Inflation: તહેવારોમાં નહીં મોંઘી થાય તમારી થાળી, સરકારના આ પગલાથી મોંઘવારી પર આવશે અંકુશ

સરકારના જુદા-જુદા પગલાથી તહેવાર દરમિયાન મોંઘવારી નિયંત્રણમાં રહેશે. રાજ્ય સરકારો સાથે મળીને અન્ય ઘણા પગલાઓ અમલમાં મૂકવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેથી કૃત્રિમ કારણોસર ખાદ્યપદાર્થોની મોંઘવારી ન વધે. સામાન્ય લોકોને રાહત આપવા માટે સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં પણ 200 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. સરકાર દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાઓને કારણે તહેવારોમાં ખાદ્યપદાર્થોની મોંઘવારી સામાન્ય લોકોને પરેશાન કરશે નહીં.

Inflation: તહેવારોમાં નહીં મોંઘી થાય તમારી થાળી, સરકારના આ પગલાથી મોંઘવારી પર આવશે અંકુશ
Inflation
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2023 | 3:27 PM

તહેવારોની સિઝનમાં ખાદ્ય મોંઘવારી (Inflation) સામાન્ય માણસને પરેશાન કરશે નહીં. સરકારે લોટ, દાળ, ચોખા (Rice Price) અને ખાંડ સહિત અન્ય ખાદ્ય ચીજોની કિંમતોને અંકુશમાં લેવા માટે મહત્વપૂર્ણ પગલા લીધાં છે. આ કારણે તહેવારોમાં થાળી મોંઘી નહીં થાય. કેન્દ્રીય ખાદ્ય અને વાણિજ્ય મંત્રાલયે ખાદ્ય ફુગાવાના મોરચે ઘણા પગલા લીધા હતા, જેના પર તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો હતો. કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલના જણાવ્યા અનુસાર, ભારે વરસાદને કારણે પુરવઠામાં વિક્ષેપ ખાદ્યપદાર્થોના મોંઘવારીનું કારણ બન્યું છે.

સરકારે લીધા જરૂરી પગલા

પિયુષ ગોયલના જણાવ્યા અનુસાર, સરકારે મોંઘવારીનો સામનો કરવા માટે જરૂરી પગલાં લીધાં, દેશમાં પણ પહેલીવાર ભાવ નીચે લાવવા માટે છૂટક બજારમાં ટામેટાનું વેચાણ થયું. ખાદ્ય ફુગાવાને અંકુશમાં લેવા માટેના એક મહત્વપૂર્ણ પગલામાં, ચોખાના ભાવને નિયંત્રિત કરવા માટે નિકાસ પર 20 ટકા ડ્યુટી લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

10 લાખ ટન દાળની આયાત કરવાનો નિર્ણય લીધો

દાળના ભાવ પર નિયંત્રણ જોવા મળ્યું છે. લોટની વધતી કિંમતોને જોતા સરકારે 50 લાખ ટન ઘઉં ખુલ્લા બજારમાં વેચવાનો નિર્ણય લીધો છે. ઘઉં પર સ્ટોક લિમિટ પણ લાદવામાં આવી છે. કઠોળના ભાવને નિયંત્રણમાં રાખવા માટે સરકારે 10 લાખ ટન દાળની આયાત કરવાનો નિર્ણય લીધો છે. આ સિવાય ખાંડની વધતી કિંમતોને કાબૂમાં રાખવા માટે સરકારે ક્વોટા કરતાં વધુ 2 લાખ ટન ખાંડ ખુલ્લા બજારમાં વેચવાનો નિર્ણય લીધો હતો.

અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી
ઓટોમેટિક કારના ફાયદા વધારે કે ગેરફાયદા? જાણો ગણિત
આજનું રાશિફળ તારીખ 09-05-2024
પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી

શાકભાજીના ભાવ નિયંત્રણમાં

ક્રિસિલ માર્કેટ ઈન્ટેલિજન્સનાં ડાયરેક્ટર (સંશોધન) પુષણ શર્માના જણાવ્યા અનુસાર, જો આપણે ચોમાસા દરમિયાન ખાદ્યપદાર્થોની મોંઘવારી પર નજર કરીએ તો શાકભાજીના ભાવે સામાન્ય માણસની થાળી ખૂબ મોંઘી કરી દીધી હતી. જો કે હવે શાકભાજીના ભાવ પણ નિયંત્રણમાં છે. ખુલ્લા બજારમાં ટામેટા 200 રૂપિયા પ્રતિ કિલોથી વધુના ભાવે વેચાતા હતા. જેના કારણે સરકારે સસ્તા ભાવે ટામેટાં વેચવાનો નિર્ણય લીધો હતો.

સરકારે ડુંગળીના વધતા ભાવને નિયંત્રિત કરવા માટે 40 ટકા ડ્યુટી લગાવી હતી. તેમજ બફર સ્ટોકમાંથી 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી વેચવાનું શરૂ કર્યું. આ ઉપરાંત, સંગ્રહને લગતા મોનિટરિંગ માટે રાજ્યોને કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ અંગે રાજ્યોમાંથી રિપોર્ટ પણ લેવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : Rishabh Instruments IPO : આજે વધુ એક IPO ખુલ્યો, જાણો પ્રાઇસ બેન્ડ અને GMP સહિતની માહિતી

તહેવારોમાં થાળી મોંઘી નહીં થાય

સરકારના આ પગલાથી તહેવાર દરમિયાન મોંઘવારી નિયંત્રણમાં રહેશે. સાથે જ રાજ્ય સરકારો સાથે મળીને અન્ય ઘણા પગલાઓ અમલમાં મૂકવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેથી કૃત્રિમ કારણોસર ખાદ્યપદાર્થોની મોંઘવારી ન વધે. સામાન્ય લોકોને રાહત આપવા માટે સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં પણ 200 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. સરકાર દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાઓને કારણે તહેવારોની મોસમમાં ખાદ્યપદાર્થોની મોંઘવારી સામાન્ય લોકોને પરેશાન કરશે નહીં.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

દાહોદ: પરથમપુરા બુથ કેપ્ચરીંગ કેસમાં 6 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ
દાહોદ: પરથમપુરા બુથ કેપ્ચરીંગ કેસમાં 6 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ
NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે યુવરાજ સિંહે કર્યા આક્ષેપ-VIDEO
NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે યુવરાજ સિંહે કર્યા આક્ષેપ-VIDEO
ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય
ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય
ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">