AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NPSને લઈને નિયમોમાં ફેરફાર, હવે નહીં ચૂકવવો પડે આ ચાર્જ, પેન્શન ઉપાડવાનો નિયમ બન્યો સરળ

PFRDA એ NPSમાંથી બહાર નીકળવાની પ્રક્રિયા અંગે સ્પષ્ટતા આપી છે. નિયમનકારી સંસ્થા કહે છે કે સબસ્ક્રાઇબર આ સ્કીમમાંથી બહાર નીકળી શકે છે અને કોઈપણ સલામ સ્કીમ પસંદ કરી શકે છે.

NPSને લઈને નિયમોમાં ફેરફાર, હવે નહીં ચૂકવવો પડે આ ચાર્જ, પેન્શન ઉપાડવાનો નિયમ બન્યો સરળ
NPS
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2023 | 9:13 PM
Share

પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) એ NPS એટલે કે નેશનલ પેન્શન સ્કીમમાંથી બહાર નીકળવાના નિયમોને સરળ બનાવવા માટે 27 જુલાઈ 2023ના રોજ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. તેનાથી NPSના કરોડો સબસ્ક્રાઇબર્સને ફાયદો થશે. જાહેર કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે હવે NPS સબસ્ક્રાઈબર્સ પેન્શન ફંડમાંથી બહાર નીકળીને કોઈપણ વાર્ષિક સ્કીમ પસંદ કરી શકે છે. સૌથી મોટી વાત એ છે કે આ માટે સબસ્ક્રાઇબર્સ પાસેથી કોઈ ફી લેવામાં આવશે નહીં.

આ પણ વાંચો : NPS ગ્રાહકો માટે 1 જાન્યુઆરીથી બદલશે આ નિયમ, ગ્રાહકો માટે સુવિધા થશે બંધ

જો કોઈ આ પેન્શન સ્કીમ છોડીને બહાર નીકળવા માંગે છે, તો તે સરળતાથી કરી શકે છે. PFRDAએ લોકોની સુવિધા માટે નિયમોને વધુ સરળ બનાવ્યા છે. PFRDAએ સરકાર, POP અને નેશનલ પેન્શન સિસ્ટમ ટ્રસ્ટના નોડલ ઓફિસરોને NPS સબસ્ક્રાઇબર્સને તેમની જરૂરિયાતો અનુસાર સ્કીમ પસંદ કરવામાં મદદ કરવાનો આદેશ આપ્યો છે.  જેથી કરીને તેમને આગળ કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

ચાર્જ લાગશે નહીં

PFRDAએ કહ્યું છે કે ગ્રાહકો કોઈપણ પ્રકારની વાર્ષિક સેવા પસંદ કરી શકે છે અને તેના માટે તેમણે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. નિયમનકારે કહ્યું છે કે સબસ્ક્રાઇબર્સ પહેલાથી જ સરકારને ટેક્સ ચૂકવી રહ્યા છે, તેથી તેમની પાસેથી કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં. વીમા કંપનીઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ સબસ્ક્રાઈબર પાસેથી માત્ર પ્રીમિયમની રકમ જ લઈ શકે છે. આ સિવાય અન્ય કોઈપણ પ્રકારની ફી માટે તેમના પર દબાણ ન કરવું જોઈએ.

NPS એક્ઝિટ નિયમ

PFRDAના નિયમો અનુસાર, જો સબસ્ક્રાઇબર દ્વારા NPSમાં જમા કરવામાં આવેલી રકમ અને કુલ વ્યાજ 5 લાખ રૂપિયાથી ઓછું હોય, તો તે આખી રકમ એકસાથે ઉપાડી શકે છે. જો આ વધી જાય તો 40 ટકા રકમ પેન્શન માટે રાખવામાં આવશે અને 60 ટકા રકમ એકસાથે ઉપાડી શકાશે. 40% રકમ પેન્શન પ્લાન ખરીદવા માટે વપરાય છે. જો સબસ્ક્રાઇબર 60 વર્ષની ઉંમર પહેલા પેન્શન પ્લાન ખરીદવા માંગે છે, તો તેણે કોર્પસના ઓછામાં ઓછા 80 ટકાનો ઉપયોગ કરવો પડશે.

બિઝનેસના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
g clip-path="url(#clip0_868_265)">