અદાણી સામે હિંડનબર્ગના આરોપમાં કેટલું તથ્ય? આજે સુપ્રીમકોર્ટ આપશે ચુકાદો

અદાણી સામે હિંડનબર્ગના આરોપમાં કેટલું તથ્ય? આજે સુપ્રીમકોર્ટ આપશે ચુકાદો

| Edited By: | Updated on: Jan 19, 2024 | 11:56 AM

Adani-Hindenburg case: હિંડનબર્ગ રિપોર્ટ અંગે અદાણી ગ્રુપના કેસમાં સુપ્રીમ કોર્ટ આજે 3 જાન્યુઆરીએ પોતાનો ચુકાદો આપી શકે છે. આ કેસ હિંડનબર્ગ દ્વારા કરવામાં આવેલા આરોપો સાથે સંબંધિત છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી.

હિંડનબર્ગ રિપોર્ટ અંગે અદાણી ગ્રુપના કેસમાં સુપ્રીમ કોર્ટ આજે 3 જાન્યુઆરીએ પોતાનો ચુકાદો આપી શકે છે. આ કેસ હિંડનબર્ગ દ્વારા કરવામાં આવેલા આરોપો સાથે સંબંધિત છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી.

કેસ સંદર્ભે કોર્ટે સેબીને તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. સેબીએ કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યા બાદ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

મામલો સુપ્રીમ કોર્ટમાં  પહોંચ્યો હતો

નવેમ્બર 2023માં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે હિંડનબર્ગ રિપોર્ટમાં અદાણી ગ્રૂપ સામેના આરોપોની તપાસ કરી રહેલી માર્કેટ રેગ્યુલેટર સેબી પર શંકા કરવાનું કોઈ કારણ રહેતું નથી. કોર્ટે કહ્યું કે માર્કેટ રેગ્યુલેટરની તપાસ પર અવિશ્વાસ કરવાનો ઇન્કાર કર્યો હતો. આ સાથે, સર્વોચ્ચ અદાલતે કહ્યું કે તે હિંડનબર્ગ રિપોર્ટમાં કરવામાં આવેલા દાવાઓને સંપૂર્ણ રીતે તથ્યો પર આધારિત ન હોવાનું તારણ પણ વ્યક્ત કર્યું છે. ખંડપીઠે કહ્યું કે તેની સમક્ષ તથ્યોની ગેરહાજરીમાં પોતાના સ્તરે વિશેષ તપાસ ટીમ (એસઆઈટી) ની રચના કરવી યોગ્ય રહેશે નહીં.

એક કમિટી પણ બનાવવામાં આવી હતી

સર્વોચ્ચ અદાલત દ્વારા રચાયેલી નિષ્ણાત સમિતિએ મે મહિનામાં વચગાળાના અહેવાલમાં જણાવ્યું હતું કે તેને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપનીઓમાં ગેરરીતિના કોઈ સ્પષ્ટ પુરાવા સામે આવ્યા નથી વધુમાં ઉમેર્યું હતું કે આ મામલે કોઈ નિયમનકારી નિષ્ફળતાઓ જોવા મળી નથી. જોકે, સમિતિએ નોંધ્યું હતું કે 2014 અને 2019 ની વચ્ચે સેબી દ્વારા કરવામાં આવેલા અનેક સુધારાઓ દ્વારા તેની તપાસ કરવાની ક્ષમતામાં અવરોધ ઊભો થયો હતો અને કહ્યું હતું કે વિદેશી કંપનીઓમાંથી આવતા રોકાણોમાં કથિત ઉલ્લંઘનની તપાસમાં કંઈ મળ્યું નથી.

સમગ્ર મામલો શું છે?

જાન્યુઆરી 2023માં અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગે અદાણી ગ્રુપને લઈને એક રિપોર્ટ જાહેર કર્યો હતો. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે અદાણી ગ્રુપના શેરમાં શેલ કંપનીઓ દ્વારા હેરાફેરી કરવામાં આવે છે. આ સિવાય કોર્પોરેટ ગવર્નન્સ અને ડેટ સહિતના નિયમોના ઉલ્લંઘનને લગતા ઘણા ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. અદાણી ગ્રુપ દ્વારા આ પ્રશ્નોની સ્પષ્ટતા કરવામાં આવી હતી પરંતુ તેમ છતાં ગ્રુપના શેર ખરાબ રીતે તૂટ્યા હતા. તે જ સમયે, ગૌતમ અદાણીની વ્યક્તિગત સંપત્તિમાં મોટો ઘટાડો થયો હતો.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published on: Jan 03, 2024 07:34 AM