AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NPSને લઈને નિયમોમાં ફેરફાર, હવે નહીં ચૂકવવો પડે આ ચાર્જ, પેન્શન ઉપાડવાનો નિયમ બન્યો સરળ

PFRDA એ NPSમાંથી બહાર નીકળવાની પ્રક્રિયા અંગે સ્પષ્ટતા આપી છે. નિયમનકારી સંસ્થા કહે છે કે સબસ્ક્રાઇબર આ સ્કીમમાંથી બહાર નીકળી શકે છે અને કોઈપણ સલામ સ્કીમ પસંદ કરી શકે છે.

NPSને લઈને નિયમોમાં ફેરફાર, હવે નહીં ચૂકવવો પડે આ ચાર્જ, પેન્શન ઉપાડવાનો નિયમ બન્યો સરળ
NPS
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2023 | 9:13 PM
Share

પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) એ NPS એટલે કે નેશનલ પેન્શન સ્કીમમાંથી બહાર નીકળવાના નિયમોને સરળ બનાવવા માટે 27 જુલાઈ 2023ના રોજ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. તેનાથી NPSના કરોડો સબસ્ક્રાઇબર્સને ફાયદો થશે. જાહેર કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે હવે NPS સબસ્ક્રાઈબર્સ પેન્શન ફંડમાંથી બહાર નીકળીને કોઈપણ વાર્ષિક સ્કીમ પસંદ કરી શકે છે. સૌથી મોટી વાત એ છે કે આ માટે સબસ્ક્રાઇબર્સ પાસેથી કોઈ ફી લેવામાં આવશે નહીં.

આ પણ વાંચો : NPS ગ્રાહકો માટે 1 જાન્યુઆરીથી બદલશે આ નિયમ, ગ્રાહકો માટે સુવિધા થશે બંધ

જો કોઈ આ પેન્શન સ્કીમ છોડીને બહાર નીકળવા માંગે છે, તો તે સરળતાથી કરી શકે છે. PFRDAએ લોકોની સુવિધા માટે નિયમોને વધુ સરળ બનાવ્યા છે. PFRDAએ સરકાર, POP અને નેશનલ પેન્શન સિસ્ટમ ટ્રસ્ટના નોડલ ઓફિસરોને NPS સબસ્ક્રાઇબર્સને તેમની જરૂરિયાતો અનુસાર સ્કીમ પસંદ કરવામાં મદદ કરવાનો આદેશ આપ્યો છે.  જેથી કરીને તેમને આગળ કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

ચાર્જ લાગશે નહીં

PFRDAએ કહ્યું છે કે ગ્રાહકો કોઈપણ પ્રકારની વાર્ષિક સેવા પસંદ કરી શકે છે અને તેના માટે તેમણે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. નિયમનકારે કહ્યું છે કે સબસ્ક્રાઇબર્સ પહેલાથી જ સરકારને ટેક્સ ચૂકવી રહ્યા છે, તેથી તેમની પાસેથી કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં. વીમા કંપનીઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ સબસ્ક્રાઈબર પાસેથી માત્ર પ્રીમિયમની રકમ જ લઈ શકે છે. આ સિવાય અન્ય કોઈપણ પ્રકારની ફી માટે તેમના પર દબાણ ન કરવું જોઈએ.

NPS એક્ઝિટ નિયમ

PFRDAના નિયમો અનુસાર, જો સબસ્ક્રાઇબર દ્વારા NPSમાં જમા કરવામાં આવેલી રકમ અને કુલ વ્યાજ 5 લાખ રૂપિયાથી ઓછું હોય, તો તે આખી રકમ એકસાથે ઉપાડી શકે છે. જો આ વધી જાય તો 40 ટકા રકમ પેન્શન માટે રાખવામાં આવશે અને 60 ટકા રકમ એકસાથે ઉપાડી શકાશે. 40% રકમ પેન્શન પ્લાન ખરીદવા માટે વપરાય છે. જો સબસ્ક્રાઇબર 60 વર્ષની ઉંમર પહેલા પેન્શન પ્લાન ખરીદવા માંગે છે, તો તેણે કોર્પસના ઓછામાં ઓછા 80 ટકાનો ઉપયોગ કરવો પડશે.

બિઝનેસના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">