AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અદાણી ગૃપની સ્થિતિ પર નાણામંત્રી નિર્મલા સીતારમણનું મહત્વનું નિવેદન, તેનાથી અદાણીની કંપનીઓના શેરમાં તેજી આવશે ?

SBI એ કહ્યું હતું કે, અદાણી ગ્રૂપ સાથેનું તેનું એક્સ્પોઝર સંપૂર્ણપણે રોકડ પેદા કરતી અસ્કયામતો દ્વારા આવરી લેવામાં આવ્યું છે. બીજી તરફ, જાહેર ક્ષેત્રની બીજી બેંક, બેંક ઓફ બરોડાએ કહ્યું છે કે, મુશ્કેલીગ્રસ્ત જૂથમાં તેનું કુલ રોકાણ રૂ. 7,000 કરોડ છે, જે સંપૂર્ણપણે સલામત છે.

અદાણી ગૃપની સ્થિતિ પર નાણામંત્રી નિર્મલા સીતારમણનું મહત્વનું નિવેદન, તેનાથી  અદાણીની કંપનીઓના શેરમાં તેજી આવશે ?
Nirmala Sitharaman
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2023 | 4:47 PM
Share

અમેરિકા સ્થિત શોર્ટ-સેલર હિંડનબર્ગ અને ભારતીય બિઝનેસ ટાયકૂન ગૌતમ અદાણીના અદાણી ગ્રૂપ વચ્ચે ચાલી રહેલા વિવાદથી ભારતીય બેંકિંગ સિસ્ટમ અને ધિરાણકર્તાઓ પરના જોખમો વિશે વાત કરતા નાણા પ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે જણાવ્યું હતું કે બધું બરાબર છે.

મૂલ્યાંકન ઘટવા છતાં પણ નફાકારક સ્થિતિ

એક મીડિયા હાઉસને આપેલા ઈન્ટરવ્યુમાં દેશના નાણામંત્રીએ કહ્યું કે SBI અને LIC એ સ્પષ્ટ કર્યું છે કે બંને ઓવર એક્સપોઝ નથી. એફએમ સીતારમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમણે ખૂબ જ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, તેમનું એક્સપોઝર (અદાણી જૂથના શેર્સમાં) મર્યાદિત છે અને મૂલ્યાંકન ઘટવા છતાં પણ તેઓ નફાકારક છે.

કુલ રોકાણ રૂ. 7,000 કરોડ, જે સંપૂર્ણપણે સલામત: SBI

તેમણે એમ પણ કહ્યું હતું કે ભારતીય બેંકિંગ સિસ્ટમ 2 બેલેન્સ શીટની સમસ્યામાંથી પસાર થઈ છે અને આજે NPA ના નીચા સ્તર, વસૂલાત અને રિકવરી સાથે સારા સ્તરે છે. રોકાણકારોની ચિંતાઓને દૂર કરવાના પ્રયાસરૂપે, દેશની સૌથી મોટી ધિરાણકર્તા SBI એ કહ્યું હતું કે, અદાણી ગ્રૂપ સાથેનું તેનું એક્સ્પોઝર સંપૂર્ણપણે રોકડ પેદા કરતી અસ્કયામતો દ્વારા આવરી લેવામાં આવ્યું છે. બીજી તરફ, જાહેર ક્ષેત્રની બીજી બેંક, બેંક ઓફ બરોડાએ કહ્યું છે કે, મુશ્કેલીગ્રસ્ત જૂથમાં તેનું કુલ રોકાણ રૂ. 7,000 કરોડ છે, જે સંપૂર્ણપણે સલામત છે.

અદાણી ગ્રૂપની 7 લિસ્ટેડ કંપનીઓએ તેમની અડધાથી વધુ માર્કેટ કેપ ગુમાવી

LIC એ અદાણી ગ્રૂપના ડેટ અને ઇક્વિટીમાં રૂ. 36,474.78 કરોડનું રોકાણ જાહેર કર્યું છે અને કહ્યું છે કે આ રકમ તેના કુલ રોકાણના 1 ટકા કરતાં પણ ઓછી છે. હિન્ડેનબર્ગ રિસર્ચના અહેવાલને પગલે, અદાણી ગ્રૂપની 7 લિસ્ટેડ કંપનીઓએ તેમની અડધાથી વધુ માર્કેટ કેપ ગુમાવી છે, જે ઘટીને $100 બિલિયનથી પણ ઓછી થઈ ગઈ છે.

3 ટ્રેડિંગ દિવસોમાં રોકાણકારોએ લગભગ 12 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા

હિંડનબર્ગના અહેવાલથી માત્ર ગૌતમ અદાણીની નેટવર્થ અને તેમની કંપનીઓને જ નહીં, પરંતુ શેરબજારના રોકાણકારોને પણ નુકસાન થયું છે. આંકડાઓ પર નજર કરીએ તો 30 જાન્યુઆરીના રોજથી છેલ્લા 3 ટ્રેડિંગ દિવસોમાં શેરબજારની માર્કેટ કેપ એટલે કે રોકાણકારોએ લગભગ 12 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. બીજી તરફ ગૌતમ અદાણીની કંપનીઓના 1.75 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા હતા.

Follow Us
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">