AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હજુ પણ 10,000 કરોડના મૂલ્યની 2000ની ચલણી નોટ પાછી નથી આવીઃ આરબીઆઈ

ભારતીય રિઝર્વ બેંકે આ વર્ષે 19 મેના રોજ, ₹2000ની નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. જો કે, આ વખતનું ડિમોનેટાઇઝેશન 2016 કરતા તદ્દન અલગ હતું. તે સમયે દેશમાં રૂ.500 અને રૂ.1000ની નોટોનું લીગલ ટેન્ડર નાબૂદ કરવામાં આવ્યું હતું, પરંતુ આ વખતે રૂ.2000ની નોટોનું લીગલ ટેન્ડર યથાવત રાખવામાં આવ્યું હતું.

હજુ પણ 10,000 કરોડના મૂલ્યની 2000ની ચલણી નોટ પાછી નથી આવીઃ આરબીઆઈ
2000 રૂપિયાની ચલણી નોટ
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2023 | 8:21 PM
Share

દેશમાંથી રૂપિયા 2000ની ચલણી નોટ, ચલણમાંથી પરત ખેંચી લેવામાં આવી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ પરત ખેંચાયેલી રૂપિયા 2000ની ચલણી નોટ બદલવા માટે, લોકોને 7 ઓક્ટોબર સુધીનો સમય આપ્યો હતો. આ સમયગાળામાં રૂપિયા 2000ની 97 ટકા નોટો પરત આવી ગઈ છે. રૂપિયા 2000ની ચલણી નોટ પરત ખેચવાનું રૂપિયા 500-1000ની નોટબંધી જેવું નથી, જે 8 વર્ષ પહેલાં 500 અને 1000ની ચલણી નોટ બંધ કરી દેવામાં આવી હતી. તે સમયે રૂપિયા પ્રતિબંધિત કરાયેલ 500 અને 1000ની 99 % નોટો પાછી આવી ગઈ હતી.

ભારતીય ચલણમાંથી પાછી ખેંચી લેવાયેલ ₹2000ની 97 ટકાથી વધુ ચલણી નોટો ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ને પાછી મળી ગઈ છે. જો કે 2016 માં કરાયેલ નોટબંધીના સમય જેવું નથી. એ સમયે ચલણમાંથી પ્રતિબંધિત ઠરાવેલ રૂપિયા 500 અને 1000 રૂપિયાની લગભગ 99 ટકા ચલણી નોટો, બેંક મારફતે આરબીઆઈ પાસે પાછી આવી ઘઈ હતી. RBIએ આજે બુધવારે ₹2000ની ચલણી નોટ સંબંધિત વિગતો જાહેર કરી હતી. ભારતીય રિઝર્વ બેંકે પહેલા લોકોને રૂપિયા 2000ની ચલણી નોટ બદલવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો હતો. ત્યાર બાદમાં તે વધારીને 7 ઓક્ટોબર સુધી લંબાવી દેવામાં આવ્યો હતો.

ભારતીય રિઝર્વ બેંકે આ વર્ષે 19 મેના રોજ, ₹2000ની નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. જો કે, આ વખતનું ડિમોનેટાઇઝેશન 2016 કરતા તદ્દન અલગ હતું. તે સમયે દેશમાં રૂ.500 અને રૂ.1000ની નોટોનું લીગલ ટેન્ડર નાબૂદ કરવામાં આવ્યું હતું, પરંતુ આ વખતે રૂ.2000ની નોટોનું લીગલ ટેન્ડર યથાવત રાખવામાં આવ્યું હતું.

લોકો પાસે હજુ પણ છે 2000ની નોટ

ભારતીય રિઝર્વ બેંકે કહ્યું કે સામાન્ય લોકો પાસે હજુ પણ ₹2000ના મૂલ્યની ₹10,000 કરોડની નોટો રહેલી છે. આ ચલણી નોટો હજુ પણ બેંકોની સિસ્ટમમાં પાછી આવી નથી. જ્યારે 19 મેના રોજ ₹2000ની નોટોના વિમુદ્રીકરણની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે ₹2000 ની કુલ ₹3.56 લાખની 2000ના ચલણની નોટો ચલણમાં હતી. હવે 31 ઓક્ટોબર, 2023ના રોજ બજારમાં માત્ર 10,000 કરોડ રૂપિયાની નોટો બચી છે.

પોસ્ટ દ્વારા હજુ પણ નોટ પરત કરી શકાશે

જો તમારી પાસે હજુ પણ ₹2000ની ચલણી નોટ બાકી રહી ગઈ હોય, તો તમે તેને બદલી શકો છો. આરબીઆઈએ બેંકો દ્વારા ₹ 2000 ની નોટ સ્વીકારવાનું બંધ કરી દીધું છે. પરંતુ 2000ની ચલણી નોટો હજુ પણ સમગ્ર દેશમાં આરબીઆઈની પ્રાદેશિક કચેરીઓમાં બદલી શકાય છે. દેશના વિવિધ ભાગોમાં 19 સ્થળોએ આરબીઆઈની ઓફિસ છે, જ્યાં આ નોટો બદલી શકાય છે.

એટલું જ નહીં, તમારી પાસે બાકી રહી ગયેલી ₹ 2000 ની ચલણી નોટોને પોસ્ટ દ્વારા આ RBI ઓફિસમાં મોકલીને જમા પણ કરાવી શકો છો. તમારે રૂપિયા 2000ની ચલણી નોટની સાથે તમારી બેંકની વિગતો મોકલવાની રહેશ. જ્યાં RBIને પોસ્ટ દ્વારા મોકલવામાં આવેલી ₹ 2000ની નોટ પ્રાપ્ત થયા પછી, તે રકમ, તમે દર્શાવેલ બેંકના તમારા ખાતામાં જમા કરવામાં આવશે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
g clip-path="url(#clip0_868_265)">