનું એ સોનાનું સૌથી શુદ્ધ સ્વરૂપ છે. અને 24 કેરેટ અને 22 કેરેટ વચ્ચેનો તફાવત માત્ર શુદ્ધતાનો છે.

24 કેરેટ સોનું 24 કેરેટ સોનું 99.9% શુદ્ધ છે. તમે સામાન્ય રીતે ‘એકદમ શુદ્ધ સોનું’ સાંભળ્યું જ હશે. તેથી એકદમ શુદ્ધ સોનું એટલે કે તેમાં બીજી કોઈ ધાતુ ભળેલી ન હોય. જ્યાં તમારે એ પણ જાણવું જોઈએ કે 24 કેરેટ સોનાથી ઉપરનું કોઈ સોનું નથી. ભારતમાં 24 કેરેટ સોનાની કિંમત દરરોજ બદલાય છે. કારણ કે તે સૌથી શુદ્ધ સોનું છે, તો તેની કિંમત 22 કેરેટ અને 18 કેરેટ સોના કરતાં વધુ છે. 24 કેરેટ સોનું ખૂબ જ નરમ હોય છે અને તેમાંથી ઘરેણાં બનાવવા ખૂબ જ મુશ્કેલ હોય છે. તેથી જ બજારમાં મોટાભાગની જ્વેલરી 22 કે તેથી ઓછા કેરેટમાં જ ઉપલબ્ધ છે.

22 કેરેટ સોનું 22 કેરેટ સોનામાં 22 ભાગ સોનું હોય છે અને 2 ભાગ અન્ય કોઈપણ ધાતુઓનું મિશ્રણ હોય છે. અન્ય ધાતુઓની વાત કરીએ તો તેમાં ઝિંક અને કોપર હોઈ શકે છે. 22 કેરેટ સોનું 24 કેરેટ સોના કરતાં કઠણ છે. અને તેનું કારણ તેમાં ભળેલી અન્ય ધાતુઓ છે. 22 કેરેટ સોનું દાગીના માટે સારું માનવામાં આવે છે. 22 કેરેટ સોનાને ‘916 સોનું’ પણ કહેવામાં આવે છે કારણ કે તેમાં 91.62 ટકા શુદ્ધ સોનું હોય છે.

આ પણ વાંચો : Income Tax : રૂપિયા 10 લાખ પગાર હોવા છતાં પણ નહિ ચૂકવવો પડે એકપણ રૂપિયાનો ટેક્સ, જાણો કઈ રીતે

આ પણ વાંચો : Debit Card પર મળે છે 10 લાખ સુધીનો ફ્રી અકસ્માત વીમો, જાણો કેવી રીતે અને કોને મળે છે લાભ

Follow Us
PM મોદીના 76મા જન્મદિવસે સૌરભ પટેલે યાદ કર્યો મહાત્મા મંદિરનો કિસ્સો
PM મોદીના 76મા જન્મદિવસે સૌરભ પટેલે યાદ કર્યો મહાત્મા મંદિરનો કિસ્સો
PM મોદીના શાસનકાળમાં મહિલા આરક્ષણ થઈને જ રહેશે, શંકા રાખવાની જરૂર નથી
PM મોદીના શાસનકાળમાં મહિલા આરક્ષણ થઈને જ રહેશે, શંકા રાખવાની જરૂર નથી
25 વર્ષ જૂની મુલાકાત પણ ન ભૂલ્યા PM મોદી, ઉદ્યોગપતિએ સંભળાવ્યો કિસ્સો
25 વર્ષ જૂની મુલાકાત પણ ન ભૂલ્યા PM મોદી, ઉદ્યોગપતિએ સંભળાવ્યો કિસ્સો
PM મોદીની પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિથી શક્ય બન્યું GST લાગુ કરવું-Video
PM મોદીની પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિથી શક્ય બન્યું GST લાગુ કરવું-Video
આજનું રાશિફળ : નવા અવસર અને સફળતા કોને મળશે?
આજનું રાશિફળ : નવા અવસર અને સફળતા કોને મળશે?
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
g clip-path="url(#clip0_868_265)">