AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અનિલ અંબાણીને મળી ગયો તારણહાર, પુત્ર જય અનમોલ અંબાણીએ 2000 કરોડનું સામ્રાજ્ય ઉભુ કર્યું

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી એક સમયે દેશના મોટા ઉદ્યોગપતિઓમાં ગણાતા હતા. રિલાયન્સ ગ્રૂપના વિભાજન સમયે ગ્રૂપની ઘણી મોટી કંપનીઓ પણ તેમના ખાતામાં આવી ગઈ હતી. પરંતુ કિસ્મતનો સાથ ન મળવાથી અનિલ અંબાણીની આગેવાની હેઠળની કંપનીઓ એક પછી એક નાદાર થતી ગઈ હતી.

અનિલ અંબાણીને મળી ગયો તારણહાર, પુત્ર જય અનમોલ અંબાણીએ 2000 કરોડનું સામ્રાજ્ય ઉભુ કર્યું
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2024 | 6:27 AM
Share

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી એક સમયે દેશના મોટા ઉદ્યોગપતિઓમાં ગણાતા હતા. રિલાયન્સ ગ્રૂપના વિભાજન સમયે ગ્રૂપની ઘણી મોટી કંપનીઓ પણ તેમના ખાતામાં આવી ગઈ હતી. પરંતુ કિસ્મતનો સાથ ન મળવાથી અનિલ અંબાણીની આગેવાની હેઠળની કંપનીઓ એક પછી એક નાદાર થતી ગઈ અને મોટા ભાઈ મુકેશ અંબાણીની સંપત્તિ અનેક ગણી વધી હતી.

હવે અંબાણી પરિવારની આગામી પેઢી નેતૃત્વ સંભાળવા માટે પોતાને તૈયાર કરી રહી છે. મુકેશ અંબાણીના પુત્ર અને પુત્રી કારોબાર જગતમાં મજબૂતી સાથે આગળ વધી રહ્યા છે. બીજી તરફ અનિલ અંબાણીના પુત્ર લાઈમલાઈટથી દૂર રહીને પિતાના ફડચામાં જઈ રહેલા બિઝનેસના સામ્રાજ્યને ફરીથી ઉભું કરવામાં વ્યસ્ત છે. અનિલના પુત્ર જય અનમોલ અંબાણીએ સતત મહેનત કરીને 2000 કરોડ રૂપિયાનો બિઝનેસ પોતાના દમ પર ઉભો કર્યો છે.

દાદા અને પિતાનું નામ આગળ વધારવાની જવાબદારી નિભાવી

અનિલ અંબાણીના એક પછી એક બિઝનેસ ડૂબતા ગયા હતા. અનિલ અંબાણીની ચિંતા સતત વધતી રહી છે.જોકે હવે જય અનમોલ તેના પિતા માટે નવેસરથી સામ્રાજ્ય તૈયાર કરી રહ્યો છે. તે તેના પિતા માટે આશાનું કિરણ બની ગયો છે. અંબાણી પરિવારમાં જન્મેલા જય અનમોલ પર તેમના દાદા ધીરુભાઈ અંબાણી અને પિતાના વારસાને આગળ ધપાવવાની જવાબદારી રહી છે પરંતુ તજજ્ઞો અનુસાર તેમની સફર અંબાણી પરિવારના અન્ય લોકોની સરખામણીમાં ઘણી મુશ્કેલ રહી છે.

ઇન્ટર્ન તરીકે કારકિર્દીની શરૂઆત કરી

જય અનમોલે 18 વર્ષની ઉંમરે રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્ટર્ન તરીકે કારકિર્દી શરૂ કરી હતી. વર્ષ 2014 માં તે કંપનીમાં જોડાયો અને ધીમે ધીમે આગળ વધવા લાગ્યો હતો. આ પછી તેઓ રિલાયન્સ નિપ્પોન એસેટ મેનેજમેન્ટ અને રિલાયન્સ હોમ ફાઇનાન્સના બોર્ડ મેમ્બર બન્યા હતા. આ સમય દરમિયાન અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ જે તેના પિતા દ્વારા બનાવવામાં આવ્યું હતું, તે ઘટતા નફા અને વધતા દેવું હેઠળ દબાયેલું હતું. ત્યારબાદ જય અનમોલે ગ્રુપની કમાન સંભાળી અને જાપાનની કંપની નિપ્પોને રિલાયન્સમાં તેનો હિસ્સો વધારવા માટે રાજી કરી હતી. આ સાથે રિલાયન્સ લાઈફ ઈન્સ્યોરન્સ અને રિલાયન્સ કેપિટલ એસેટ મેનેજમેન્ટ કંપનીઓનો જન્મ થયો હતો.

પિતરાઈ ભાઈ અને બહેન ચર્ચામાં રહે છે

સફળ નિર્ણયો સાથે જય અનમોલે તેના વ્યવસાયની નેટવર્થ વધારીને રૂપિયા 2000 કરોડથી વધુ કરી છે. વર્ષ 2022માં તેણે ક્રિશા શાહ સાથે લગ્ન કર્યા હતા. તેના પિતરાઈ ભાઈઓ અને બહેનો અનંત, આકાશ અને ઈશા ભલે હેડલાઈન્સમાં રહે પરંતુ જય અનમોલને સંઘર્ષનો સામનો કરવો પડ્યો છે પિતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે આ યુવાને ઘણી મહેનત કરવી પડી છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">