Adani Wilmar IPO : ગૌતમ અદાણી લાવી રહ્યા છે 4500 કરોડનો IPO , સેબીમાં દસ્તાવેજ સબમિટ કર્યા

DRHP વિશે પ્રાપ્ત થતી માહિતી અનુસાર કંપની આ ભંડોળનો ઉપયોગ મૂડી ખર્ચ માટે કરશે. આ ઉપરાંત ખાદ્ય ઉત્પાદન ક્ષમતા વિસ્તૃત કરવામાં આવશે અને દેવું ચૂકવવામાં આવશે. આ સાથે કંપની તેની યોજના અનુસાર વ્યૂહાત્મક રીતે સંપાદનની પ્રક્રિયા સાથે પણ આગળ વધશે.

Adani Wilmar IPO : ગૌતમ અદાણી લાવી રહ્યા છે 4500 કરોડનો IPO , સેબીમાં દસ્તાવેજ સબમિટ  કર્યા
Gautam Adani (chairman and founder of the Adani Group)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2021 | 8:57 AM

Adani Wilmar 4500 crore IPO: થોડા સમયથી સતત સમાચાર આવી રહ્યા તા કે ગૌતમ અદાણીની વધુ એક કંપની શેરબજારમાં લિસ્ટ થવા જઈ રહી છે.એક મીડિયા રિપોર્ટ અનુસાર અદાણી વિલમારે 4500 કરોડના આઈપીઓ માટે સેબીમાં પોતાનો ડીઆરએચપી જમા કરાવ્યો છે. આ એક સંપૂર્ણપણે ફ્રેશ ઈશ્યુ હશે. DRHP એ એક દસ્તાવેજ છે જેમાં કંપની વર્ણવે છે કે તે IPO દ્વારા મેળવેલા ભંડોળનો ઉપયોગ કેવી રીતે કરશે અને આ કંપનીનું ભવિષ્ય દર્શાવે છે.

DRHP વિશે પ્રાપ્ત થતી માહિતી અનુસાર કંપની આ ભંડોળનો ઉપયોગ મૂડી ખર્ચ માટે કરશે. આ ઉપરાંત ખાદ્ય ઉત્પાદન ક્ષમતા વિસ્તૃત કરવામાં આવશે અને દેવું ચૂકવવામાં આવશે. આ સાથે કંપની તેની યોજના અનુસાર વ્યૂહાત્મક રીતે સંપાદનની પ્રક્રિયા સાથે પણ આગળ વધશે. અદાણી વિલ્મર પાસે ફંડ કંપની અંગે મોટી યોજના છે. કંપનીની યોજના અનુસાર અદાણી વિલ્મર 2027 સુધીમાં ભારતની સૌથી મોટી ફૂડ કંપની બનશે.

કંપનીની વેલ્યુએશ 45 હજાર કરોડ સુધી થઇ શકે છે આ IPO માટે કંપની તેનું મૂલ્ય 37,500-45,000 કરોડ રૂપિયા ઈચ્છે છે. અદાણી એન્ટરપ્રાઇઝ અદાણી વિલમારમાં 50 ટકા હિસ્સો ધરાવે છે. તદનુસાર ગૌતમ અદાણીના હિસ્સાની વેલ્યુ 18,750-22,500 કરોડની વચ્ચે થઇ શકે છે. નાણાંકીય વર્ષ 2020-21માં અદાણી વિલમારની નેટવર્થ 3298 કરોડ હતી. તેણે વાર્ષિક ધોરણે 28 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. તે નાણાકીય વર્ષમાં કંપનીનો નફો 727 કરોડ હતો. વાર્ષિક ધોરણે નફામાં 58 ટકાનો ઉછાળો હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

કંપનીના મુખ્ય ઉત્પાદનો અદાણી વિલ્મરની ખાદ્યતેલમાં ઘણી પ્રોડક્ટ્સ છે. ફોર્ચ્યુન ઓઈલ ઘણું પ્રિય છે. આ સિવાય, કંપની ચોખા, સોયાબીન, ચણાનો લોટ, કઠોળ, શાકભાજી, ખીચડી, સાબુ, લોટ, ખાંડ સહિતનું ઉત્પાદન કરે છે. મોટાભાગના ઉત્પાદનો ફોર્ચ્યુન બ્રાન્ડ નામ હેઠળ આવે છે.

કંપનીની સ્થાપના 1999 માં થઈ હતી અદાણી વિલ્મારનું સૌથી લોકપ્રિય ઉત્પાદન ‘ફોર્ચ્યુન’ છે. આ કંપનીની સ્થાપના 1999 માં અદાણી ગ્રુપ અને સિંગાપોર સ્થિત વિલ્માર કંપની સાથે સંયુક્ત સાહસમાં કરવામાં આવી હતી. વિલ્માર ગ્રુપનો વ્યવસાય મુખ્યત્વે કૃષિ છે.

ભારતમાં સૌથી મોટું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક અદાણી વિલમારની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર ખાદ્યતેલ બજારમાં તે દેશમાં સૌથી મોટું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ધરાવે છે. દેશભરમાં તેના 85 સ્ટોક પોઈન્ટ અને 5000 ડિસ્ટ્રીબ્યુટર છે. છૂટક બજારમાં તેનો હિસ્સો લગભગ 10 ટકા છે. તેનું ઉત્પાદન દેશભરમાં લગભગ 15 લાખ રિટેલ આઉટલેટ્સ પર ઉપલબ્ધ છે. સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કંપનીએ ખાસ ઓઇલ રાઇસ બ્રાન અને વિવો લોન્ચ કર્યા છે. કંપનીની અન્ય ખાદ્યતેલ બ્રાન્ડ રૂપચંદા બાંગ્લાદેશમાં માર્કેટ લીડર છે. કંપની પાસે ત્યાં બે મોટી રિફાઇનરીઓ પણ છે.

આ પણ વાંચો : IPO : આજે 4 કંપનીઓ લાવી રહી છે રોકાણ માટેની તક, IPO માં Invest કરતા પહેલા જાણો યોજનાઓ વિશે વિગતવાર

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">