Patan : ભાટસણમાં અનુસૂચિત જાતિના યુવાનના વરઘોડા પર પથ્થરમારાના કેસમાં 19 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં પાટણ (Patan)જિલ્લાના ભાટસણ ગામે 12 મેના રોજ અનુસૂચિત જાતિના યુવાનના લગ્નપ્રસંગે નિકળેલા વરઘોડામાં પથ્થરમારાના કેસમાં પોલીસે તપાસ હાથ ધરી છે. તેમજ 19 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ગુજરાતમાં પાટણ (Patan)જિલ્લાના ભાટસણ ગામે 12 મેના રોજ અનુસૂચિત જાતિના યુવાનના લગ્નપ્રસંગે નિકળેલા વરઘોડામાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ કેસમાં 19 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં પથ્થરમારા બાદ તંગદીલીભર્યો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની વિગત મુજબ અનુસૂચિત જાતિના વિજય રામજી પરમારના લગ્ન પ્રસંગે ગામમાં ડીજે સાથે વાજતે ગાજતે વરઘોડો નીકળ્યો હતો. આ કેટલાક અસામાજિક તત્વો દ્વારા વરઘોડો પર કરાયેલા પથ્થરમારામાં 5 જેટલા વ્યક્તિઓ ઘાયલ થયા હતા. આ ઘટના પગલે ગામમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા.
તેની બાદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ફરીથી વરઘોડો કાઢવામાં આવ્યો હતો. એક ચર્ચા મુજબ ગામમાં કોઈ પણ સમાજે વરઘોડો નહી કાઢવો એવો ઠરાવ થયેલો છે. આ ઠરાવ હોવા છતા પણ વરઘોડો કાઢવામાં આવતા પથ્થરમારાની ઘટના બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળેલા વરઘોડામાં પણ કેટલાક લોકો જ્ઞાતિ આઘારીત નારા લગાવતા જોવા મળ્યા હતા
જો કે ગામમાં કોઇ અનઇચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તેમજ ત્યારબાદ પોલીસના બંદોબસ્ત વચ્ચે ફરી વરઘોડો નીકળ્યો હતો. જેમાં પોલીસની હાજરી વચ્ચે ફરી વરઘોડો નીકળ્યો હતો. જેમાં છેલ્લા ૮ વર્ષથી ગામમા થયેલ લગ્ન પ્રસંગમાં કોઇ સમાજનો વરઘોડો નીકળ્યો ન હતો.ભાટસણ ગામમાં વર્ષોથી તમામ સમાજે વરઘોડા પર પ્રતિબંઘ મુક્યો હોવાની વાત પણ જાણવા મળી છે. ગામમાં કોઇપણ સમાજે વરઘોડો ન કાઢવો તેવો ઠરાવ વર્ષો પહેલા જ ગામસભામાં કરવામાં આવ્યો હતો. તેમ છતા વરઘોડો નીકળતા ગામમાં સ્થિતિ વણસી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે આખરે અનુસુચિત જાતિના નીકળેલા વરઘોડામાં પણ કેટલાક લોકો જ્ઞાતિ આઘારીત નારા લગાવતા જોવા મળ્યા હતા.
(With Input, Sunil Patel Patan)