AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2022 ને CM અશોક ગેહલોતે ઉદ્યોગપતિઓના ખિસ્સા ભરનાર ગણાવ્યું, કહ્યું- સામાન્ય માણસ માટે કોઈ જાહેરાત કરવામાં આવી નથી

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે (CM Ashok Gehlot) કેન્દ્રીય બજેટને મોંઘવારીજનક ગણાવ્યું છે, જે ઉદ્યોગપતિઓના ખિસ્સા ભરે છે અને સામાન્ય માણસ, ખેડૂત અને મજૂરોના ખિસ્સા ખાલી કરે છે.

Budget 2022 ને CM અશોક ગેહલોતે ઉદ્યોગપતિઓના ખિસ્સા ભરનાર ગણાવ્યું, કહ્યું- સામાન્ય માણસ માટે કોઈ જાહેરાત કરવામાં આવી નથી
Rajasthan CM Ashok Gehlot - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2022 | 5:00 PM
Share

દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitharaman) મંગળવારે નાણાકીય વર્ષ 2022-23 માટે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ ચોથું બજેટ છે, જે કોરોના મહામારીના ત્રીજી લહેર અને પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા રજૂ કરવામાં આવ્યું છે. બજેટ રજૂ થયા બાદ સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષો તરફથી અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. આ ક્રમમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે (CM Ashok Gehlot) કેન્દ્રીય બજેટને મોંઘવારીજનક ગણાવ્યું છે, જે ઉદ્યોગપતિઓના ખિસ્સા ભરે છે અને સામાન્ય માણસ, ખેડૂત અને મજૂરોના ખિસ્સા ખાલી કરે છે.

સીએમ ગેહલોતે ટ્વીટ કર્યું કે, છેલ્લા 7 વર્ષમાં કેન્દ્રની રાજકોષીય ખાધ બમણી થઈ ગઈ છે અને આ બજેટ પછી આ ખાધ વધુ વધવાની છે. ખેડૂતો, સામાન્ય માણસ, ગરીબ, મહિલાઓ અને વંચિત વર્ગ માટે બજેટમાં કોઈ ખાસ જોગવાઈ નથી.

ગેહલોતે વધુમાં જણાવ્યું હતું કે, બજેટમાં રોજગારીના નવા આંકડા રજૂ કરવામાં આવ્યા છે, પરંતુ સરકારનો કોઈ નક્કર એક્શન પ્લાન દેખાતો નથી અને તેનું ભાવિ પણ પ્રતિવર્ષ 2 કરોડ નોકરીના વચન જેવું જ હશે. CMએ કહ્યું કે આ બજેટ મોંઘવારી વધારવાનું, ઉદ્યોગપતિઓના ખિસ્સા ભરવાનું અને સામાન્ય માણસ, ખેડૂત અને મજૂરનાં ખિસ્સા ખાલી કરવાનું બજેટ સાબિત થશે.

બજેટથી રાજસ્થાનના નાગરિકો સંપૂર્ણપણે નિરાશઃ ગેહલોત

તેમણે કહ્યું કે આ બજેટથી NDAને 25 સાંસદો આપનાર રાજસ્થાનના નાગરિકો સંપૂર્ણપણે નિરાશ થયા છે. ગેહલોતે બજેટમાં કરેલી જાહેરાતો પર કહ્યું કે ERCPને રાષ્ટ્રીય પ્રોજેક્ટનો દરજ્જો, જલ જીવન મિશનમાં કેન્દ્ર રાજ્યનો 90:10 ખર્ચ, જેસલમેર-કંડલા રેલવે લાઇન અને ગુલાબપુરામાં મેમુ કોચની સ્થાપના જેવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

અહીં રાજસ્થાન કોંગ્રેસના પ્રમુખ ગોવિંદ સિંહ ડોટાસરાએ બજેટને નિરાશાજનક ગણાવતા કહ્યું કે આ બજેટ સામાન્ય માણસને ફાયદો પહોંચાડનાર નથી અને ખાસ કરીને યુવાનો અને ખેડૂતો માટે નિરાશાજનક બજેટ છે. ગોવિંદ સિંહે જણાવ્યું હતું કે, મોંઘવારી ઘટાડવા માટે કોઈ પગલું ભરવામાં આવ્યું નથી અને કેન્દ્ર સરકારે બજેટમાં માત્ર ઉદ્યોગપતિઓની જ કાળજી લીધી છે.

આ પણ વાંચો : Budget 2022: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- આ બજેટથી ગરીબોને ફાયદો થશે, જીવનના દરેક ક્ષેત્રને આધુનિક બનાવશે

આ પણ વાંચો : Budget 2022: કોઈએ કહ્યું દૂરંદેશી તો કેટલાકે સર્વસમાવેશક, જાણો સરકારના બજેટ પર અમિત શાહ સહિત શાસક પક્ષના નેતાઓનો અભિપ્રાય

શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
g clip-path="url(#clip0_868_265)">