AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2021 : જાણો ભારતના ૭ ઐતિહાસિક બજેટ વિશે, જેણે દેશના વિકાસમાં મોટી ભૂમિકા ભજવી છે

Budget 2021 :  1 ફેબ્રુઆરીએ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ(Nirmala Sitharaman)સંસદમાં નાણાકીય વર્ષ 2021-22નું સામાન્ય બજેટ રજૂ કરશે. દેશના વિકાસમાં બજેટની અહમ ભૂમિકા રહેતી હોય છે. ભારતના ઇતિહાસમાં ૭ બજેટ એવા રજુ થયા હતા જે ભારત માટે ઐતિહાસિક હતા .ક્યાં કારણોસર આ બજેટ યાદગાર બન્યા તે ઉપર કરો એક નજર...

Budget 2021 : જાણો ભારતના ૭ ઐતિહાસિક બજેટ વિશે, જેણે દેશના વિકાસમાં મોટી ભૂમિકા ભજવી છે
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 01, 2021 | 7:03 AM

Budget 2021 :  1 ફેબ્રુઆરીએ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ(Nirmala Sitharaman)સંસદમાં નાણાકીય વર્ષ 2021-22નું સામાન્ય બજેટ રજૂ કરશે. દેશના વિકાસમાં બજેટની અહમ ભૂમિકા રહેતી હોય છે. ભારતના ઇતિહાસમાં ૭ બજેટ એવા રજુ થયા હતા જે ભારત માટે ઐતિહાસિક હતા .ક્યાં કારણોસર આ બજેટ યાદગાર બન્યા તે ઉપર કરો એક નજર…

Budget 1947 Presented by Sanmukhram Chetty

Budget 1947 – સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ રજૂ થયું. દેશના પ્રથમ નાણાં પ્રધાન આર.કે. શનમુખામ ચેટ્ટીએ સ્વતંત્ર ભારતનું પહેલું બજેટ રજૂ કરતી વખતે દેશના સંરક્ષણ વિભાગને રૂ 197.39 કરોડ કુલ ખર્ચના 46 ટકા ફાળવ્યા હતા. આ બજેટને ઘણી રીતે મૂળભૂત અને દૂરગામી માનવામાં આવતું હતું.

ભારતના 8 સૌથી આલીશાન રેલવે સ્ટેશનમાં ગુજરાતનું આ સ્ટેશન, જાણો નામ
જો બ્લડ પ્રેશર અચાનક ઓછું થઈ જાય તો શું કરવું?
પત્નીએ બોલિવુડમાં આપી છે હિટ ફિલ્મો, આવો છે પરિવાર
શનિ જયંતિ પહેલા સૂર્યનું નક્ષત્ર બદલાશે, આ 3 રાશિઓનું ભાગ્ય ચમકશે
વામિકા ગબ્બીના પરિવાર વિશે જાણો
શિવાંગી જોષીની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો
"<yoastmark

Budget 1951 presented by john mithai

Budget 1951 – લોકશાહી ભારતનું આ પહેલું બજેટ હતું, જેને જ્હોન મથાઈએ રજૂ કર્યું હતું. આ બજેટ ઘણી બાબતોમાં મહત્વનું હતું કારણ કે આયોગ પંચની સ્થાપના માટેનો રોડમેપ તૈયાર કરાયો હતો. ભારતના તમામ સંસાધનોનું મૂલ્યાંકન કરવા અને તેમના શ્રેષ્ઠ ઉપયોગ વિશે સંપૂર્ણ નીતિ તૈયાર કરવાના હેતુસર આયોજન પંચની રચના કરવામાં આવી હતી. જવાહરલાલ નેહરુને પંચના પહેલા અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

"<yoastmark

budget 1961 known as janta ka budget

Budget 1968 – મોરારજી દેસાઇએ રજૂ કરેલા બજેટને ‘જનતાનું બજેટ’ તરીકે જાણીતું બન્યું હતું. આ બજેટમાં પ્રથમ વખત તમામ ઉત્પાદકો માટેફેલફ એસેસમેન્ટ સિસ્ટમ બનાવવામાં આવી હતી, જેના દ્વારા ઉત્પાદનોનું મૂલ્યાંકન કરી શકાય છે. આ બજેટમાં જીવનસાથી ભથ્થું દૂર કરવામાં આવ્યું હતું જેનો ઉપયોગ પતિ-પત્ની બંને કર બચાવવા માટે કરતા હતા. આ ભથ્થું નાબૂદ કરવામાં આવ્યું હતું જેથી લગ્ન જેવી બાબતો પર કોઈ બિનજરૂરી તણાવ ન આવે.

"<yoastmark

budget 1991 presented by manmohansingh

Budget 1991 – આ બજેટ ભારત માટે ઐતિહાસિક હતું. ડો. મનમોહનસિંહે ઘણી નવી અને મહત્વપૂર્ણ વ્યવસ્થા આપી હતી. પી.વી. નરસિમ્હા રાવની સરકારના આ બજેટ પછી, ભારત જ્યારે વૈશ્વિકરણ તરફ આગળ વધ્યું ત્યારે આયાત લાઇસન્સની વ્યવસ્થા સમાપ્ત થઈ અને નિકાસને વેગ મળ્યો હતો. ઉદારવાદી અર્થતંત્ર અને ખુલ્લા બજારનો યુગ આ બજેટથી શરૂ થયો હતો.

"<yoastmark

budget 1997 presented by p chindambaram

Budget 1997 – આ બજેટ તત્કાલીન નાણાં પ્રધાન પી. ચિદમ્બરમનું ડ્રિમ બજેટ માનવામાં આવતું હતું. આ બજેટની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેણે કાળા નાણાં સામે યોજના શરૂ કરી હતી અને દેશભરમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ વાતાવરણ બનાવવાનું શરૂ કર્યું. આ બજેટને આર્થિક સુધારા માટેના બજેટ તરીકે પણ યાદ કરવામાં આવે છે કારણ કે અહીંથી, આવકવેરા દર ઘટાડવા માટે કોર્પોરેટ ટેક્સથી સરચાર્જ ઘટાડવા જેવા પગલા લેવામાં આવ્યા હતા.

"<yoastmark

budget 2000 presented by yashvant shinha

Budget 2000 – ભારતનું ‘મિલેનિયમ બજેટ’ તત્કાલીન નાણાં પ્રધાન યશવંત સિંહા દ્વારા રજૂ થયું. આ બજેટ ભારત માટે ખૂબ મહત્વનું માનવામાં આવે છે કારણ કે અહીંથી જ સોફ્ટવેર અને આઈટી હબ તરીકે ભારતના ઉદભવની પ્રક્રિયા શરૂ થઈ હતી. સોફ્ટવેરની નિકાસ શરૂ કરવાની પદ્ધતિ તરીકે તમે આ બજેટને યાદ કરાય છે.

Budget 2005 Presented by P Chidambaram

Budget 2005 known as AAm AAdmi Budget

Budget 2005 – ‘આમ આદમી બજેટ’ – પી ચિદમ્બરમે ફરી એકવાર આ મહત્વપૂર્ણ બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં એક તરફ કોર્પોરેટ ટેક્સ અને કસ્ટમ ડ્યુટીમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો હતો તો બીજી તરફ, આ બજેટને મનરેગા અને આરટીઆઈ સંબંધિત જોગવાઈઓને ધ્યાનમાં રાખીને યાદ કરવામાં આવે છે. વિશ્લેષકોએ આ બજેટને ‘અસંભવ કો સંભવ’ ઉપનામ આપ્યું હતું અને કહ્યું હતું કે ચિદમ્બરમે સામ્યવાદીઓ અને બજારને એકસાથે ખુશ કરવાનું કામ કર્યું હતું.

સુરેન્દ્રનગરમાં વરસાદે વિનાશ વેર્યો, 50થી વધુ સ્થળોએ વીજપોલ ધરાશાયી
સુરેન્દ્રનગરમાં વરસાદે વિનાશ વેર્યો, 50થી વધુ સ્થળોએ વીજપોલ ધરાશાયી
રેસકોર્સ વિસ્તારમાં મહાકાય હોર્ડિંગ ધરાશાયી
રેસકોર્સ વિસ્તારમાં મહાકાય હોર્ડિંગ ધરાશાયી
પાલનપુરમાં કોરોનાનો કેસ નોંધાતા હડકંપ
પાલનપુરમાં કોરોનાનો કેસ નોંધાતા હડકંપ
આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓથી સાવધાન રહે, જાણો આજનું રાશિફળ
આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓથી સાવધાન રહે, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ભારે માવઠાની આગાહી, જાણો ક્યાં અને ક્યારે વરસશે વરસાદ
ગુજરાતમાં ભારે માવઠાની આગાહી, જાણો ક્યાં અને ક્યારે વરસશે વરસાદ
રાજકોટ પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના ઉભા પાકને નુકસાનીની ભીતિ- Video
રાજકોટ પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના ઉભા પાકને નુકસાનીની ભીતિ- Video
માવઠાને કારણે થયેલા પાક નુકસાનીનો કરાશે સર્વે- રાઘવજી પટેલ
માવઠાને કારણે થયેલા પાક નુકસાનીનો કરાશે સર્વે- રાઘવજી પટેલ
કાર્બાઈડથી ફળો પકવનારા સામે FSSAI કરશે દંડનિય કાર્યવાહી- Video
કાર્બાઈડથી ફળો પકવનારા સામે FSSAI કરશે દંડનિય કાર્યવાહી- Video
Breaking News: 32 વર્ષ બાદ ગુજરાતના દાહોદમાં ફરી દેખાયો વાઘ -જુઓ Video
Breaking News: 32 વર્ષ બાદ ગુજરાતના દાહોદમાં ફરી દેખાયો વાઘ -જુઓ Video
CM ભૂપેન્દ્ર પટેલે કંટ્રોલરુમ 24 કલાક કાર્યરત રાખવા આપી સૂચના
CM ભૂપેન્દ્ર પટેલે કંટ્રોલરુમ 24 કલાક કાર્યરત રાખવા આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">