Gautam Adani બન્યા એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ, Mukesh Ambaniને છોડ્યા પાછળ

ગૌતમ અદાણી બુધવારે મુકેશ અંબાણીને પાછળ છોડીને ગ્રુપ માર્કેટ કેપના આધારે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે.

Gautam Adani બન્યા એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ, Mukesh Ambaniને છોડ્યા પાછળ
Gautam Adani - chairman and founder Adani Group
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2021 | 5:39 PM

અદાણી ગ્રૂપના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણી (Adani Group founder and chairman Gautam Adani) બુધવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ   (Reliance Industries Limited – RIL)ના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani) ને પાછળ છોડીને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. નિષ્ણાંતોના મતે, આ ગ્રુપ માર્કેટ કેપ પર આધારિત છે. અહેવાલો અનુસાર, એપ્રિલ 2020 થી અદાણીની નેટવર્થમાં નોંધપાત્ર વધારો થયો છે. 18 માર્ચ 2020ના રોજ તેમની કુલ સંપત્તિ 4.91 અરબ ડોલર હતી.

અદાણીની કુલ સંપતિમાં 1808 ટકાનો વધારો

છેલ્લા 20 મહિનામાં ગૌતમ અદાણીની નેટવર્થમાં 1808 ટકાથી વધુ એટલે કે  83.89 બિલિયન ડોલરનો વધારો જોવા મળ્યો છે. આ જ સમયગાળામાં, મુકેશ અંબાણીની કુલ સંપત્તિમાં 250 ટકા અથવા 54.7 અરબ ડોલરનો વધારો થયો છે. અગાઉ, બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સે સૂચવ્યું હતું કે અદાણીની વર્તમાન નેટવર્થ  88.8 બિલિયન ડોલર છે જે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ના ચેરમેન મુકેશ અંબાણીની નેટવર્થ કરતાં માત્ર  2.2 બિલિયન ડોલર ઓછી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

એક અહેવાલ મુજબ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર તાજેતરના O2C સોદાના અંત પછી દબાણ હેઠળ રહ્યા હતા અને 1.07 ટકા ઘટીને  2,360.70 રૂપિયા પર બંધ થયા હતા. જ્યારે અદાણી ગ્રુપના શેર તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. અદાણી એન્ટરપ્રાઇઝ 2.94 ટકા વધીને  1757.70 રૂપિયા પર હતો. અદાણી પોર્ટ્સ 4.87 ટકા વધીને  764.75  રૂપિયા થયો હતો. અદાણી ટ્રાન્સમિશન 0.50 ટકા વધીને 1,950.75  રૂપિયા પર, જ્યારે અદાણી પાવરનો શેર પણ 0.33 ટકા વધીને  106.25 રૂપિયા થયો હતો.

તાજેતરમાં રીલાયન્સ કંપનીને થયુ હતુ 66000 કરોડનું નુક્સાન

દેશના સૌથી ધનિક કારોબારી મુકેશ અંબાણીની કંપની રિલાયન્સને એક દિવસમાં 66000 કરોડનો ફટકો પડ્યો હતો. આ આંચકો રિલાયન્સ અને સાઉદી અરામ્કો વચ્ચે રદ થયેલી ડીલ બાદ લાગ્યો હતો. બંને કંપનીઓ વચ્ચેનો સોદો રદ થયા બાદ શેરધારકોમાં નિરાશાના કારણે શેરમાં સોમવારે ઘટાડો થયો હતો.

વર્ષ 2019 માં બંને કંપનીઓ વચ્ચે કરાર પર હસ્તાક્ષર થયા હતા. આ અંતર્ગત સાઉદી અરામ્કો રિલાયન્સની ઓઈલ ટુ કેમિકલમાં 20 ટકા હિસ્સો ખરીદવાની હતી. તેની કુલ કિંમત 1.11 લાખ કરોડ રૂપિયાથી વધુ હતી. છેલ્લા બે વર્ષમાં બંને કંપનીઓ વચ્ચેના કરારમાં ઘણી પ્રગતિ થઈ છેે. રિલાયન્સે અરામકોના ચેરમેન એચ. અલ-રૂમાયનને સ્વતંત્ર ડિરેક્ટર તરીકે પણ નિયુક્ત કર્યા છે.

પરંતુ હાલમાં જ બંને કંપનીઓએ આ ડીલ રદ કરવાનો નિર્ણય લીધો હતો. શુક્રવારે રિલાયન્સે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે ઓઇલને કેમિકલ બિઝનેસને ગ્રુપના અન્ય બિઝનેસથી અલગ કરવાનો નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો છે. બદલાતા વાતાવરણને જોતા બંને કંપનીઓએ તેને રદ કરવાનો નિર્ણય લીધો હતો.

આ પણ વાંચો :  મોદી સરકારના Crypto Bill લાવવાના અહેવાલો વચ્ચે Virtual Currency ધડામ… Bitcoin અને Solana સહિતની Cryptocurrency ના મૂલ્યમાં ઘટાડો થયો

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">