AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Inflation: તહેવારોમાં નહીં મોંઘી થાય તમારી થાળી, સરકારના આ પગલાથી મોંઘવારી પર આવશે અંકુશ

સરકારના જુદા-જુદા પગલાથી તહેવાર દરમિયાન મોંઘવારી નિયંત્રણમાં રહેશે. રાજ્ય સરકારો સાથે મળીને અન્ય ઘણા પગલાઓ અમલમાં મૂકવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેથી કૃત્રિમ કારણોસર ખાદ્યપદાર્થોની મોંઘવારી ન વધે. સામાન્ય લોકોને રાહત આપવા માટે સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં પણ 200 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. સરકાર દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાઓને કારણે તહેવારોમાં ખાદ્યપદાર્થોની મોંઘવારી સામાન્ય લોકોને પરેશાન કરશે નહીં.

Inflation: તહેવારોમાં નહીં મોંઘી થાય તમારી થાળી, સરકારના આ પગલાથી મોંઘવારી પર આવશે અંકુશ
Inflation
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2023 | 3:27 PM
Share

તહેવારોની સિઝનમાં ખાદ્ય મોંઘવારી (Inflation) સામાન્ય માણસને પરેશાન કરશે નહીં. સરકારે લોટ, દાળ, ચોખા (Rice Price) અને ખાંડ સહિત અન્ય ખાદ્ય ચીજોની કિંમતોને અંકુશમાં લેવા માટે મહત્વપૂર્ણ પગલા લીધાં છે. આ કારણે તહેવારોમાં થાળી મોંઘી નહીં થાય. કેન્દ્રીય ખાદ્ય અને વાણિજ્ય મંત્રાલયે ખાદ્ય ફુગાવાના મોરચે ઘણા પગલા લીધા હતા, જેના પર તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો હતો. કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલના જણાવ્યા અનુસાર, ભારે વરસાદને કારણે પુરવઠામાં વિક્ષેપ ખાદ્યપદાર્થોના મોંઘવારીનું કારણ બન્યું છે.

સરકારે લીધા જરૂરી પગલા

પિયુષ ગોયલના જણાવ્યા અનુસાર, સરકારે મોંઘવારીનો સામનો કરવા માટે જરૂરી પગલાં લીધાં, દેશમાં પણ પહેલીવાર ભાવ નીચે લાવવા માટે છૂટક બજારમાં ટામેટાનું વેચાણ થયું. ખાદ્ય ફુગાવાને અંકુશમાં લેવા માટેના એક મહત્વપૂર્ણ પગલામાં, ચોખાના ભાવને નિયંત્રિત કરવા માટે નિકાસ પર 20 ટકા ડ્યુટી લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

10 લાખ ટન દાળની આયાત કરવાનો નિર્ણય લીધો

દાળના ભાવ પર નિયંત્રણ જોવા મળ્યું છે. લોટની વધતી કિંમતોને જોતા સરકારે 50 લાખ ટન ઘઉં ખુલ્લા બજારમાં વેચવાનો નિર્ણય લીધો છે. ઘઉં પર સ્ટોક લિમિટ પણ લાદવામાં આવી છે. કઠોળના ભાવને નિયંત્રણમાં રાખવા માટે સરકારે 10 લાખ ટન દાળની આયાત કરવાનો નિર્ણય લીધો છે. આ સિવાય ખાંડની વધતી કિંમતોને કાબૂમાં રાખવા માટે સરકારે ક્વોટા કરતાં વધુ 2 લાખ ટન ખાંડ ખુલ્લા બજારમાં વેચવાનો નિર્ણય લીધો હતો.

શાકભાજીના ભાવ નિયંત્રણમાં

ક્રિસિલ માર્કેટ ઈન્ટેલિજન્સનાં ડાયરેક્ટર (સંશોધન) પુષણ શર્માના જણાવ્યા અનુસાર, જો આપણે ચોમાસા દરમિયાન ખાદ્યપદાર્થોની મોંઘવારી પર નજર કરીએ તો શાકભાજીના ભાવે સામાન્ય માણસની થાળી ખૂબ મોંઘી કરી દીધી હતી. જો કે હવે શાકભાજીના ભાવ પણ નિયંત્રણમાં છે. ખુલ્લા બજારમાં ટામેટા 200 રૂપિયા પ્રતિ કિલોથી વધુના ભાવે વેચાતા હતા. જેના કારણે સરકારે સસ્તા ભાવે ટામેટાં વેચવાનો નિર્ણય લીધો હતો.

સરકારે ડુંગળીના વધતા ભાવને નિયંત્રિત કરવા માટે 40 ટકા ડ્યુટી લગાવી હતી. તેમજ બફર સ્ટોકમાંથી 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી વેચવાનું શરૂ કર્યું. આ ઉપરાંત, સંગ્રહને લગતા મોનિટરિંગ માટે રાજ્યોને કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ અંગે રાજ્યોમાંથી રિપોર્ટ પણ લેવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : Rishabh Instruments IPO : આજે વધુ એક IPO ખુલ્યો, જાણો પ્રાઇસ બેન્ડ અને GMP સહિતની માહિતી

તહેવારોમાં થાળી મોંઘી નહીં થાય

સરકારના આ પગલાથી તહેવાર દરમિયાન મોંઘવારી નિયંત્રણમાં રહેશે. સાથે જ રાજ્ય સરકારો સાથે મળીને અન્ય ઘણા પગલાઓ અમલમાં મૂકવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેથી કૃત્રિમ કારણોસર ખાદ્યપદાર્થોની મોંઘવારી ન વધે. સામાન્ય લોકોને રાહત આપવા માટે સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં પણ 200 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. સરકાર દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાઓને કારણે તહેવારોની મોસમમાં ખાદ્યપદાર્થોની મોંઘવારી સામાન્ય લોકોને પરેશાન કરશે નહીં.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
રાંધણ ગેસના કાળાબજાર અને અછતને કારણે પરપ્રાંતીય શ્રમિકો વતન જવા લાગ્યા
રાંધણ ગેસના કાળાબજાર અને અછતને કારણે પરપ્રાંતીય શ્રમિકો વતન જવા લાગ્યા
ગુજરાતમાં ભર ઊનાળે ગાજસે વરસાદ, 20 જિલ્લાઓમાં માવઠાનું એલર્ટ
ગુજરાતમાં ભર ઊનાળે ગાજસે વરસાદ, 20 જિલ્લાઓમાં માવઠાનું એલર્ટ
Breaking: ભરૂચના અંકલેશ્વરમાં ફરી પરંપરાગત ચૂલા પર બનતું ભોજન મળશે
Breaking: ભરૂચના અંકલેશ્વરમાં ફરી પરંપરાગત ચૂલા પર બનતું ભોજન મળશે
યુદ્ધ વચ્ચે મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક! LPG ભરેલું જહાજ ગુજરાત પહોચશે
યુદ્ધ વચ્ચે મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક! LPG ભરેલું જહાજ ગુજરાત પહોચશે
અટકેલી બાબતો વધુ જટિલ બનશે, બાળકોની સાથે સમય વિતાવો
અટકેલી બાબતો વધુ જટિલ બનશે, બાળકોની સાથે સમય વિતાવો
g clip-path="url(#clip0_868_265)">