e-filing પોર્ટલની હલ ન થતી સમસ્યાઓ બાબતે હવે સરકારની ધીરજ ખૂટી, Infosys ના MD ને સમન્સ મોકલી માંગ્યો જવાબ

સમન્સમાં જણાવાયું છે કે સલીલ પારેખે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને 23 ઓગસ્ટના રોજ જણાવવું કે અઢી મહિના પછી પણ ઈ-ફાઈલિંગ પોર્ટલમાં કેમ સમસ્યાઓ યથાવત છે.

e-filing પોર્ટલની હલ ન થતી સમસ્યાઓ બાબતે હવે સરકારની ધીરજ ખૂટી, Infosys ના MD ને સમન્સ મોકલી માંગ્યો જવાબ
Nirmala Sitharaman - Finance Minister
Follow Us:
| Updated on: Aug 22, 2021 | 6:01 PM

કેન્દ્રીય નાણાં મંત્રાલયે ઇન્ફોસિસ(Infosys)ના એમડી અને સીઇઓ સલીલ પારેખને સમન્સ મોકલ્યું છે. આ સમન્સમાં તેમને આવકવેરા(Income Tax)ના ઇ-ફાઇલિંગ પોર્ટલ( e-filing portal)માં ખામીઓ વિશે માહિતી આપવા માટે કહેવામાં આવ્યું છે. સમન્સમાં જણાવાયું છે કે સલીલ પારેખે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ(FM nirmala sitharaman)ને 23 ઓગસ્ટના રોજ જણાવવું કે અઢી મહિના પછી પણ ઈ-ફાઈલિંગ પોર્ટલમાં કેમ સમસ્યાઓ યથાવત છે.

નાણાં મંત્રાલયે ઈન્ફોસિસના એમડી અને સીઈઓ પારેખને પૂછ્યું છે કે આટલા દિવસો પછી પણ ઈ-ફાઈલિંગ સંબંધિત ખામીને કેમ સુધારી શકાઈ નથી? આ કરદાતા માટે મોટી સમસ્યા ઉભી કરી રહી છે. કેટલીક ટેક્નિકલ ખામીઓને કારણે 21 ઓગસ્ટથી ગ્રાહકો માટે પોર્ટલ ઉપલબ્ધ ન હોવા બરાબર છે.

કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા

ઈ-ફાઈલિંગ પોર્ટલ લોન્ચ થયા બાદ ઘણી તકનીકી મુશ્કેલીઓ આવી રહી છે. જેના કારણે કરદાતાઓને મુશ્કેલી પડી રહી છે. આ મુદ્દો સંસદમાં પણ ઉઠાવવામાં આવ્યો હતો જેના પર સરકારે જલ્દીથી આ બાબતને સુધારવાની ખાતરી આપી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇ-ફાઇલિંગ પોર્ટલ પર 90 વિવિધ પ્રકારની સમસ્યાઓ છે જે ટૂંક સમયમાં હલ કરવાની જરૂર છે. આ પોર્ટલનું કામ દેશની જાણીતી આઇટી કંપની ઇન્ફોસિસને આપવામાં આવ્યું છે.

સરકારને કરાઈ ફરિયાદ સરકારને ઈ-ફાઈલિંગ પોર્ટલમાં ટેક્નિકલ ખામીઓ અંગે ઘણી ફરિયાદો મળી છે, જેમાં ટેક્સ પ્રોફેશનલ્સ, ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) અને કરદાતાઓનો સમાવેશ થાય છે. સરકારે આને જલ્દીથી સુધારવાનો વાયદો કર્યો છે પરંતુ ગડબડ હજુ યથાવત છે. આવકવેરા વિભાગે આ વર્ષે 7 જૂને આ નવી વેબસાઇટ શરૂ કરી હતી.

નવી વેબસાઇટ માટે કરદાતાઓએ http://incometax.gov.in લિંક પર ક્લિક કરીને ટેક્સ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. વેબસાઈટ અપડેટ થયા બાદ આવકવેરા વિભાગે તમામ કરદાતાઓને તેમના મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી અપડેટ કરવા જણાવ્યું હતું. હમણાં આ તમામ કામો પ્રક્રિયામાં હતા અને મામલો અટકી ગયો.

સરકારે શું કહ્યું? ઈ-પોર્ટલમાં વિક્ષેપનો મુદ્દો તાજેતરમાં સંસદમાં પણ ઉઠાવવામાં આવ્યો હતો. નાણામંત્રી પંકજ ચૌધરીએ આનો જવાબ આપ્યો. તેમણે દેશને કહ્યું કે સરકારે આવકવેરા વિભાગ માટે નવી વેબસાઇટ બનાવવા માટે જાન્યુઆરી 2019 થી જૂન 2021 વચ્ચે ઇન્ફોસિસને 164.5 કરોડ રૂપિયા ચૂકવ્યા છે.

પ્રશ્નના જવાબમાં નાણા રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે નવી ઈ-પોર્ટલ વેબસાઈટ સ્થાપવાનો કોન્ટ્રાક્ટ ઈન્ફોસિસને ઓપન ટેન્ડર દ્વારા આપવામાં આવ્યો હતો. આ કરાર સેન્ટ્રલ પબ્લિક પ્રોક્યોરમેન્ટ પોર્ટલ (CPPP) પર જારી કરવામાં આવ્યો હતો. પંકજ ચૌધરીએ સંસદને જણાવ્યું કે કેન્દ્રીય કેબિનેટે 16 જાન્યુઆરી, 2019 ના રોજ આ પ્રોજેક્ટ માટે 4,241.97 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા. આ ખર્ચ આગામી 8.5 વર્ષમાં કરવામાં આવશે. આમાં મેનેજ્ડ સર્વિસ પ્રોવાઇડર (MSP), જીએસટી, ભાડું, ટપાલ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ ખર્ચનો સમાવેશ થાય છે.

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">