AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM મમતા બેનર્જી સાથે બિઝનેસમેન ગૌતમ અદાણીએ કરી મુલાકાત, તાજપુર પોર્ટમાં રોકાણ કરવાનો પ્રસ્તાવ

આજે ગૌતમ અદાણીએ મુખ્યપ્રધાન મમતા બેનર્જી સાથે મુલાકાત કરી છે. આ વાતની જાણકારી તેમને ટ્વીટ કરીને આપી છે. તેમને જણાવ્યું કે મમતા બેનર્જીની સાથે બંગાળમાં અલગ અલગ રોકાણ પર ચર્ચા કરવામાં આવી.

CM મમતા બેનર્જી સાથે બિઝનેસમેન ગૌતમ અદાણીએ કરી મુલાકાત, તાજપુર પોર્ટમાં રોકાણ કરવાનો પ્રસ્તાવ
Gautam Adani meets CM Mamata Banerjee
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2021 | 10:50 PM
Share

બિઝનેસમેન ગૌતમ અદાણી (Gautam Adani)એ આજે મુંબઈમાં પશ્ચિમ બંગાળ (West Bengal)ની મુખ્યપ્રધાન મમતા બેનર્જી (Mamata Benarjee) સાથે મુલાકાત કરી. આ દરમિયાન ગૌતમ અદાણીથી મુખ્યપ્રધાનને તાજપુર પોર્ટમાં રોકાણ કરવાનો પ્રસ્તાવ આપ્યો. જણાવી દઈએ કે એપ્રિલ 2022માં કોલકતામાં બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટ થવા જઈ રહી છે.

આ પહેલા મમતા બેનર્જી અને ગૌતમ અદાણીની મુલાકાત રોકાણને લઈ ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. બંગાળ બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. જણાવી દઈએ કે મમતા બેનર્જી ગયા અઠવાડિયે જ્યારે વડાપ્રધાન મોદીને મળવા દિલ્હી આવ્યા હતા. આ દરમિયાન તેમને બિઝનેસમેન ગૌતમ અદાણીને આમંત્રણ આપ્યું હતું.

આજે ગૌતમ અદાણીએ મુખ્યપ્રધાન મમતા બેનર્જી સાથે મુલાકાત કરી છે. આ વાતની જાણકારી તેમને ટ્વીટ કરીને આપી છે. તેમને જણાવ્યું કે મમતા બેનર્જીની સાથે બંગાળમાં અલગ અલગ રોકાણ પર ચર્ચા કરવામાં આવી. તેમને બંગાળ બિઝનેસ સમિટ (Bengal Business Summit)માં સામેલ થવાની જાણકારી આપી. તમને જણાવી દઈએ કે બિઝનેસ સમિટને લઈ મુખ્યપ્રધાન મમતા બેનર્જી સતત બીજી પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરી રહી છે.

મુંબઈમાં રાજકીય હસ્તીઓને મળી મમતા બેનર્જી

તાજેતરમાં જ મમતા બેનર્જીએ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે અને એનસીપી ચીફ શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. 3 દિવસના મુંબઈ પ્રવાસ પર પહોંચેલા મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ એક પણ કોંગ્રેસ નેતા સાથે મુલાકાત કરી નથી. જણાવી દઈએ કે નામ લીધા વગર રાહુલ ગાંધી પર હુમલો કર્યો હતો. તેમને કહ્યું હતું કે વિદેશમાં બેસીને રાજનીતિ નથી થઈ શકતી. તેની સાથે જ તેમને કહ્યું હતું કે હવે યૂપીએનું કોઈ અસ્તિત્વ નથી.

બંગાળ બિઝનેસ સમિટની તૈયારીઓ તેજ

શરદ પવારે કહ્યું હતું કે કોંગ્રેસને અલગ રાખીને કોઈ પણ પ્રકારનો વિકલ્પ આપવાનો કોઈ પ્રયત્ન નથી. તેમને કહ્યું હતું કે બધાને સાથે લઈ આગળ વધવામાં આવશે. સીએમ મમતા બેનર્જીએ બંગાળ બિઝનેસ સમિટની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દીધી છે. મુંબઈ પ્રવાસ પર તેમને મીડિયાને કહ્યું હતું કે તે યંગ પ્રેસિડેન્ટ ઓર્ગેનાઈઝેશન તરફથી આયોજિત એક કાર્યક્રમમાં બિઝનેસમેન સાથે મુલાકાત કરશે. તે તમામને તે બંગાળ સમિટ માટે આમંત્રિત કરશે.

આ પણ વાંચો: કપાસના ભાવમાં ઘટાડો, ખેડૂતોનો આક્ષેપ- ખાનગી ખરીદદારોએ ભાવ ઘટાડ્યા, યોગ્ય ભાવ નહીં મળે તો કરશે આંદોલન

આ પણ વાંચો: ઓમિક્રોનની વધતી દહેશત, સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં રાત્રિ કર્ફ્યૂ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">