ITR 1 અને ITR 4 ફોર્મમાં શું છે તફાવત, રિટર્ન ફાઈલ કર્યા પહેલા જાણી લો આ જરૂરી વાતો

આ રિપોર્ટમાં અમે તમને ITR 1 અને ITR 4 વિશે જણાવીશું. કયા કેટેગરીના લોકો આ ફોર્મ ભરે છે અને શું છે આ ફોર્મ. ITR-1 રેસિડેન્ટ ઈન્ડીવ્યુડલ અથવા સામાન્ય લોકો માટે હોય છે, જેમની કમાણી પગારથી થાય છે, હાઉસ પ્રોપર્ટીથી થાય છે અથવા અન્ય સ્ત્રોતોમાંથી આવકની કેટેગરીમાં આવે છે.

ITR 1 અને ITR 4 ફોર્મમાં શું છે તફાવત, રિટર્ન ફાઈલ કર્યા પહેલા જાણી લો આ જરૂરી વાતો
Image Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2023 | 6:37 PM

તમે ઈન્કમ ટેક્સ રિટર્ન ભરો છો? તમારી જેવી કમાણી હોય છે, તે મુજબ ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવુ પડે છે. હવે તમારે નક્કી કરવુ પડશે કે કયા ફોર્મની કેટેગરીમાં તમે આવો છો. ITRના 7 પ્રકારના ફોર્મ હોય છે, જેના અલગ અલગ પેરામીટર્સ હોય છે. આ રિપોર્ટમાં અમે તમને ITR 1 અને ITR 4 વિશે જણાવીશું. કયા કેટેગરીના લોકો આ ફોર્મ ભરે છે અને શું છે આ ફોર્મ. ITR-1 રેસિડેન્ટ ઈન્ડીવ્યુડલ અથવા સામાન્ય લોકો માટે હોય છે, જેમની કમાણી પગારથી થાય છે, હાઉસ પ્રોપર્ટીથી થાય છે અથવા અન્ય સ્ત્રોતોમાંથી આવકની કેટેગરીમાં આવે છે. આ ફોર્મ્સ વિશે વિગતવાર જાણો.

ITR-1

આ ફોર્મ તે લોકો માટે છે, જેમની કમાણી પ્રતિ વર્ષ 50 લાખ રૂપિયાથી ઓછી છે. આ કમાણી પગાર અથવા પેન્શનથી થઈ શકે છે. અન્ય સ્ત્રોતમાંથી કમાણી થઈ શકે છે અથવા એક ઘરની પ્રોપર્ટીથઈ કમાણી થઈ શકે છે. અન્ય સ્ત્રોતમાંથી કમાણીનો અર્થ છે કે લોટરી અથવા હોર્સ રેસમાં થયેલી કમાણી સામેલ છે. જો ખેતીમાંથી 5000 રૂપિયાની કમાણી થાય છે તો આ ફોર્મ ભરવું પડશે.

જે લોકો કરપાત્ર આવક મેળવે છે અથવા જેમની આવક કરના દાયરામાં આવે છે તેઓ આ ફોર્મ ભરી શકતા નથી. બિઝનેસ કે કોઈપણ વ્યવસાયથી કમાતા લોકો પણ આ ફોર્મ ભરી શકતા નથી. આ ફોર્મ તે લોકોને લાગુ પડતું નથી, જે કોઈ કંપનીના ડાયરેક્ટર હોય. જેમને અનલિસ્ટેડ કંપનીમાં રોકાણ કર્યુ હોય. કેપિટલ ગેઈન્સમાં કમાણી કરે છે, જેઓ બિઝનેસ અને વ્યવસાયથી કમાણી કરે છે અને એક કરતાં વધુ ઘરની મિલકતમાંથી આવક મેળવે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ITR 4 ફોર્મ

આ ફોર્મ વ્યક્તિ વિશેષ અને એચયુએફ માટે હોય છે. પાર્ટનરશિપ ફર્મ ચલાવનારા લોકો પણ આ ફોર્મ ભરે છે. ઈન્કમ ટેક્સની કલમ 44AD અને 44AE હેઠળ આવક થાય છે તો આ ફોર્મ ભરવુ પડે છે. પગાર અથવા પેન્શનથી 50 લાખ રૂપિયાથી વધારેની કમાણી થવા પર ITR 4 ફોર્મ ભરી શકો છો.

જેમની કમાણી 50 લાખ રૂપિયાથી વધારે છે, બિઝનેસ અથવા વ્યવસાયનું ટર્નઓવર 2 કરોડથી વધારે હોય, કંપનીના ડાયરેક્ટર હોય, અનલિસ્ટેડ શેરમાં રોકાણ કર્યુ હોય, ભારતથી બહાર કોઈ એકાઉન્ટમાં સાઈનિંગ ઓથોરિટી હોય તો આ ફોર્મ ભરી શકતા નથી. જો તમે ફ્રિલાન્સર હોય અને વાર્ષિક કમાણી 50 લાખથી વધારે છે તો ફોર્મ-4 ભરી શકો છો.

આ પણ વાંચો: ‘ઓપરેશન ગંગા’ પર બની રહી છે ફિલ્મ, પોસ્ટરમાં PMની ઝલક આવી સામે

કોણ ફાઈલ કરી શકે છે ITR?

  1. ઈન્કમ ટેક્સ એક્ટ 1961ની કલમ 139 (1) મુજબ માત્ર તે જ વ્યક્તિ ઈન્કમ ટેક્સ ફાઈલ કરશે, જેની વાર્ષિક આવક 2.5 લાખથી વધારે હોય છે.
  2. ભારતમાં જેટલી સરકારી અથવા ખાનગી કંપનીઓ કામ કરે છે, તે તમામના તેમની વાર્ષિક આવક મુજબ ઈન્કમ ટેક્સ ફાઈલ થાય છે.
  3. જો કોઈ વ્યક્તિ વિદેશમાં પોતાનો બિઝનેસ કરે છે પણ જો તે ભારતનો રહેવાસી છે તો તે વ્યક્તિને ટેક્સ ફાઈલ કરવો જરૂરી છે.
  4. જો કોઈ વૃદ્ધ વ્યક્તિ 80 વર્ષનો છે અને તે વ્યક્તિની વાર્ષિક આવક 10 લાખ અથવા તેનાથી વધારે છે તો તે વ્યક્તિને પણ ઈન્કમ ટેક્સ ફાઈલ કરવી પણ જરૂરી છે.
  5. જો કોઈ પણ વ્યક્તિની ઉંમર 80 વર્ષ અને 60 વર્ષથી ઓછી છે અને જો તે વ્યક્તિની વાર્ષિક આવક 3 લાખ અથવા તેનાથી વધારે હોય છે તો તે વ્યક્તિને પણ ઈન્કમ ટેક્સ ફાઈલ કરવું પડે છે.
  6. જો કોઈ વ્યક્તિ વિદેશમાં રહે છે, પરંતુ તે વ્યક્તિની કમાણી ભારતમાંથી પણ થાય છે તો તે વ્યક્તિને પણ ટેક્સ ફાઈલ કરવો જરૂરી છે.
  7. જો કોઈ વ્યક્તિએ વિઝા માટે અરજી કરી છે તો તે વ્યક્તિએ પણ ઈન્કમ ટેક્સ ફાઈલ કરવું જરૂરી છે.
  8. જો કોઈ વ્યક્તિ વિદેશ પ્રવાસમાં 2 લાખથી વધારેનો ખર્ચ કરે છે તો તે વ્યક્તિને પણ આઈટીઆર ફાઈલ કરવું પડશે.

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">