AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO : કર્મચારી મૃત્યુ પામે તો Provident Fund માં જમા પૈસાનું શું થાય છે, લાખો રૂપિયા કોને મળે છે? વાંચો આ પ્રશ્નોના જવાબ

EPFO : નોકરી કરતી લગભગ દરેક વ્યક્તિ પોતાના પગારમાંથી પ્રોવિડન્ટ ફંડ(Provident Fund)માં પૈસા જમા કારાવે છે. દર મહિને જમા થતી રકમ તમારી નિવૃત્તિ સુધી મોટી સંખ્યામાં પહોંચી જાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે મૃત્યુ પછી તમારા PF માં જમા કરાયેલા પૈસાનું શું થાય છે?

EPFO : કર્મચારી મૃત્યુ પામે તો Provident Fund માં જમા પૈસાનું શું થાય છે, લાખો રૂપિયા કોને મળે છે? વાંચો આ પ્રશ્નોના જવાબ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2023 | 8:16 AM
Share

EPFO : નોકરી કરતી લગભગ દરેક વ્યક્તિ પોતાના પગારમાંથી પ્રોવિડન્ટ ફંડ(Provident Fund)માં પૈસા જમા કારાવે છે. દર મહિને જમા થતી રકમ તમારી નિવૃત્તિ સુધી મોટી સંખ્યામાં પહોંચી જાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે મૃત્યુ પછી તમારા PF માં જમા કરાયેલા પૈસાનું શું થાય છે? જો તમે નોમિની બનાવી હોય તો તેને પૈસા કેવી રીતે મળે છે?

રોકાણનો એક અગત્યનો નિયમ એ છે કે હંમેશા નોમિની બનાવો, જેથી તમારા મૃત્યુ પછી તમારા પૈસા સુરક્ષિત રહે અને તમારા નજીકના અને પ્રિયજનોના હાથમાં પહોંચી જાય. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) તમને ભવિષ્ય નિધિ માટે નોમિની બનાવવાની પણ મંજૂરી આપે છે.

PF ખાતામાં નોમિની કોણ ઉમેરી શકે?

એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ (EPF)ની માર્ગદર્શિકા અનુસાર, કોઈપણ વ્યક્તિ ઈપીએફ ખાતામાં તેના પરિવાર અને પરિવારના સભ્યોને નોમિની બનાવી શકે છે. બીજી તરફ, જે વ્યક્તિનું કુટુંબ નથી તે અન્ય કોઈ વ્યક્તિને નોમિની બનાવી શકે છે. જો કે પાછળથી જો તેમનો પરિવાર આગળ આવશે તો પરિવારનું નામાંકન માન્ય ગણાશે.

શું નોમિનેશન ઓનલાઈન થઈ શકે છે?

EPF ખાતામાં નોમિની બનાવવાની પ્રક્રિયા હવે ઓનલાઈન થઈ ગઈ છે. ઈપીએફ ખાતાધારકના અચાનક મૃત્યુના કિસ્સામાં ઈ-નોમિનેશનનો ફાયદો ઘણો છે. આ EPFO ​​વિભાગને ખાતાધારકના નાણાં નોમિનીના ખાતામાં જલદી ટ્રાન્સફર કરવામાં મદદ કરે છે. તે જ સમયે, નોમિનીને ખાતાધારકના EPF, પેન્શન સ્કીમ અને એમ્પ્લોઈઝ ડિપોઝિટ લિંક્ડ ઈન્સ્યોરન્સ સ્કીમના ફંડમાં ઓનલાઈન એક્સેસનો લાભ મળે છે.

જ્યારે કોઈ નોમિની ન હોય તો મૃત્યુ પછી PF નું શું થશે?

EPFO ના નિયમો મુજબ, જો તમારા EPF ખાતાનો કોઈ નોમિની નથી, તો તમારી PF જમા રકમ પરિવારના સભ્યોમાં સમાન રીતે વહેંચવામાં આવશે. જો કુટુંબનો કોઈ યોગ્ય સભ્ય હાજર ન હોય, તો પૈસા તમારા કાનૂની વારસદારના ખાતામાં મોકલવામાં આવશે.

EPF ખાતામાં નોમિની કેવી રીતે બનાવશો?

  • જો તમે EPF ખાતામાં નોમિની બનાવવા માંગો છો, તો સૌથી પહેલા EPFOની વેબસાઈટ પર જાઓ.
  •  સર્વિસ સેગમેન્ટ હેઠળ Employee પર ક્લિક કરો અને પછી ‘મેમ્બર UAN/ઓનલાઈન સર્વિસ’ પર ક્લિક કરો.
  • આ પછી UAN નંબર અને પાસવર્ડ દાખલ કરી લોગિન કરો.
  • હવે ‘મેનેજ’ ટેબ હેઠળ ‘ઈ-નોમિનેશન’ પર ક્લિક કરો.
  • અહીં આપેલી જરૂરી માહિતી અપડેટ કરો અને તેને સાચવો.
  • કુટુંબની ઘોષણા આપો, અને કુટુંબના અન્ય સભ્યોની વિગતો આપો. તમે એક કરતાં વધુ નોમિની ઉમેરી શકો છો.
  • આ પછી ઈ-સાઇન પર ક્લિક કરો અને OTP દાખલ કરીને સેવ કરો.

સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">