દેશમાં આજથી ફ્લાઈટ્સ સંપૂર્ણ ક્ષમતા સાથે ઉડશે, હવાઈ યાત્રા અંગેના પ્રતિબંધ યથાવત રહેશે

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ગયા અઠવાડિયે આ અંગેની જાહેરાત કરી હતી. મંત્રાલયે 18 ઓક્ટોબર 2021 ના ​​રોજથી નિર્ધારિત ડોમેસ્ટિક એર ઓપરેશન્સને કોઈપણ ક્ષમતાના પ્રતિબંધ વગર ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો.

દેશમાં આજથી ફ્લાઈટ્સ સંપૂર્ણ ક્ષમતા સાથે ઉડશે, હવાઈ યાત્રા અંગેના પ્રતિબંધ યથાવત રહેશે
Domestic flights can operate at full capacity from Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2021 | 8:08 AM

દેશમાં એરલાઇન્સ આજે 18 ઓક્ટોબરથી કોઈપણ ક્ષમતાના પ્રતિબંધ વિના ઘરેલું ફ્લાઇટ્સ ચલાવી શકશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ગયા અઠવાડિયે આ અંગેની જાહેરાત કરી હતી. મંત્રાલયે 18 ઓક્ટોબર 2021 ના ​​રોજથી નિર્ધારિત ડોમેસ્ટિક એર ઓપરેશન્સને કોઈપણ ક્ષમતાના પ્રતિબંધ વગર ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. હવાઈ ​​મુસાફરી માટે મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને મંત્રાલયે આ નિર્ણય લીધો છે. મંત્રાલયના આદેશ અનુસાર એરલાઇન્સ 18 સપ્ટેમ્બરથી તેમની 85 ટકા ક્ષમતાથી ડોમેસ્ટિક સેવાઓ ચલાવી રહી છે.

એરલાઇન્સ કંપનીઓ12 ઓગસ્ટ અને 18 સપ્ટેમ્બર વચ્ચે તેમની સ્થાનિક ફ્લાઇટ્સના 72.5 ટકા ઓપરેટ કરી રહી હતી. 5 જુલાઇથી 12 ઓગસ્ટની વચ્ચે મર્યાદા 65 ટકા હતી. 1 જૂન અને 5 જુલાઇ વચ્ચે મર્યાદા 50 ટકા હતી. ભારતીય એરલાઇન્સ ફલાઇટ 2,340 ઓપરેટ કરતી હતી. 9 ઓક્ટોબરે સ્થાનિક ફ્લાઇટ્સ તેમની કુલ કોવિડ પૂર્વ ક્ષમતાના 71.5 ટકા હિસ્સો ધરાવે છે.

આ પ્રતિબંધો લાગુ રહેશે કોવિડ -19 પ્રોટોકોલનું કડક પાલન કરવા ઉપરાંત કેટલાક અન્ય પ્રતિબંધો જેમ કે લઘુત્તમ અને મહત્તમ ભાડા મર્યાદાઓ સ્થાનિક ફ્લાઇટ્સ પર લાગુ થશે. આ ઉપરાંત 2 કલાકથી ઓછા મુસાફરીના સમયમાં ભોજન પીરસવામાં અથવા વેચવામાં આવશે નહીં. બીજી કોવિડ લહેરની શરૂઆતથી 2 કલાકથી ઓછા સમયગાળાની સ્થાનિક ફ્લાઇટ્સમાં ફૂડ સર્વિસ અને વેચાણની મંજૂરી નથી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ગયા વર્ષે ફ્લાઇટ્સ બંધ કરવામાં આવી હતી કોરોના વાયરસને કારણે ગયા વર્ષે લગભગ બે મહિના સુધી હવાઈ સેવા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. સરકારે બે મહિનાના અંતરાલ સાથે 25 મે, 2020 ના રોજ નિર્ધારિત ડોમેસ્ટિક ફ્લાઇટ્સ ફરી શરૂ કરી હતી. તે સમયે, મંત્રાલયે એરલાઈન્સને પ્રિ કોવિડ -19 સ્તર પર તેની 33 ટકાથી વધુ સ્થાનિક સેવાઓ ચલાવવાની મંજૂરી આપી ન હતી. ડિસેમ્બર 2020 સુધીમાં તેને ધીમે ધીમે વધારીને 80 ટકા કરવામાં આવી. 1 જૂન સુધીમાં મર્યાદા 80 ટકા યથાવત રહી હતી.

મંત્રાલયે કહ્યું હતું કે દેશભરમાં કોવિડ -19 કેસોની સંખ્યામાં અચાનક વધારો અને મુસાફરોની સંખ્યામાં ઘટાડો જોતા એક જૂનથી મહત્તમ મર્યાદા 80 થી 50 ટકા સુધી લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સ સ્થગિત છે કોરોના વાયરસ રોગચાળાને કારણે ભારતમાં આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સ 23 માર્ચ, 2020 થી સ્થગિત કરવામાં આવી છે. જો કે, ભારતે “એર બબલ” વ્યવસ્થા હેઠળ લગભગ 28 દેશો સાથે વિશેષ ફ્લાઇટ્સને મંજૂરી અપાઈ છે. એર બબલ વ્યવસ્થા હેઠળ એક દેશની એરલાઇન્સને ચોક્કસ પ્રતિબંધો સાથે બીજાના પ્રદેશમાં મર્યાદિત આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સ ચલાવવાની મંજૂરી છે.

આ પણ વાંચો : Stock Market ની Top – 10 કંપનીઓ પૈકી આઠના માર્કેટ કેપ 1.52 લાખનો ઉછાળો, Reliance નું માર્કેટ કેપ સૌથી વધુ

આ પણ વાંચો : Petrol Diesel Price Today : સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ – ડીઝલના નવા ભાવ જાહેર કર્યા, જાણો તમારા શહેરમાં શું છે આજના લેટેસ્ટ રેટ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">