બજેટ 2022 માં વૃદ્ધિ વધારવા માટે પગલાં લેવા જોઈએ, વપરાશ વધારવા પર પણ કરવામાં આવે ફોકસ: બેંક ઓફ બરોડા

બેંક ઓફ બરોડા (BOB) એ શુક્રવારે જાહેર કરેલા તેના તાજેતરના આર્થિક સંશોધન અહેવાલમાં જણાવ્યું છે કે, નાણાકીય વર્ષ 2022-23 માટેના સામાન્ય બજેટમાં વૃદ્ધિને વેગ આપવા, નાણાકીય મજબૂતી પ્રાપ્ત કરવા અને વપરાશમાં વધારા પર ભાર મુકવામાં આવે તેવી આશા છે.

બજેટ 2022 માં વૃદ્ધિ વધારવા માટે પગલાં લેવા જોઈએ, વપરાશ વધારવા પર પણ કરવામાં આવે ફોકસ: બેંક ઓફ બરોડા
Budget 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2022 | 11:57 PM

બેંક ઓફ બરોડા (BOB) એ શુક્રવારે જાહેર કરેલા તેના તાજેતરના આર્થિક સંશોધન અહેવાલમાં જણાવ્યું છે કે, નાણાકીય વર્ષ 2022-23 માટેના સામાન્ય બજેટમાં (Budget 2022) વૃદ્ધિને વેગ આપવા, નાણાકીય મજબૂતી પ્રાપ્ત કરવા અને વપરાશમાં વધારા પર ભાર મુકવામાં આવે તેવી આશા છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે બજેટમાં ટેક્સ છૂટમાં કેટલાક ફેરફાર થઈ શકે છે, જ્યારે ઉત્પાદન-લિંક્ડ ઈન્સેન્ટિવ (PLI) યોજનાઓ હેઠળ રોકાણ વધારવા માટે વધુ ફાળવણી કરવામાં આવી શકે છે. આ અહેવાલ મુજબ, બોન્ડ માર્કેટમાં અસ્થિરતાને ટાળવા માટે કુલ ઉધાર 12,000-13,000 અબજ રૂપિયાની રેન્જમાં જાળવવામાં આવશે. આ રીતે, નાણાકીય વર્ષ 2022-23માં રાજકોષીય ખાધ 6-6.25 ટકાની વચ્ચે રહેવાની ધારણા છે.

સરકારની આવક અને ખર્ચમાં વધારો અપેક્ષિત

BoBના સંશોધન અહેવાલ મુજબ, વર્તમાન ભાવે જીડીપીમાં 13 ટકાના વધારા સાથે કેન્દ્રની ચોખ્ખી આવકમાં 12.2 ટકા અને ખર્ચમાં 4.5 ટકાનો વધારો થઈ શકે છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આગામી નાણાકીય વર્ષમાં અપેક્ષિત ડિસઇન્વેસ્ટમેન્ટની રકમ આશરે 750 અબજ રૂપિયા હોઈ શકે છે.

આ ઉપરાંત, મહામારીથી પ્રભાવિત અર્થતંત્રને ટેકો આપવા અને આવતા બજેટમાં વપરાશની માગને વેગ આપવા માટે આવકવેરામાં આકર્ષક ઑફરો અને બળતણ પરના કરવેરા કાપની જરૂર છે. રેટિંગ એજન્સી ઈન્ડિયા રેટિંગ્સના રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. ઈન્ડિયા રેટિંગ્સે બજેટ પહેલા જાહેર કરેલા તેના અહેવાલમાં આશા વ્યક્ત કરી હતી કે નવું બજેટ અગાઉના બજેટમાં નિર્ધારિત રાજકોષીય યોજનાને સામેલ કરશે અને તેને મજબૂત કરશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આમાં, નવી વસ્તુઓને અપનાવવાને બદલે, વર્તમાન નાણાકીય વર્ષની આવક અને મૂડી ખર્ચની પદ્ધતિ અપનાવવામાં આવશે, જેથી હાલના પ્રયાસોને વધુ મજબૂત બનાવી શકાય. આ રિપોર્ટમાં બજેટમાંથી એવી આશા વ્યક્ત કરવામાં આવી છે કે વૈશ્વિક મહામારી કોવિડથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાં રોજગારીની તકો ઊભી કરીને માગ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

અહેવાલ મુજબ, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ રાજકોષીય સમાવેશમાં વિલંબ કરે તેવી અપેક્ષા છે, તેને ક્રમશઃ અને તબક્કાવાર પ્રક્રિયા બનાવશે અને સુનિશ્ચિત કરશે કે જ્યાં સુધી રીકવરીમાં ગતિ ન આવે ત્યાં સુધી અર્થતંત્ર માટે જરૂરી નાણાકીય સહાય ઉપલબ્ધ બને.

આ પણ વાંચો :  Bitcoin ગુમાવી રહ્યો છે વિશ્વસનીયતા, 3 મહિનામાં 30,000 બિટકોઈન કરોડપતિઓ બરબાદ થયા હોવાનો એક રિપોર્ટમાં ઘટસ્ફોટ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">