AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવા વર્ષમાં ફરી આવો અમદાવાદ, દ્વારકાધીશ અને સોમનાથનું IRCTC લાવ્યું છે સસ્તું ટૂર પેકેજ, ફટાફટ ચેક કરો

IRCTC ઘણા રાજ્યોમાં ફરવા જવાની સસ્તી અને સુવર્ણ તક આપી રહી છે. જો તમે પણ નવા વર્ષમાં ફરવાનું વિચારી રહ્યા હોવ તો તમે અમદાવાદ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગીર વન, દીવ, સોમનાથ, દ્વારકા, નાગેશ્વર સહિત અનેક સ્થળોએ ફરવા જઈ શકો છો.

નવા વર્ષમાં ફરી આવો અમદાવાદ, દ્વારકાધીશ અને સોમનાથનું IRCTC લાવ્યું છે સસ્તું ટૂર પેકેજ, ફટાફટ ચેક કરો
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2021 | 8:25 PM
Share

IRCTC Tour Package: આ સમયે ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) ઘણા રાજ્યોમાં મુસાફરી કરવાની સસ્તી અને સુવર્ણ તક (golden opportunity) આપી રહી છે. જો તમે પણ નવા વર્ષમાં ટ્રાવેલ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ સમયે તમારી પાસે ઘણા સસ્તા ટૂર પેકેજ (tour packages) ઉપલબ્ધ છે. આ પેકેજોમાંથી એક ગુજરાતનું ટૂર પેકેજ (Gujarat tour package) છે, જે IRCTC ઓફર કરી રહી છે. આ પ્રવાસ દરમિયાન IRCTC તેના મુસાફરોને ઘણી સુંદર જગ્યાઓની મુલાકાતે લઈ જશે.

જેમાં તમને અમદાવાદ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગીર વન દીવ, સોમનાથ, દ્વારકા, નાગેશ્વર અને રાજકોટ જોવાનો મોકો મળી રહ્યો છે. IRCTC અનુસાર આ સૌથી સસ્તું ટૂર પેકેજોમાંથી એક છે. સત્તાવાર વેબસાઈટ (www.irctctourism.com)ની મુલાકાત લઈને પ્રવાસી પેકેજો ઓનલાઈન બુક કરી શકાય છે.

અમદાવાદ, દ્વારકાધીશ અને સોમનાથ માટે ટૂર પેકેજ

પેકેજનું નામ- Swagat-E Gujarat

ડેસ્ટિનેશન કવર- અમદાવાદ-સ્ટેચ્યુ ઓફ યુનિટી-ગીર વન-દીવ-સોમનાથ-દ્વારકા-નાગેશ્વર-રાજકોટ

ટ્રાવેલીંગ મોડ – ફ્લાઈટ

ક્લાસ – કમ્ફર્ટ

યાત્રા- 28.01.2022

મુસાફરીનો સમયગાળો – 6 રાત/7 દિવસ

ફ્લાઈટ્સની વિગત

1. ફ્લાઈટ નંબર (6E 245) 28.01.2022ના રોજ 5.35 વાગ્યે કોલકાતાથી ઉપડશે અને 8.00 કલાકે અમદાવાદ પહોંચશે.

2. પાછા ફરતી વખતે ફ્લાઈટ નંબર (6E 6556) 03.02.2022ના રોજ 21.45 વાગ્યે અમદાવાદથી ઉપડશે અને 00.05 વાગ્યે કોલકાતા પહોંચશે.

IRCTCએ ટ્વીટ કરીને શેર કર્યું પેકેજ

ઈન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)એ તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ સાથે આ પેકેજની માહિતી શેર કરી છે. આ સાથે સંપૂર્ણ ટૂર પેકેજ, ડેસ્ટિનેશન સર્કિટ અને કિંમત વિશેની માહિતી પણ તેમાં સામેલ છે. આ સિવાય આ ટ્વીટમાં એક લિંક https://bit.ly/3xWndZx આપવામાં આવી છે, જેના પર તમે સીધું ક્લિક કરીને પણ બુક કરી શકો છો. આ પ્રવાસ સંબંધિત કોઈપણ માહિતી માટે તમે આ નંબર 9002040020 અને 9002040126 પર કૉલ કરી શકો છો.

પેકેજ ટેરિફ (પર પર્સન):

કિંમત (વ્યક્તિ દીઠ) સિંગલ શેરિંગ – 39,975/- ડબલ – 30,075/- ટ્રિપલ – 28,775/- ચાઈલ્ડ વીથ બેડ   (5-11 વર્ષ) – 25,065/- ચાઈલ્ડ વીથાઉટ બેડ (2-4 વર્ષ) – 22,155/-

યાત્રીઓ અહીં ફરવા જઈ શકે છે

1. દિવસ એક : કોલકાતા-અમદાવાદ

ઈસ્કોન મંદિર અને સાબરમતી આશ્રમની મુલાકાત અને સાંજે અક્ષરધામ મંદિરની મુલાકાત માટે આગળ વધો. જેમાં સાંજે ત્યાં રહેવાની સુવિધા.

2. દિવસ બીજો : અમદાવાદ – સ્ટેચ્યુ ઓફ યુનિટી

આખો દિવસ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમિયાન સાંજે અમદાવાદમાં રોકાણ.

3. દિવસ ત્રીજો – અમદાવાદ-જૂનાગઢ-સાસણ ગીર

જુનાગઢમાં ઉપરકોટ કિલ્લો અને મ્યુઝિયમની યાત્રા કરીને પછી તમે સાસણ ગીર ફરી શક્શો.

4. દિવસ ચોથો : સાસણ ગીર-દીવ-સોમનાથ

કોઈ વ્યક્તિ પોતાના ખર્ચે સાસણ ગીર લાયન સફારી માટે જઈ શકે છે, જ્યારે સફારી પછી, દીવ (દીવ કિલ્લો, દીવ મ્યુઝિયમ અને સેન્ટ પોલ ચર્ચ) થઈને સોમનાથની મુલાકાત લો.

5. દિવસ પાંચમો – સોમનાથ-પોરબંદર-દ્વારકા

પ્રસિદ્ધ સોમનાથ મંદિર, ભાલકા તીર્થ અને ગીતા મંદિરની મુલાકાત સાથે પ્રવાસની શરૂઆત કરીને પછી પોરબંદર (સુદામા મંદિર અને કીર્તિ મંદિર) થઈને દ્વારકાની યાત્રા કરવામાં આવશે.

6. દિવસ છઠ્ઠો – દ્વારકા-રાજકોટ

દ્વારકા (દ્વારકા મંદિર, નાગેશ્વર મંદિર) ખાતે દર્શન કર્યા પછી દિવસભર ત્યાં રહેવાની સુવિધા

7. દિવસ સાતમો – રાજકોટ-અમદાવાદ-કોલકાતા

બરાબર 06:00 વાગ્યે હોટેલમાંથી ચેક-આઉટ કરીને અમદાવાદ માટે પ્રસ્થાન કરવાનું રહેશે. સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી કોલકાતા પાછા ફરવાનું રહેશે.

આ પણ વાંચો : ભારતીયોમાં લોન લઈને ખરીદી કરવાનું ચલણ વધ્યું, એક મહિનામાં પ્રથમ વખત આટલા લાખ કરોડ રૂપિયા ખર્ચાયા

Follow Us
સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો
સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો
તાલાલા ગીરમાં અનેક ખેડૂતોએ સંતાનોની જેમ ઉછેરેલા આંબા કાપી નાખવા બન્યા
તાલાલા ગીરમાં અનેક ખેડૂતોએ સંતાનોની જેમ ઉછેરેલા આંબા કાપી નાખવા બન્યા
ભાવનગર શહેરમાં માવઠાનો માર, કેરીના પાકને ભારે નુકસાન- જુઓ Video
ભાવનગર શહેરમાં માવઠાનો માર, કેરીના પાકને ભારે નુકસાન- જુઓ Video
ખેડામાં કુદરતનો પ્રકોપ: ભર ઉનાળે 'અષાઢી' માહોલ
ખેડામાં કુદરતનો પ્રકોપ: ભર ઉનાળે 'અષાઢી' માહોલ
અમદાવાદની આ રેસ્ટોરન્ટની ગુજરાતી થાળીમાંથી મળી આવી ઈયળ
અમદાવાદની આ રેસ્ટોરન્ટની ગુજરાતી થાળીમાંથી મળી આવી ઈયળ
રાજકોટમાં સ્ટેમ્પ ડ્યુટી વિભાગના કર્મચારીએ રૂ. 5000 માંગ્યાનો આક્ષેપ
રાજકોટમાં સ્ટેમ્પ ડ્યુટી વિભાગના કર્મચારીએ રૂ. 5000 માંગ્યાનો આક્ષેપ
Skymetની આગાહી, કેવું રહેશે ચોમાસુ 2026 ? કયાં, કેવો વરસશે વરસાદ ?
Skymetની આગાહી, કેવું રહેશે ચોમાસુ 2026 ? કયાં, કેવો વરસશે વરસાદ ?
GPSCની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન અંગે સ્પષ્ટ જવાબ ન મળતા HC નારાજ
GPSCની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન અંગે સ્પષ્ટ જવાબ ન મળતા HC નારાજ
60 વર્ષથી વધુ અને 3 ટર્મ વાળાને નહીં મળે ટિકિટ, જુઓ Video
60 વર્ષથી વધુ અને 3 ટર્મ વાળાને નહીં મળે ટિકિટ, જુઓ Video
બાળકીના શંકાસ્પદ મોત મામલે હવે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે બહાર કઢાયો
બાળકીના શંકાસ્પદ મોત મામલે હવે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે બહાર કઢાયો
g clip-path="url(#clip0_868_265)">