AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વાયરલ થઈ રહ્યો છે 500 રૂપિયાની નોટ અંગેનો નકલી મેસેજ, જાણો કેવી રીતે ઓળખશો તમારી નોટ અસલી છે કે નકલી ? 

આજકાલ એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે 500 રૂપિયાની નોટ નકલી છે, જેમાં લીલી પટ્ટી આરબીઆઈ ગવર્નરની સહી પાસે નહીં પરંતુ ગાંધીજીની તસ્વીર પાસે છે.

વાયરલ થઈ રહ્યો છે 500 રૂપિયાની નોટ અંગેનો નકલી મેસેજ, જાણો કેવી રીતે ઓળખશો તમારી નોટ અસલી છે કે નકલી ? 
This message is completely fake
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 9:57 PM
Share

મોટી કિંમતની નોટોને (Currency Note) લઈને સામાન્ય રીતે લોકોને એ ચિંતા રહે છે કે તે અસલી છે કે નહી. આ અંગે વોટ્સએપ પર મેસેજ પણ આવી રહ્યા છે કે આવી નોટ નકલી છે અને તેનાથી બચો. આજકાલ એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે 500 રૂપિયાની નોટ નકલી છે, જેમાં લીલી પટ્ટી આરબીઆઈ ગવર્નરની સહી પાસે નહીં પરંતુ ગાંધીજીની તસ્વીર પાસે હોય છે. જો તમને પણ આ મેસેજ વોટ્સએપ પર મળ્યો હોય અથવા તમે તેના વિશે કોઈ બીજા પાસેથી સાંભળ્યું હોય, તો અમે તમને જણાવી દઈએ કે આ મેસેજ સંપૂર્ણપણે ફેક અને ખોટો છે. આના પર બિલકુલ પણ વિશ્વાસ કરશો નહી. PIB ફેક્ટ ચેકે માહિતી આપી છે કે આ મેસેજ નકલી છે.

શું કહેવામાં આવ્યું છે મેસેજમાં?

PIB ફેક્ટ ચેકે તેના ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું કે એક સંદેશમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ₹500ની નોટ નકલી છે, જેમાં લીલી પટ્ટી આરબીઆઈ ગવર્નરની સહી પાસે નહીં પરંતુ ગાંધીજીની તસવીરની નજીક હોય છે. તેણે કહ્યું કે આ દાવો ખોટો છે. તેમણે કહ્યું કે ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ અનુસાર બંને પ્રકારની નોટો માન્ય છે.

https://twitter.com/PIBFactCheck/status/1497110449816748033

તેથી, જો તમને પણ આ મેસેજ મળ્યો છે, તો તેના પર બિલકુલ વિશ્વાસ કરશો નહીં અને આ સાથે, આ મેસેજ અન્ય કોઈ વ્યક્તિને ફોરવર્ડ કરવાનું ટાળો. અન્ય લોકોને પણ તે નકલી હોવા વિશે જણાવો. આમ કરવાથી તમે આ નકલી માહિતીને ફેલાતા રોકી શકો છો.

આ રીતે તમે ઓળખી શકો છો અસલી નોટ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે આરબીઆઈ અનુસાર, 500 રૂપિયાની અસલ નોટને કેટલીક બાબતોથી ઓળખી શકાય છે. સેન્ટ્રલ બેંક અનુસાર, 500 રૂપિયાની નોટની સીધી તરફ 500 નંબર દેવનાગરીમાં લખાયેલો છે. આ સિવાય મધ્યમાં મહાત્મા ગાંધીની તસવીર પણ છે. આમાં ઈન્ડિયા અને ભારત માઈક્રો લેટરમાં પણ લખવામાં આવ્યું છે. તેમાં ભારત અને ઈન્ડિયાની નજીક રંગ બદલતો સુરક્ષા થ્રેડ પણ છે.

નોટને વાળવા  પર, આ સિક્યોરિટી થ્રેડનો રંગ લીલાથી વાદળી થઈ જશે, જેનાથી તમને ખબર પડશે કે નોટ અસલી છે. આ સિવાય નોટની આગળની બાજુએ ગેરંટી કલોઝ અને સહી પ્રોમિસ ક્લોઝ સાથે હાજર હોય છે. મહાત્મા ગાંધીની તસવીરની જમણી બાજુ RBIનું પ્રતીક પણ દેખાશે.

આ સાથે, નોટની પાછળની બાજુએ તે જે વર્ષમાં છપાઈ છે તે આપવામાં આવ્યું છે. પાછળની બાજુએ, સ્લોગન સાથે સ્વચ્છ ભારતનો લોગો પણ હાજર છે. ભાષા પેનલ પણ અહીં દેખાશે. આ સાથે લાલ કિલ્લાનું મોટિફ પણ હાજર છે. અહીં પણ દેવનાગરીમાં 500 અંક લખવામાં આવ્યા છે.

આ પણ વાંચો :  MONEY9: ઘર આપવામાં વિલંબ કરતા બિલ્ડરથી પરેશાન ઘર ખરીદદારો માટે સુપ્રીમ કોર્ટનો RERAનો કોરડો

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">