વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી 14 અબજ ડોલરથી વધુની રકમ પાછી ખેંચી, જાણો શું છે કારણ

આ વેચાણ છેલ્લા 6 મહિનાથી સતત ચાલુ છે. નિષ્ણાતોના મતે હવે વિદેશી રોકાણકારો ભારતમાંથી તેમનું રોકાણ બહાર કાઢીને એવી જગ્યાએ મૂકી રહ્યા છે, જ્યાંથી કોમોડિટીની વધુ નિકાસ થતી હોય જેથી કોમોડિટીના વધતા ભાવનો લાભ લઈ શકાય.

વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી 14 અબજ ડોલરથી વધુની રકમ પાછી ખેંચી, જાણો શું છે કારણ
stock market
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2022 | 11:57 PM

છેલ્લા અઢી મહિનામાં વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી (Indian Share Market) 14 અબજ ડોલરથી વધુનું રોકાણ પાછું ખેંચી લીધું છે. જો આ આંકડો તમારા માટે ચોંકાવનારો છે, તો જાણી લો કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં 5-5 અબજ ડોલરની વેચવાલી બાદ માર્ચના શરૂઆતના 9 દિવસમાં જ 4.5 અબજ ડોલરનું રોકાણ (Investment) બહાર જઈ ચુક્યું છે. આ સ્થિતિ 2022 થી જ શરૂ થઈ છે, એવું નથી. આ વેચાણ છેલ્લા 6 મહિનાથી સતત ચાલુ છે. નિષ્ણાતોના મતે હવે વિદેશી રોકાણકારો (Foreign Investors) ભારતમાંથી તેમનું રોકાણ બહાર કાઢીને એવી જગ્યાએ મૂકી રહ્યા છે જ્યાંથી કોમોડિટીની વધુ નિકાસ થતી હોય જેથી કોમોડિટીના વધતા ભાવનો લાભ લઈ શકાય.

ભારે વેચવાલી પછી પણ શેરબજાર પર કોઈ ખરાબ અસર જોવા મળી નથી

એક રિપોર્ટ અનુસાર, આ વર્ષે વિદેશી રોકાણકારોએ ભારત, તાઈવાન અને કોરિયા જેવા દેશોમાંથી પોતાનું રોકાણ પાછું ખેંચી લીધું છે. જ્યારે બ્રાઝિલ, થાઈલેન્ડ અને ઈન્ડોનેશિયા જેવા દેશોમાં વિદેશી રોકાણ વધ્યું છે. આ પહેલા વિદેશી રોકાણકારોએ 2008માં પણ લગભગ 16 અબજ ડોલરના શેર વેચ્યા હતા. આમાં ખાસ વાત એ છે કે આટલા મોટા ઉપાડ પછી પણ શેરબજારમાં કોઈ મોટો ઘટાડો જોવા મળ્યો નથી. કારણકે, વિદેશી રોકાણકારો જે શેરો વેચી રહ્યા છે તેમાંથી મોટાભાગના શેર સ્થાનિક રોકાણકારો દ્વારા ખરીદવામાં આવી રહ્યા છે.

સ્થાનિક રોકાણકારોને ફાયદો પહોંચાડી રહી છે તેમની વ્યૂહરચના

બજાર નિષ્ણાતોનું માનવું છે કે સ્થાનિક રોકાણકારોની આ વ્યૂહરચનાથી તેમને ફાયદો થઈ શકે છે. સાથે જ તાજેતરમાં વિદેશી રોકાણકારો હજી પણ તેમના નાણાં પાછા ખેંચી રહ્યા છે અને નફો કમાઈ રહ્યા છે, પરંતુ જ્યારે પણ તેઓ પાછા પ્રવેશ કરશે, ત્યારે તેમને મોંઘા વેલ્યુએશનનો સામનો કરવો પડશે. અત્યારે તો ફક્ત એમ કહી શકાય કે, વિદેશી રોકાણકારોની વિદાય અને સ્થાનિક રોકાણકારોની ખરીદીને જોઈને બજારને લગતા નિર્ણયો ન લો અને આ માટે તમારા નાણાકીય સલાહકારની સલાહ અવશ્યપણે લો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ પણ વાંચો : આજે તમને આશ્ચર્ય લાગશે પણ એક સૈકા પહેલા વૈભવી લોકો માટે અમેરિકાથી ભારતમાં બરફની આયાત થતી હતી, જાણો બરફના વેપારની રસપ્રદ માહિતી

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">