AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ સરકારી બેંકે સ્ટોક સ્પ્લિટની કરી જાહેરાત, 1 શેરના થશે 5 શેર, એક વર્ષમાં આપ્યું 107 ટકા વળતર

બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 26 ફેબ્રુઆરીએ યોજાયેલી તેની બેઠકમાં 1:5ના રેશિયોમાં સ્ટોક સ્પ્લિટને મંજૂરી આપી હતી. આ બેંકના દરેક રૂ.10 ફેસ વેલ્યુ શેરને રૂ.2 ફેસ વેલ્યુના 5 ઇક્વિટી શેરમાં વિભાજિત કરવામાં આવશે. એટલે કે બેન્કના શેરધારકોના 1 શેર 5 શેરમાં રૂપાંતરિત કરવામાં આવશે.

આ સરકારી બેંકે સ્ટોક સ્પ્લિટની કરી જાહેરાત, 1 શેરના થશે 5 શેર, એક વર્ષમાં આપ્યું 107 ટકા વળતર
canara bank
| Updated on: Feb 27, 2024 | 4:52 PM
Share

સરકારની માલિકીની ધિરાણકર્તા કેનેરા બેંકે મોટી જાહેરાત કરી છે. કેનેરા બેંકના બોર્ડે સ્ટોક વિભાજનને મંજૂરી આપી છે. બોર્ડે આજે 26 ફેબ્રુઆરીએ બેંકના 1 શેરને 5 શેરમાં વહેંચવાની એટલે કે સ્ટોક સ્પ્લિટની મંજૂરી આપી છે. કેનેરા બેંકે કહ્યું કે સ્ટોક સ્પ્લિટ પ્રક્રિયા પૂર્ણ થવામાં 2-3 મહિના લાગી શકે છે. સોમવારે BSE પર કેનેરા બેન્કનો શેર 1.5 ટકા ઘટીને રૂ. 571.9 પર બંધ થયો હતો. હાલમાં કેનેરા બેંકના શેરની ફેસ વેલ્યુ રૂ.10 છે, જે વિભાજન પછી રૂ.2 થઈ જશે.

BSEની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર કેનેરા બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 26 ફેબ્રુઆરીએ યોજાયેલી તેની બેઠકમાં 1:5ના રેશિયોમાં સ્ટોક સ્પ્લિટને મંજૂરી આપી હતી. કેનેરા બેંકના દરેક રૂ.10 ફેસ વેલ્યુ શેરને રૂ.2 ફેસ વેલ્યુના 5 ઇક્વિટી શેરમાં વિભાજિત કરવામાં આવશે. એટલે કે કેનેરા બેન્કના શેરધારકોના 1 શેર 5 શેરમાં રૂપાંતરિત કરવામાં આવશે.

એક વર્ષમાં આપ્યું 107 ટકા વળતર

આજે એટલે કે 26 ફેબ્રુઆરીએ BSE પર કેનેરા બેન્કનો શેર 1.47 ટકા ઘટીને રૂ. 571.90 પર બંધ થયો હતો. છેલ્લા એક મહિનામાં બેંકના શેરોએ લગભગ 20 ટકા વળતર આપ્યું છે. તો છેલ્લા એક વર્ષમાં તેના શેરની કિંમતમાં 107.14 ટકાનો વધારો થયો છે. હાલમાં કેનેરા બેંકનું માર્કેટ કેપ 1.04 લાખ કરોડ રૂપિયાની આસપાસ છે.

ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં કેનેરા બેન્કનો ચોખ્ખો નફો 27 ટકા વધીને રૂ. 3,656 કરોડ થયો છે. વધુમાં ત્રીજા ક્વાર્ટરમાં નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ (NII) ₹9,417 કરોડ હતી, જે ગયા નાણાકીય વર્ષના સમાન ગાળાની સરખામણીમાં 9.5% વધારે છે.

સ્ટોક સ્પ્લિટ શું છે?

સ્ટોક સ્પ્લિટ હેઠળ કંપની તેના શેરનું વિભાજન કરે છે. સામાન્ય રીતે, જ્યારે કંપનીના શેર ખૂબ મોંઘા થઈ જાય છે, ત્યારે નાના રોકાણકારો તે શેરોમાં રોકાણ કરી શકતા નથી. આવી સ્થિતિમાં કંપની તેના શેરનું વિભાજન કરે છે. કંપની નાના રોકાણકારોને આકર્ષવા અને બજારમાં માંગ વધારવા માટે સ્ટોક સ્પ્લિટનો આશરો લે છે.

સુરેન્દ્રનગર: ઠાકોર સમાજના સંમેલનમાં એકસૂરે ઉઠી PIની બદલીની માગ
સુરેન્દ્રનગર: ઠાકોર સમાજના સંમેલનમાં એકસૂરે ઉઠી PIની બદલીની માગ
Breaking News : પરષોત્તમ સોલંકીનું સીમર ગામે કોળી સમાજને દબંગ નિવેદન
Breaking News : પરષોત્તમ સોલંકીનું સીમર ગામે કોળી સમાજને દબંગ નિવેદન
Breaking News : અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ 11 મહિના રહેશે બંધ
Breaking News : અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ 11 મહિના રહેશે બંધ
Breaking News : સંબંધો કરતાં જમીન મોટી, રાજોડનું હૃદય હચમચાવતું સત્ય
Breaking News : સંબંધો કરતાં જમીન મોટી, રાજોડનું હૃદય હચમચાવતું સત્ય
રાજકોટમાં ‘હું નથુરામ ગોડસે’ નાટકના શો પર કોંગ્રેસનો ઉગ્ર વિરોધ
રાજકોટમાં ‘હું નથુરામ ગોડસે’ નાટકના શો પર કોંગ્રેસનો ઉગ્ર વિરોધ
Breaking News :AMCમાં હોર્ડિંગ્સ કૌભાંડ, નિયમોને તોડીને કરોડોની રમત
Breaking News :AMCમાં હોર્ડિંગ્સ કૌભાંડ, નિયમોને તોડીને કરોડોની રમત
કોંગ્રેસ દ્વારા હું નથુરામ ગોડ્સેનો વિરોધ, હેમુ ગઢવી હોલ પર પ્રદર્શન
કોંગ્રેસ દ્વારા હું નથુરામ ગોડ્સેનો વિરોધ, હેમુ ગઢવી હોલ પર પ્રદર્શન
કોળી સમાજના યુવક પર હુમલાના કેસમાં આરોપી જયરાજ આહીરના જામીન મંજૂર
કોળી સમાજના યુવક પર હુમલાના કેસમાં આરોપી જયરાજ આહીરના જામીન મંજૂર
DJ પ્રતિબંધને લઈને દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોરનો લીધો ઉધડો- જુઓ Video
DJ પ્રતિબંધને લઈને દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોરનો લીધો ઉધડો- જુઓ Video
Breaking News : “નાનકડી સામ્યાનું સ્વપ્ન દાદાએ કર્યું પૂરું!”
Breaking News : “નાનકડી સામ્યાનું સ્વપ્ન દાદાએ કર્યું પૂરું!”
g clip-path="url(#clip0_868_265)">