એર ઈન્ડિયાના 20 વિમાનોનું ઉડાણ બંધ, દેવાના લીધે કંપનીની વધી શકે છે મુશ્કેલી!
દેવામાં ડુબેલી એર ઈન્ડિયાને તેના 127 વિમાનમાંથી 20 વિમાનનું ઉડાણ મજબુરીથી બંદ કરવુ પડ્યુ છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે કંપનીની પાસે આ વિમાનોના એન્જિનને બદલવા માટે પૂરતાં પૈસા જ નથી. એર ઈન્ડિયા કંપનીને આ વિમાનોના નવા એન્જિન માટે લગભગ 1500 કરોડ રૂપિયાની જરૂરિયાત છે. હાલમાં કોઈ જગ્યાએથી ફંડ મળવાની સંભાવના નથી. તેથી આ વિમાનોની […]
દેવામાં ડુબેલી એર ઈન્ડિયાને તેના 127 વિમાનમાંથી 20 વિમાનનું ઉડાણ મજબુરીથી બંદ કરવુ પડ્યુ છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે કંપનીની પાસે આ વિમાનોના એન્જિનને બદલવા માટે પૂરતાં પૈસા જ નથી.
એર ઈન્ડિયા કંપનીને આ વિમાનોના નવા એન્જિન માટે લગભગ 1500 કરોડ રૂપિયાની જરૂરિયાત છે. હાલમાં કોઈ જગ્યાએથી ફંડ મળવાની સંભાવના નથી. તેથી આ વિમાનોની ઉડાણ પર શંકા છે.
અધિકારીએ કહ્યું કે અમારી પાસે 20 વિમાન એન્જિનની ખરાબીના કારણે છેલ્લા ઘણાં મહિનાથી ઉડાણથી બહાર છે. આ વિમાનોમાં 14 એરબસ A-320, 4 B787-800, અને 2 B777 છે. એરલાઈન છેલ્લા વર્ષથી નવા એન્જિનની સાથે આ વિમાનોને ઉડાનમાં લાવવાના પ્રયત્ન કરી રહી છે પણ ફંડ ના હોવાને લીધે ઉડાણની સંભાવના ઓછી છે.
આ પણ વાંચો: પોતાને જનોઈધારી ઘોષિત કરનાર અને મંદિર-મંદિર ફરનારા રાહુલ ગાંધી પર મોટી આફત
ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં એરલાઈનના પાયલટોના એક સંગઠનને આરોપ લગાવ્યો હતો કે કંપનીના 19 વિમાનો ઉડાણથી બહાર છે. તેનાથી એરલાઈન્સને નુકસાન થઈ રહ્યું છે. ચેરમેન પ્રદીપ સિંહ ખરોલાએ કહ્યું કે નિયમિત જાળવણીને ધ્યાનમાં રાખીને આ વિમાન ઉડાન નથી ભરી રહ્યાં. ખરોલા અત્યારે ઉડ્ડયન સચિવ છે. અધિકારીએ કહ્યું કે એરલાઈન્સ જેટ એરવેઝના 200 કેબિન ક્રુની નિમણુંક કરવાની યોજના બનાવી રહી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]