Fact Check: શું કિસાન ક્રેડિટ કાર્ડ પર નહીં લાગે કોઈ વ્યાજ? સરકારે જણાવ્યું સત્ય

સરકારે સ્પષ્ટ કર્યું કે KCC પર વ્યાજ નહીં લેવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ આપવામાં આવતી 3 લાખ રૂપિયા સુધીની લોન પર 7 ટકા વ્યાજ વસૂલવામાં આવે છે.

Fact Check: શું કિસાન ક્રેડિટ કાર્ડ પર નહીં લાગે કોઈ વ્યાજ? સરકારે જણાવ્યું સત્ય
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2022 | 2:31 PM

સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવ્યો છે કે 1 એપ્રિલ, 2022થી કિસાન ક્રેડિટ કાર્ડ (Kisan Credit Card) પર કોઈ વ્યાજ લેવામાં આવશે નહીં. દાવામાં એવું કહેવામાં આવ્યું છે કે નવા નાણાકીય વર્ષ 2022-23ના પહેલા દિવસથી એટલે કે 1 એપ્રિલથી KCC પર વ્યાજ શૂન્ય છે. જો કે સરકારે આ દાવાને નકારી કાઢ્યો છે. તેના પર આધાર રાખશો નહીં. ભારત સરકારની પ્રેસ એજન્સી પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો (PIB)એ આ વાયરલ મેસેજની સત્યતા જણાવી છે. પીઆઈબીએ તેના ફેક્ટ ચેકમાં (PIB Fact Check) કહ્યું છે કે કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ વ્યાજ મુક્ત લોન આપવાનો દાવો નકલી છે.

તમને જણાવી દઈએ કે સરકારે KCC યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં 2.92 કરોડ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપ્યા છે. આના પર લીધેલી 3 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માટે વ્યાજ દર 9 ટકા છે. પરંતુ સરકાર આમાં 2 ટકા સબસિડી આપે છે. જ્યારે મુદ્દલ રકમ અને વ્યાજ સમયસર પરત કરવા પર તે 3 ટકા વધુ ડિસ્કાઉન્ટ આપે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

શું કહ્યું સરકારે?

એક અખબારની નકલી તસવીરમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 1 એપ્રિલ 2022થી કિસાન ક્રેડિટ કાર્ડ પર કોઈ વ્યાજ લેવામાં આવશે નહીં. ખેડૂતોને KCC પર 3 લાખ રૂપિયા સુધીના મફત પૈસા મળશે. હાલમાં ખેડૂતોને 4 ટકા વ્યાજ ચૂકવવું પડે છે. કેન્દ્ર સરકારે 16,000 કરોડ રૂપિયાનો વધારાનો બોજ ઉઠાવવો પડશે. આ સંદેશના દાવા પર સ્પષ્ટતા આપતા સરકારે કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. KCC હેઠળ વ્યાજમુક્ત લોન આપવાનો દાવો ખોટો છે.

શું છે વાયરલ મેસેજમાં?

તમને જણાવી દઈએ કે PIB ફેક્ટ ચેક સરકારી નીતિઓ અથવા યોજનાઓ પર ખોટી માહિતીને રદિયો આપે છે. જો તમને સરકાર સંબંધિત કોઈપણ સમાચાર નકલી હોવાની શંકા હોય તો તમે તેના વિશે PIB ફેક્ટ ચેકને જાણ કરી શકો છો. આ માટે તમે આ મોબાઈલ નંબર અથવા socialmedia@pib.gov.in ઈમેઈલ આઈડી પર 918799711259 મોકલી શકો છો.

કેવી રીતે બનાવી શકો છો કિસાન ક્રેડિટ કાર્ડ

કિસાન ક્રેડિટ કાર્ડ મેળવવાનો માર્ગ સરળ છે. સૌ પ્રથમ તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (pmkisan.gov.in)ની વેબસાઈટ પર જાઓ. અહીં કિસાન ક્રેડિટ ફોર્મ ડાઉનલોડ કરવાનો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરીને તમે ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. એક જ પેજનું છે. તેને સંપૂર્ણપણે ભરો. આધાર કાર્ડ, પાન કાર્ડની ફોટોકોપી જોડો. ફોટો મુકો, એફિડેવિટ પણ મૂકો, જેમાં લખેલું હોય કે તમે અન્ય કોઈ બેંકમાંથી લોન લીધી નથી. તે પછી તેને નજીકની બેંકમાં જમા કરાવો.

આ પણ વાંચો: અલ-કાયદાનો ખૂંખાર અને નંબર 2 આતંકવાદી અલ-ઝવાહિરી હજુ જીવતો ! ભારતના ‘હિજાબ વિવાદ’ પર ઝેર ઓક્યુ, મુસ્લિમ વિદ્યાર્થીનીની કરી પ્રશંસા

આ પણ વાંચો: Join Indian Army: ભારતીય સેનામાં ભરતી માટે ‘અગ્નિપથ’ બનશે નવો રસ્તો, અગ્નિવીર તરીકે જોડાશે યુવાનો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">