AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2022 ને CM અશોક ગેહલોતે ઉદ્યોગપતિઓના ખિસ્સા ભરનાર ગણાવ્યું, કહ્યું- સામાન્ય માણસ માટે કોઈ જાહેરાત કરવામાં આવી નથી

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે (CM Ashok Gehlot) કેન્દ્રીય બજેટને મોંઘવારીજનક ગણાવ્યું છે, જે ઉદ્યોગપતિઓના ખિસ્સા ભરે છે અને સામાન્ય માણસ, ખેડૂત અને મજૂરોના ખિસ્સા ખાલી કરે છે.

Budget 2022 ને CM અશોક ગેહલોતે ઉદ્યોગપતિઓના ખિસ્સા ભરનાર ગણાવ્યું, કહ્યું- સામાન્ય માણસ માટે કોઈ જાહેરાત કરવામાં આવી નથી
Rajasthan CM Ashok Gehlot - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2022 | 5:00 PM
Share

દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitharaman) મંગળવારે નાણાકીય વર્ષ 2022-23 માટે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ ચોથું બજેટ છે, જે કોરોના મહામારીના ત્રીજી લહેર અને પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા રજૂ કરવામાં આવ્યું છે. બજેટ રજૂ થયા બાદ સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષો તરફથી અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. આ ક્રમમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે (CM Ashok Gehlot) કેન્દ્રીય બજેટને મોંઘવારીજનક ગણાવ્યું છે, જે ઉદ્યોગપતિઓના ખિસ્સા ભરે છે અને સામાન્ય માણસ, ખેડૂત અને મજૂરોના ખિસ્સા ખાલી કરે છે.

સીએમ ગેહલોતે ટ્વીટ કર્યું કે, છેલ્લા 7 વર્ષમાં કેન્દ્રની રાજકોષીય ખાધ બમણી થઈ ગઈ છે અને આ બજેટ પછી આ ખાધ વધુ વધવાની છે. ખેડૂતો, સામાન્ય માણસ, ગરીબ, મહિલાઓ અને વંચિત વર્ગ માટે બજેટમાં કોઈ ખાસ જોગવાઈ નથી.

ગેહલોતે વધુમાં જણાવ્યું હતું કે, બજેટમાં રોજગારીના નવા આંકડા રજૂ કરવામાં આવ્યા છે, પરંતુ સરકારનો કોઈ નક્કર એક્શન પ્લાન દેખાતો નથી અને તેનું ભાવિ પણ પ્રતિવર્ષ 2 કરોડ નોકરીના વચન જેવું જ હશે. CMએ કહ્યું કે આ બજેટ મોંઘવારી વધારવાનું, ઉદ્યોગપતિઓના ખિસ્સા ભરવાનું અને સામાન્ય માણસ, ખેડૂત અને મજૂરનાં ખિસ્સા ખાલી કરવાનું બજેટ સાબિત થશે.

બજેટથી રાજસ્થાનના નાગરિકો સંપૂર્ણપણે નિરાશઃ ગેહલોત

તેમણે કહ્યું કે આ બજેટથી NDAને 25 સાંસદો આપનાર રાજસ્થાનના નાગરિકો સંપૂર્ણપણે નિરાશ થયા છે. ગેહલોતે બજેટમાં કરેલી જાહેરાતો પર કહ્યું કે ERCPને રાષ્ટ્રીય પ્રોજેક્ટનો દરજ્જો, જલ જીવન મિશનમાં કેન્દ્ર રાજ્યનો 90:10 ખર્ચ, જેસલમેર-કંડલા રેલવે લાઇન અને ગુલાબપુરામાં મેમુ કોચની સ્થાપના જેવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

અહીં રાજસ્થાન કોંગ્રેસના પ્રમુખ ગોવિંદ સિંહ ડોટાસરાએ બજેટને નિરાશાજનક ગણાવતા કહ્યું કે આ બજેટ સામાન્ય માણસને ફાયદો પહોંચાડનાર નથી અને ખાસ કરીને યુવાનો અને ખેડૂતો માટે નિરાશાજનક બજેટ છે. ગોવિંદ સિંહે જણાવ્યું હતું કે, મોંઘવારી ઘટાડવા માટે કોઈ પગલું ભરવામાં આવ્યું નથી અને કેન્દ્ર સરકારે બજેટમાં માત્ર ઉદ્યોગપતિઓની જ કાળજી લીધી છે.

આ પણ વાંચો : Budget 2022: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- આ બજેટથી ગરીબોને ફાયદો થશે, જીવનના દરેક ક્ષેત્રને આધુનિક બનાવશે

આ પણ વાંચો : Budget 2022: કોઈએ કહ્યું દૂરંદેશી તો કેટલાકે સર્વસમાવેશક, જાણો સરકારના બજેટ પર અમિત શાહ સહિત શાસક પક્ષના નેતાઓનો અભિપ્રાય

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">