AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ALERT: શું જૂની ચલણી નોટ અને સિક્કા તમને લખપતિ બનાવી શકે છે? જાણો મામલે શું કહે છે RBI

રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યું છે કે જૂની નોટો અથવા સિક્કાની ખરીદી વેચાણની બનાવટી ઓફરનો શિકાર ન થવું જોઈએ. હકીકતમાં કેટલાક તકવાદીઓ જુદી જુદી નોટો અને સિક્કાઓની ખરીદી અને વેચાણથી સંબંધિત ઓનલાઇન અને ઓફલાઇન માધ્યમથી છેતરપિંડી દ્વારા સામાન્ય લોકો પાસેથી RBI ના નામે ફી અથવા કમિશનની માંગ કરી રહ્યા છે.

ALERT: શું જૂની ચલણી નોટ અને સિક્કા તમને લખપતિ બનાવી શકે છે? જાણો મામલે શું કહે છે RBI
INDIAN OLD CURRENCY
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2021 | 8:25 AM
Share

હાલના સમયમાં સોશિયલ મીડિયા પર જૂની નોટો અને સિક્કાઓની ખરીદી અને વેચાણ અંગે ઘણા પ્રકારની પોસ્ટ જોવા મળી રહી છે. આ પોસ્ટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે જો તમારી પાસે વિશેષ સિક્કા અથવા નોટ છે તો તમે લાખો રૂપિયા મેળવી શકો છો. RBIએ આવા સમાચારો અંગે એક પ્રકાશન બહાર પાડ્યું છે, લોકોને આ લોભામણી પોસ્ટથી સાવચેત રહેવાની ચેતવણી આપી છે

રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યું છે કે જૂની નોટો અથવા સિક્કાની ખરીદી વેચાણની બનાવટી ઓફરનો શિકાર ન થવું જોઈએ. હકીકતમાં કેટલાક તકવાદીઓ જુદી જુદી નોટો અને સિક્કાઓની ખરીદી અને વેચાણથી સંબંધિત ઓનલાઇન અને ઓફલાઇન માધ્યમથી છેતરપિંડી દ્વારા સામાન્ય લોકો પાસેથી RBI ના નામે ફી અથવા કમિશનની માંગ કરી રહ્યા છે. આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે આવી જાળમાં ફસાવું ન જોઈએ.

RBI એ શું કહ્યું? રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ સ્પષ્ટ કર્યું છે કે તે જૂની નોટો કે સિક્કા વેચવા જેવા કોઈ સોદામાં સામેલ નથી અને કોઈ પણ પ્રકારનું કમિશન કે પૈસા લેતી નથી. કેન્દ્રીય બેંકે એક ટ્વીટ દ્વારા જણાવ્યું છે કે RBIના કોઈ સભ્ય, કર્મચારી કે કંપની કે સંસ્થાને આવા વ્યવહારો માટે સત્તા આપવામાં આવી નથી. ભારતીય રિઝર્વ બેંક સામાન્ય લોકોને સલાહ આપે છે કે આવી નકલી અને છેતરપિંડીની ઓફરની જાળમાં ન ફસાવું નહિ. આ પહેલા પણ સમયાંતરે, આરબીઆઈ ગ્રાહકોને આવી છેતરપિંડીથી બચવા માટે એલર્ટ જારી કરતી રહી છે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે તેણે આવા વ્યવહારોમાં તેના વતી ફી અથવા કમિશન વસૂલવા માટે કોઈ સંસ્થા, ફાર્મ, વ્યક્તિ વગેરેને અધિકૃત નથી કર્યા. કેન્દ્રીય બેંકે સલાહ આપી છે કે આવી છેતરપિંડીની ઓફર દ્વારા નાણાંની ઉચાપત કરવા માટે ભારતીય રિઝર્વ બેંકના નામનો ઉપયોગ કરતા તત્વોનો ભોગ બનવું નહિ.

આ પણ વાંચો : 7th Pay Commission:સરકારી કર્મચારીઓના 18 મહિનાના મોંઘવારી ભથ્થાના એરીયરની સ્થિતિ હજુ સ્પષ્ટ નહિ ? જાણો શું છે સરકારનું વલણ

આ પણ વાંચો :  Petrol-Diesel Price Today : જાણો શું છે પેટ્રોલ ડીઝલની તમારા શહેરમાં કિંમત, કરો એક નજર લેટેસ્ટ રેટ ઉપર

Follow Us
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
પાટણમાં વરઘોડા પર હુમલાનો આરોપ, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત
પાટણમાં વરઘોડા પર હુમલાનો આરોપ, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત
સુરેન્દ્રનગર ખાતે 36 દિવસમાં પુલના પોપડા ઉખડી પડતા ગ્રામજનોમાં રોષ
સુરેન્દ્રનગર ખાતે 36 દિવસમાં પુલના પોપડા ઉખડી પડતા ગ્રામજનોમાં રોષ
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
g clip-path="url(#clip0_868_265)">