AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અદાણી ગ્રુપના શેરમાં કડાકો બોલવા છતાં EPFO નો અકબંધ વિશ્વાસ, સપ્ટેમ્બર સુધી અદાણી ઉપર આ રીતે મહેરબાન રહેશે

દેશનું સૌથી મોટું રિટાયરમેન્ટ ફંડ EPFO ​​અદાણી ગ્રુપમાં રોકાણ યથાવત રાખશે. જેમાં અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી પોર્ટ બે શેરનો સમાવેશ થાય છે. આ રોકાણ સપ્ટેમ્બર સુધી ચાલુ રહી શકે છે. હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ 24 જાન્યુઆરીએ બહાર આવ્યો હતો. ત્યાર બાદ અદાણી ગ્રુપના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. બે મહિના પછી પણ ગ્રૂપની કંપનીઓ જે રીતે રિકવર કરવી જોઈતી હતી તે રીતે થઈ શકી નથી.

અદાણી ગ્રુપના શેરમાં કડાકો બોલવા છતાં EPFO નો અકબંધ વિશ્વાસ, સપ્ટેમ્બર સુધી અદાણી ઉપર આ રીતે મહેરબાન રહેશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2023 | 8:44 AM
Share

હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદ ઘણા મોટા રોકાણકારો અદાણી ગ્રૂપમાં રોકાણ કરવા માટે દસ વખત વિચારી રહ્યા છે. લગભગ રૂ. 40,000 કરોડનું રોકાણ કરનાર LIC તેના રોકાણના નિયમોમાં ફેરફાર કરવાની યોજના બનાવી રહી છે જેથી તેને અદાણી-હિંડનબર્ગ જેવા મામલાઓમાં વધુ નુકસાન થાય નહીં. દેશનું સૌથી મોટું રિટાયરમેન્ટ ફંડ EPFO ​​અદાણી ગ્રુપમાં રોકાણ યથાવત રાખશે. જેમાં અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી પોર્ટ બે શેરનો સમાવેશ થાય છે. આ રોકાણ સપ્ટેમ્બર સુધી ચાલુ રહી શકે છે.  EPFની બે દિવસીય બેઠક ચાલી રહી છે જેમાં આ મુદ્દે ચર્ચા થઈ શકે છે.

સવાલ એ છે કે છેલ્લા બે મહિનાથી કંપનીના શેરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશના લગભગ 28 કરોડ લોકોના પેન્શનના પૈસા કેમ દાવ પર લગાવવામાં આવે છે? શું EPFO ​​ટ્રસ્ટને આની જાણ ન હતી? શું ટ્રસ્ટ આ મામલે કોઈ પગલાં લઈ શકે છે? અદાણી ગ્રુપના શેરમાં અત્યાર સુધીમાં કેટલો ઘટાડો જોવા મળ્યો છે? ચાલો આ પ્રશ્નોના જવાબો શોધવાનો પ્રયાસ અમારા દ્વારા કરાયો છે.

આ પણ વાંચો : Adani Group : અદાણીને ક્લિનચીટ મળી, શું છે સમગ્ર મામલો? શેરના ભાવમાં ઉછાળો આવી શકે છે

કેવા  પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર નીલમ શમી રાવને અદાણી ગ્રૂપ સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા પરંતુ તેમને કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. આ સવાલોમાં સૌથી મહત્વનો સવાલ એ છે કે EPFO ​​એ અદાણી ગ્રુપના શેરમાં કેટલું રોકાણ કર્યું છે. શું તેના ફંડ મેનેજરોને તે શેરના રક્ષણ માટે નવા રોકાણ ટાળવા સૂચના આપવામાં આવી હતી? શું નિફ્ટી 50 સાથે જોડાયેલા રોકાણોમાં કોઈ ફેરફાર કરવામાં આવી રહ્યા છે? EPFOએ માર્ચ 2022 સુધી ETFમાં રૂ. 1.57 લાખ કરોડનું રોકાણ કર્યું હતું. નાણાકીય વર્ષ 2022-23માં, EPF સભ્યો દ્વારા મોકલવામાં આવેલા અંદાજિત રૂ. 2.54 લાખ કરોડ નવા યોગદાનમાંથી રૂ. 38,000 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે.

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં સોમવાર અને મંગળવારે બોર્ડની બે દિવસીય બેઠક યોજાશે, જેમાં આ મુદ્દો જોરદાર રીતે ઉઠાવવામાં આવી શકે છે. આ બેઠક મુખ્યત્વે EPF વ્યાજ દરને લઈને થઈ રહી છે. જેમાં આ વર્ષે સભ્યોને કેટલું વ્યાજ આપવામાં આવશે તે નક્કી કરવામાં આવશે. હાલમાં EPFનો વ્યાજ દર 45 વર્ષના નીચલા સ્તરે છે. જેના પર 8.1 ટકા ટેક્સ લાગતો હતો.

અદાણી ગ્રુપના શેરને કેટલું નુકસાન થયું છે?

હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ 24 જાન્યુઆરીએ બહાર આવ્યો હતો. ત્યાર બાદ અદાણી ગ્રુપના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. બે મહિના પછી પણ ગ્રૂપની કંપનીઓ જે રીતે રિકવર કરવી જોઈતી હતી તે રીતે થઈ શકી નથી. અદાણી એન્ટરપ્રાઈઝ 24 જાન્યુઆરીથી 50% નીચે છે. અદાણી ટ્રાન્સમિશન પણ 60 ટકાથી વધુ તૂટ્યું છે. અદાણી ટોટનના શેરમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે. 24મીથી કંપનીનો સ્ટોક 75% નીચે આવ્યો છે. અદાણી ગ્રીન એનર્જી પણ લગભગ 50 ટકા નીચે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
કેરી રસીયાઓેએ હવે કેસર માટે બહુ નહીં જોવી પડે રાહ, હરાજીનો થયો પ્રારંભ
કેરી રસીયાઓેએ હવે કેસર માટે બહુ નહીં જોવી પડે રાહ, હરાજીનો થયો પ્રારંભ
AAPના ઈમાનદારીના દાવા પોકળ! કરોડોનું હવાલા નેટવર્ક પકડાયું
AAPના ઈમાનદારીના દાવા પોકળ! કરોડોનું હવાલા નેટવર્ક પકડાયું
તમિલનાડુ બ્લાસ્ટ: ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ ધડાકો, 17ના મોતથી મચી ચીસ
તમિલનાડુ બ્લાસ્ટ: ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ ધડાકો, 17ના મોતથી મચી ચીસ
નસવાડી: પ્રચારમાં ગયેલા MLA અભેસિંહ તડવીનો ઉગ્ર વિરોધ, વીડિયો વાયરલ
નસવાડી: પ્રચારમાં ગયેલા MLA અભેસિંહ તડવીનો ઉગ્ર વિરોધ, વીડિયો વાયરલ
રાજકોટમાં વોર્ડ નંબર 10માં અંજલિ રૂપાણીએ ડોર ટુ ડોર કર્યો પ્રચાર
રાજકોટમાં વોર્ડ નંબર 10માં અંજલિ રૂપાણીએ ડોર ટુ ડોર કર્યો પ્રચાર
અમદાવાદમાં ક્લાસ-1 અધિકારી બન્યા વાસી ખોરાકનો 'શિકાર'
અમદાવાદમાં ક્લાસ-1 અધિકારી બન્યા વાસી ખોરાકનો 'શિકાર'
અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત
અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત
સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ
સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ
હત્યાની તપાસ માટે SIT રચવા પોલીસ વડાની મૃતકના પરિવારજનોને હૈયાધારણા
હત્યાની તપાસ માટે SIT રચવા પોલીસ વડાની મૃતકના પરિવારજનોને હૈયાધારણા
ગાંધીનગર સાયબર સેલે બીજી એક સાયબર ટોળકી ઝડપી
ગાંધીનગર સાયબર સેલે બીજી એક સાયબર ટોળકી ઝડપી
g clip-path="url(#clip0_868_265)">