AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કરોડો EPS પેન્શનરો માટે મોટા સમાચાર, આ દીવસ સુધી ખાતામાં જમા નથી થયા પૈસા તો મળશે વળતર, લાગુ થયો નિયમ

EPFOએ પરિપત્રમાં કહ્યું છે કે આ આદેશોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે. આ સાથે, તમામ કચેરીઓ તેમના અધિકારક્ષેત્ર હેઠળની બેંકોને પણ આ માર્ગદર્શિકાનું પાલન કરવા માટે સૂચનાઓ મોકલે.

કરોડો EPS પેન્શનરો માટે મોટા સમાચાર, આ દીવસ સુધી ખાતામાં જમા નથી થયા પૈસા તો મળશે વળતર, લાગુ થયો નિયમ
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 6:07 PM
Share

એમ્પ્લોઈઝ પેન્શન પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) ના પેન્શનરોના કામના સમાચાર છે. જો ઈપીએફઓએ ​​પેન્શનરોને નિયત તારીખ સુધીમાં પેન્શન નહીં મળે, તો તેઓ વળતર મેળવવા માટે હકદાર બનશે. રિટાયરમેન્ટ ફંડ બોડીએ 13 જાન્યુઆરીએ એક પરિપત્ર બહાર પાડ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે પેન્શન ક્યારે ફાળવવું જોઈએ. હવે ઈપીએસ (EPS) પેન્શન પણ પગારની જેમ જ મળશે અને દર મહિનાની છેલ્લી તારીખે પેન્શનરના ખાતામાં જમા કરવામાં આવશે. આ પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે પેન્શન વિભાગ દ્વારા આ બાબતની સમીક્ષા કરવામાં આવી છે અને આરબીઆઈના નિર્દેશો અનુસાર નિર્ણય લેવામાં આવ્યો છે કે, તમામ પ્રાદેશિક કચેરીઓ બેંકોને માસિક BRS એવી રીતે મોકલી શકે છે કે છેલ્લા કામકાજના દિવસે અથવા તે પહેલાં પેન્શનર્સના ખાતામાં પેન્શન જમા થઈ જાય.

નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સૂચના

વધુમાં જણાવ્યું હતું કે, આ ઉપરાંત તે પણ સુનિશ્ચિત થઈ શકે છે કે, વાસ્તવિક પેન્શન પેન્શન વિતરણ કરતી બેંકોને બે દિવસ પહેલા નહી મોકલવામાં આવે, જે પેન્શનરોના ખાતામાં જમા કરાવવાના છે. EPFOએ પરિપત્રમાં કહ્યું છે કે આ આદેશોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે. આ સાથે, તમામ કચેરીઓ તેમના અધિકારક્ષેત્ર હેઠળની બેંકોને પણ આ માર્ગદર્શિકાનું પાલન કરવા માટે સૂચનાઓ મોકલે.

કેટલું મળશે વળતર

આરબીઆઈના નિયમો અનુસાર, પેન્શનનું વિતરણ કરતી બેંકોએ પેન્શનમાં વિલંબ થવા પર પેન્શનધારકને વાર્ષિક 8 ટકા વ્યાજ પર બાકી રકમની ભરપાઈ કરવી પડશે. આ વળતર આપમેળે લાભાર્થીની બેંકમાં જમા થઈ જવું જોઈએ.

તમને જણાવી દઈએ કે 10 વર્ષથી કામ કરતા કર્મચારીઓને 58 વર્ષની ઉંમર બાદ EPS પેન્શન મળે છે. પ્રોવિડન્ટ ફંડ (EPF) અને પેન્શન ફંડ (EPS) ના પૈસા કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) માં જમા કરવામાં આવે છે. EPFમાં યોગદાન આપનારા કર્મચારીઓ પણ EPS માટે પાત્ર છે.

એસએમએસ અથવા મિસ્ડ કોલ દ્વારા પીએફ બેલેન્સ કેવી રીતે ચેક કરવું

EPFO સાથે ખાતા ધરાવતા કર્મચારીઓ તેમના ઉપકરણ પર 7738299899 અને 011-22901406 ડાયલ કરીને તેમનું PF બેલેન્સ ચેક કરી શકે છે. EPF સભ્યો એસએમએસ દ્વારા બેલેન્સ રકમ ચકાસી શકે છે, તેઓએ ફક્ત ‘EPFOHO UAN LAN’ ટાઇપ કરવું પડશે અને તેને તેમના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી 7738299899 પર મોકલવું પડશે.

તમે તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી મિસ્ડ કોલ આપીને પણ બેલેન્સ ચેક કરી શકો છો. આ કરવા માટે, EPF સભ્યએ ફક્ત 011-22901406 પર મિસ્ડ કોલ આપવો પડશે.

આ પણ વાંચો : Budget 2022: વરિષ્ઠ નાગરિકોની આ છે અપેક્ષાઓ, વ્યાજદર વધે, એન્યુટી ઈન્કમ ટેક્સ ફ્રી કરવામા આવે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">