ફ્યુચર ગ્રૂપને પડ્યા પર પાટુ: પહેલા રિલાયન્સ ડીલ કેન્સલ કરી અને હવે CEOએ આપ્યુ રાજીનામુ

|

May 14, 2022 | 6:57 PM

Future Group: લાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ગયા મહિને ફ્યુચર રિટેલ સાથેનો સંભવિત રૂ. 24,713 કરોડનો સોદો રદ કર્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના લેણદારોએ ડીલની વિરુદ્ધમાં વોટ આપ્યો હતો. સોદો રદ થયા પછી ફ્યુચર રિટેલના ઘણા ટોચના અધિકારીઓએ તેમના હોદ્દા પરથી રાજીનામું આપવાનું શરૂ કર્યું.

ફ્યુચર ગ્રૂપને પડ્યા પર પાટુ: પહેલા રિલાયન્સ ડીલ કેન્સલ કરી અને હવે CEOએ આપ્યુ રાજીનામુ
Future Retail Limited

Follow us on

દેવામાં ડૂબેલા ફ્યુચર રિટેલ ગ્રૂપ (Future Retail Limited)ના ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર (Chief Financial Officer) સીપી તોશનીવાલે 12 મેથી કંપનીમાંથી રાજીનામું આપી દીધું છે. કંપનીના ઘણા મોટા અધિકારીઓના રાજીનામા બાદ હાલમાં જ તોશનીવાલ (CP Toshniwal)નું રાજીનામું આવ્યું છે. હકીકતમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ગયા મહિને ફ્યુચર રિટેલ સાથેનો સંભવિત રૂ. 24,713 કરોડનો સોદો રદ કર્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના લેણદારોએ ડીલની વિરુદ્ધમાં વોટ આપ્યો હતો. સોદો રદ થયા પછી ફ્યુચર રિટેલના ઘણા ટોચના અધિકારીઓએ તેમના હોદ્દા પરથી રાજીનામું આપવાનું શરૂ કર્યું.

ગયા અઠવાડિયે ફ્યુચર રિટેલના મેનેજિંગ ડિરેક્ટર રાકેશ બિયાનીએ ગયા અઠવાડિયે રાજીનામું આપ્યું હતું, જ્યારે ફ્યુચર રિટેલના કંપની સેક્રેટરી સહિત ઘણા એક્ઝિક્યુટિવ્સે અગાઉ રાજીનામું આપ્યું હતું. આ અઠવાડિયે ગુરુવારે કંપનીના પ્રમોટર કિશોર બિયાનીની પુત્રી અશ્ની બિયાનીએ ફ્યુચર કન્ઝ્યુમર લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરના પદ પરથી રાજીનામું આપ્યું હતું. ફ્યુચર કન્ઝ્યુમર લિમિટેડના સ્વતંત્ર ડિરેક્ટર અધિરાજ હરીશે ગયા મહિને પોતાને બોર્ડમાંથી કાઢી મૂક્યા હતા. એપ્રિલમાં ફ્યુચર લાઈફસ્ટાઈલ લિમિટેડના ચેરપર્સન શૈલેષ હરિભક્તિએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું.

ટર્મ 12 મેના રોજ સમાપ્ત થાય છે

ફ્યુચર રિટેલે એક નિયમનકારી નિવેદનમાં જણાવ્યું હતું કે કંપનીના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર CP તોશનીવાલે 12 મે, 2022ના રોજ કામકાજના સમયની સમાપ્તિ સાથે તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. પરિણામે, તે કંપનીના કી મેનેજરીયલ પર્સોનલ (KMP)નું પદ સંભાળવાનું પણ છોડી દેશે. કિશોર બિયાનીની આગેવાની હેઠળની ફ્યુચર ગ્રૂપની ફ્લેગશિપ ફર્મ ફ્યુચર રિટેલ હવે તેના ધિરાણકર્તાઓ દ્વારા નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ સમક્ષ દાખલ કરવામાં આવેલી નાદારીની અરજીનો સામનો કરી રહી છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ફ્યુચર રિટેલનો પણ 19 કંપનીઓમાં સમાવેશ થાય છે

ફ્યુચર રિટેલ લિમિટેડ એ 19 ગ્રૂપ કંપનીઓમાંથી એક છે, જેને રિલાયન્સમાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ કંપની ઓગસ્ટ 2020માં થયેલી ડીલનો ભાગ હતી. રિલાયન્સ સાથેના સોદા હેઠળ ફ્યુચર રિટેલ સહિત ગ્રૂપની 19 કંપનીઓ રિલાયન્સને સોંપવામાં આવી હશે. જોકે એમેઝોનના વિરોધ બાદ આ ડીલ રદ કરવામાં આવી હતી. બેંક ઓફ ઈન્ડિયાએ ફ્યુચર રિટેલ સામે નાદારીની પ્રક્રિયા માટે અપીલ કરી છે. એમેઝોને તેનો વિરોધ કર્યો છે.

Next Article