AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFOની મોટી જાહેરાત, હવે નોકરી બદલવા પર PF એકાઉન્ટ નહીં કરાવવું પડે ટ્રાન્સફર, સેન્ટ્રલાઈઝ સિસ્ટમથી થઈ જશે કામ

સેન્ટ્રલાઈઝ સિસ્ટમની મદદથી કર્મચારીનું ખાતું મર્જ થશે. અત્યાર સુધી આ નિયમ છે કે જ્યારે કોઈ કર્મચારી એક કંપની છોડી બીજી કંપનીમાં જાય છે તો તે પીએફના પૈસા ઉપાડી લે છે અથવા બીજી કંપનીમાં ટ્રાન્સફર કરે છે. અત્યાર સુધી ટ્રાન્સફર કરાવવાનું કામ જાતે કરવું પડતું હતું.

EPFOની મોટી જાહેરાત, હવે નોકરી બદલવા પર PF એકાઉન્ટ નહીં કરાવવું પડે ટ્રાન્સફર, સેન્ટ્રલાઈઝ સિસ્ટમથી થઈ જશે કામ
EPFO
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2021 | 8:45 PM
Share

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઓની બેઠકમાં શનિવારે એક મોટી જાહેરાત કરવામાં આાવી છે. બેઠકમાં નિર્ણય થયો કે પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટના સેન્ટ્રલાઈઝ IT સિસ્ટમને મંજૂરી આપવામાં આવશે. તેનો અર્થ થયો કે કોઈ કર્મચારી નોકરી બદલે છે અથવા એક કંપનીમાંથી બીજી કંપનીમાં જોઈન કરે છે તો પીએફ એકાઉન્ટ ટ્રાન્સફર કરવાની ઝંઝટમાંથી છુટકારો મળશે. આ કામ ઓટોમેટિક થઈ જશે.

સેન્ટ્રલાઈઝ સિસ્ટમની મદદથી કર્મચારીનું ખાતું મર્જ થશે. અત્યાર સુધી આ નિયમ છે કે જ્યારે કોઈ કર્મચારી એક કંપની છોડી બીજી કંપનીમાં જાય છે તો તે પીએફના પૈસા ઉપાડી લે છે અથવા બીજી કંપનીમાં ટ્રાન્સફર કરે છે. અત્યાર સુધી ટ્રાન્સફર કરાવવાનું કામ જાતે કરવું પડતું હતું.

હાલમાં શું છે નિયમ

આ માટે જૂની અને નવી કંપનીમાં કેટલીક કાગળોની ઔપચારિકતાઓ છે જે પૂરી કરવી પડશે. આ પેપરવર્કના કારણે ઘણા લોકો જૂની કંપનીમાં પીએફના પૈસા છોડી દે છે. નવી કંપનીમાં પહેલાના UAN પર જ બીજું પીએફ એકાઉન્ટ બની જાય છે પણ આ પીએફ ખાતામાં પૂરૂ બેલેન્સ નથી દેખાતું, કારણ કે કર્મચારી જુના ખાતાને નવા સાથે મર્જ નહતા કરાવી શકતા. હવે આ ઝંઝટમાંથી છુટકારો મળશે.

શું થશે ફેરફાર

સેન્ટ્રલાઈઝ સિસ્ટમ પીએફના ખાતાધારકોના અલગ અલગ એકાઉન્ટને મર્જ કરી એક એકાઉન્ટ બનાવશે. તેનાથી ખાતાઓને મર્જ કરવાની ઝંઝટ ખત્મ થઈ જશે અને કર્મચારી ઘણા પ્રકારના પેપર વર્કની કાર્યવાહીથી બચી શકશે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં થયેલી ઈપીએફઓની 229મી બોર્ડ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો.

ઈપીએફઓના કેન્દ્રીય ટ્રસ્ટી બોર્ડની બેઠકમાં ઘણા મુદ્દાઓ પર વિચાર ચાલી રહ્યો છે. તેમાં પીએફના વ્યાજદર વધારવાથી લઈને પેન્શનરો માટે લઘુત્તમ પેન્શનની રકમ 1,000 રૂપિયાથી વધારીને 3,000 રૂપિયા કરવામાં આવે તેવી શક્યતા છે. જો કે, ટ્રેડ યુનિયનોએ માંગ કરી છે કે શ્રમ મંત્રાલય અને EPFO ​​પેન્શન વધારીને 6,000 રૂપિયા કરે.

InvITs ફંડમાં લાગશે પીએફના પૈસા

આ સાથે જ EPFOના સેન્ટ્રલ બોર્ડે FIAC કમિટીને કેસ-ટુ-કેસના આધારે રોકાણ કરવાનો અધિકાર આપ્યો છે. ભારત સરકાર દ્વારા નોટિફાઈડ તમામ એસેટ ક્લાસમાં હવે EPFO રોકાણ કરી શકશે. ટ્રસ્ટી બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો કે EPFOનીન વાર્ષિક જમા રકમનો 5 ટકા હિસ્સો હવે અલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટસમાં રોકાણ કરવામાં આવશે. વૈકલ્પિક રોકાણ ભંડોળમાં InvITs ફંડનો સમાવેશ થાય છે જે મ્યુચ્યુઅલ ફંડ્સ જેવા જ હોય ​​છે. InvITs ફંડ સંપૂર્ણપણે સરકારી માલિકીનું છે અને SEBI દ્વારા નિયંત્રિત છે.

આ પણ વાંચો: CM ભુપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ અને રાજકોટ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરીનું ખાતમુહૂર્ત

આ પણ વાંચો: રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, આધાર બેઝ્ડ e-Kycના ઉપયોગથી ઘરે બેઠા મળશે RTOની સેવાઓ

Follow Us
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
g clip-path="url(#clip0_868_265)">