AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ethanol Price: પેટ્રોલ અને CNG બાદ હવે દેશમાં ખુલશે ઈથેનોલ પંપ, આ રીતે બચશે તમારી મહેનતની કમાણી

તમારા ડ્રાઇવિંગ ખર્ચમાં ટૂંક સમયમાં ઘટાડો થવાનો છે. આ માટે સરકારે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. દેશમાં ઈથેનોલ પંપ બહુ જલ્દી ખુલવા જઈ રહ્યા છે. જાણો કેવી રીતે તમારી મહેનતના પૈસા બચવા લાગશે.

Ethanol Price: પેટ્રોલ અને CNG બાદ હવે દેશમાં ખુલશે ઈથેનોલ પંપ, આ રીતે બચશે તમારી મહેનતની કમાણી
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2023 | 9:43 AM
Share

Ethanol:  પેટ્રોલ, CNG અને ડીઝલ બાદ હવે દેશમાં ઇથેનોલનો વારો છે. જી હા, સરકાર હવે પેટ્રોલ પંપની જેમ દેશભરમાં ઇથેનોલ પંપ ખોલવાની તૈયારી કરી રહી છે. તો શું તમે હવે તમારા વાહનોમાં પેટ્રોલને બદલે સીધું ઇથેનોલ નાખી શકશો? અથવા સરકાર પેટ્રોલ અને ડીઝલમાં ઇથેનોલ મિક્સ કરીને વેચશે. આવો જાણીએ શું છે આ સંપૂર્ણ પ્લાન.

આ પણ વાંચો: ઇથેનોલ શું છે? પેટ્રોલના વિકલ્પ તરીકે તેનો ઉપયોગ કરવા પર કેમ ભાર મૂકવામાં આવી રહ્યો છે?

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટ કર્યું છે કે પેટ્રોલ અને CNGની જેમ હવે દેશભરમાં ઇથેનોલ પંપ ખોલવામાં આવશે. એટલે કે, જેમ તમે હવે તમારી કારમાં પેટ્રોલ ભરો છો, તે જ રીતે તમે ઇથેનોલ પણ ભરી શકશો. આટલું જ નહીં, અત્યાર સુધી દેશમાં માત્ર પેટ્રોલમાં ઇથેનોલ મિક્સ કરીને જ વેચાય છે, હવે સરકાર ડીઝલમાં પણ 15 ટકા ઇથેનોલ મિક્સ કરવાની તૈયારી કરી રહી છે. જેથી ટ્રકોથી ફેલાતું પ્રદુષણ ઘટે અને વાહનવ્યવહારનો ખર્ચ પણ ઓછો થાય.

ઇથેનોલ પંપ ખોલવાની તૈયારી

નીતિન ગડકરી લાંબા સમયથી દેશમાં ઇથેનોલ પંપ ખોલવાની યોજના પર કામ કરી રહ્યા છે. હવે તે વેગ પકડી રહ્યો હોવાનું જણાય છે. તેનું કારણ છે તાજેતરમાં ટોયોટા કંપની દ્વારા લૉન્ચ કરવામાં આવેલી ફ્લેક્સ ફ્યુઅલ કાર. તે 85 ટકા ઇથેનોલ અને 15 ટકા પેટ્રોલના મિશ્રણ પર ચાલે છે. જ્યારે તેને 100 ટકા ઇથેનોલ પર ચલાવવા માટે પરીક્ષણો ચાલી રહ્યા છે. જો કે, હાલમાં ઇથેનોલ સામાન્ય પેટ્રોલ અથવા ડીઝલ વાહનોમાં સીધું મીક્સ કરી શકાશે નહીં, પરંતુ ઇથેનોલ મિક્સ પેટ્રોલ અને ડીઝલ જે ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે તે નાખી શકાય છે.

આ રીતે ઇથેનોલ તમારા પૈસા બચાવશે

ઇથેનોલ પેટ્રોલ કરતાં ઘણું સસ્તું છે. હાલમાં દેશમાં પેટ્રોલની કિંમત 100થી 110 રૂપિયા પ્રતિ લીટરની આસપાસ છે. જ્યારે ઇથેનોલની કિંમત લગભગ 60 રૂપિયા પ્રતિ લિટર હશે. તે જ સમયે, જ્યારે ઇથેનોલ પંપને કારણે તેનું વેચાણ વધશે, ત્યારે તેની કિંમત વધુ ઘટશે, કારણ કે તેના ઉત્પાદન માટે આપણે OPEC+ જેવા દેશોના નિર્ણયો પર નિર્ભર નહીં રહીએ.

જો કે, તે પેટ્રોલ કરતાં નજીવી રીતે ઓછી પાવર જનરેટ કરે છે. સમજી શકાય છે કે જો તમારી કાર 1 લીટર પેટ્રોલમાં 10 કિમી ચાલે છે તો તે 1 લીટર ઇથેનોલમાં માત્ર 8 કિમી જશે. તેમ છતાં, ઇથેનોલ પર ચાલતી કારની કિંમત પેટ્રોલની તુલનામાં વર્તમાન કિંમત કરતાં લગભગ 35 ટકા ઓછી હશે અને પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ કરશે.

આવી સ્થિતિમાં, જો પેટ્રોલ પર તમારો ખર્ચ હાલમાં 100 રૂપિયા છે, જ્યારે ઇથેનોલ લોકપ્રિય થશે ત્યારે પેટ્રોલ ઘટીને 65થી 75 રૂપિયા થઈ જશે. આ ગણતરીમાં ઇથેનોલનો થોડો વધારે વપરાશ પણ સામેલ કરવામાં આવ્યો છે.

જનરેટર અને પંપ ઇથેનોલ પર ચાલશે

નીતિન ગડકરીએ તાજેતરમાં કહ્યું હતું કે દેશમાં હવે ઇથેનોલથી ચાલતા જનરેટર વિકસાવવામાં આવ્યા છે. આ રીતે દર વર્ષે 4.5 હજાર કરોડ લિટર ડીઝલના વપરાશમાં ઘટાડો થઈ શકે છે. આનાથી વ્યવસાયોના ખર્ચને ઘટાડવામાં પણ મદદ મળશે. જ્યાં એક તરફ તે ઇથેનોલથી જનરેટર અને વોટર પંપ ચલાવીને ખેડૂતોનો ખર્ચ બચાવશે, તો બીજી તરફ તે પોતાના પાકના કચરાનો ઉપયોગ ઇથેનોલ બનાવવા માટે કરશે, જેનાથી તેમની આવકમાં પણ વધારો થશે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">