AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમને ભારે પડી રહી છે PERSONAL LOAN? અનુસરો આ ત્રણ સ્ટેપ્સ લોન ચૂકવવી સરળ બનશે

નિષ્ણાતો અનુસાર આપણે ઇચ્છીએ તો લોનની પાકતી મુદત પહેલા લોન રિપેમેન્ટ કરી શકીએ છે. પરંતુ આ ત્યારે જ શક્ય થશે જ્યારે હાથમાં રહેલા નાણાંનો ઉપયોગ લોનની ચુકવણી તરીકે કરવામાં આવે તે જરૂરી છે.

શું તમને ભારે પડી રહી છે PERSONAL LOAN? અનુસરો આ ત્રણ સ્ટેપ્સ લોન ચૂકવવી સરળ બનશે
Sometimes PERSONAL LOAN becomes a matter of concern
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2021 | 7:51 AM
Share

આપણે ઘરમાં નાની – મોટી જરૂરિયાત કે પ્રસંગો દરમ્યાન પૈસાની તંગી સમયે પર્સનલ લોન(Personal Loan) લઈએ છે. લોન તરીકે તેણે બેંકમાંથીલીધેલી રકમ પર ઊંચા દરે વ્યાજ ચૂકવીએ છે. જો ૫ લાખની લોન ૧૭ ટકા વ્યાજ ઉપર લેવાય તો EMI તરીકે 17,826 રૂપિયા ચૂકવવા પડે છે. જેતે સમયની આર્થિક તકલીફો દૂર કરવાનો પ્રયાસ બાદમાં બોઝ બની જાય છે. આપણે બાદમાં ઇચ્છીએ છે કે જલ્દીથી લોનના પૈસા ભરીને તે આ ઝંઝટમાંથી છુટકારો મેળવીએ.

નિષ્ણાતો અનુસાર આપણે ઇચ્છીએ તો લોનની પાકતી મુદત પહેલા લોન રિપેમેન્ટ કરી શકીએ છે. પરંતુ આ ત્યારે જ શક્ય થશે જ્યારે હાથમાં રહેલા નાણાંનો ઉપયોગ લોનની ચુકવણી તરીકે કરવામાં આવે તે જરૂરી છે. આ ઉપરાંત તમારું થોડા સમયમાં ઘર ખરીદવાનું સ્વપ્ન છે અને પર્સનલ લોન તરીકે લીધેલી લોન હોમ લોનના માર્ગમાં અડચણરૂપ બની શકે છે. એકમાત્ર ઉપાય એ છે કે સમયસર અથવા સમય પહેલા લોનની ચુકવણી કરીને ક્રેડિટ સ્કોર સારો બનાવો આ માટે નિષ્ણાતોએ ત્રણ રીતો જણાવી છે.

1-EMI વધારો નિષ્ણાત દ્વારા કહેવામાં આવ્યું છે કે હાલમાં ૫ લાખની લોનના ૧૭ ટકા દર અનુસાર 17,826 રૂપિયા EMI તરીકે ભરવામાં આવી રહ્યા છે જે તરત જ વધારીને 20,000 રૂપિયા કરવા જોઈએ. આ માટે પોતાના ખર્ચા પર 2100 રૂપિયાનો વધારાનો બોજ પડશે પરંતુ આ બોજો એટલો ભારે નથી કે સહન કરીન શકાય. આનો ફાયદો એ થશે કે બેંકો આ વધારાની રકમ બાકી પર્સનલ લોન પ્રિન્સિપલમાં એડજસ્ટ કરશે. તેનાથી પર્સનલ લોનનું વ્યાજ ઘટશે અને સરળતાથી અને ઝડપથી લોન ચૂકવી શકાશે. જો તમને કંપની તરફથી ઈન્સેન્ટિવ અથવા ઇન્ક્રીમેન્ટ મળ્યું હોય તો તે પૈસા જલ્દીથી લોનમાંથી મુક્તિ મેળવવામાં મદદરૂપ શકે છે.

2- જો તમને ક્યાંકથી પૈસા મળ્યા હોય તો તેનો ઉપયોગ કરો દિવાળી આવવાની છે. કદાચ કંપની તરફથી બોનસ મળશે. જો તમારું કામ સારું હોય તો તમે વધુ બોનસ મેળવી શકો છો. આ નાણાં બાકીના મુળધન તરીકે ચૂકવી શકાય છે. આ પ્રિન્સિપલ એમાઉન્ટ ઘટાડશે તેથી વ્યાજની રકમ ઘટશે. આ કામ ત્યારે પણ કરી શકો છો જ્યારે તમારી વારસામાંથી મોટી આવક થતી હોય અથવા શેરોમાંથી સારો નફો થાય.

3-PPF માંથી લોન લો જો તમે 2016 કે તે પહેલા PPF ખાતું ખોલાવ્યું હતું તો PPF ના નાણાં લોન ચૂકવવા માટે વાપરી શકાય છે. PPF માં ચોક્કસપણે એટલા પૈસા હશે જેની મદદથી દેવાનો બોજ દૂર કરી શકાય છે. જોકે PPF ખાતું અચાનક બંધ કરવાની જરૂર નહીં પડે, તેના બદલે તે PPF સામે લોન લઇ શકો છે. PPF ખાતું ખોલવાની તારીખથી 3 થી 6 વર્ષની અંદર લોન લઈ શકાય છે. આ લોન પર વ્યાજ એટલું જ હશે જેટલું વ્યાજ થાપણદારને PPF ખાતામાં મળે છે. અત્યારે આ દર 7.10 ટકા પર ચાલી રહ્યો છે. સૌરભ નેગી PPF સામે લોન લઇ શકે છે અને તેમાંથી પર્સનલ લોનનો અમુક હિસ્સો ચૂકવી શકે છે. આનો લાભ વ્યાજ પર મળશે કારણ કે PPF નું વ્યાજ પર્સનલ લોનની તુલનામાં ઓછું છે.

આ પણ વાંચો :  Auto Debit નો નિયમ બરાબર નહીં સમજો તો અટવાઈ જશે તમારા ટ્રાન્ઝેક્શન, જાણો વિગતવાર

આ પણ વાંચો : Air India ને TATA Group દ્વારા ખરીદવામાં આવી રહી હોવાના સમાચાર વહેતાં થતા જાહેર ક્ષેત્રની બેન્કોના શેર્સમાં ઉછાળો આવ્યો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">