AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શનિદેવને શા માટે કાળા રંગની વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે ? જાણો કેમ તેમને કાળો રંગ પ્રિય છે !

શનિવારે શનિદેવની પૂજા કરવામાં આવે છે. પૂજા દરમિયાન કાળા તલ, કાળી દાળ અને કાળા કપડા જેવી કાળી વસ્તુઓ તેમને અર્પણ કરવામાં આવે છે. આમ કેમ કરવામાં આવે છે, અહીં જાણો તેનાથી સંબંધિત પૌરણિક કથા.

શનિદેવને શા માટે કાળા રંગની વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે ? જાણો કેમ તેમને કાળો રંગ પ્રિય છે !
Shani Dev
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2021 | 7:13 PM
Share

તમે જોયું હશે કે દરેક મંદિરમાં શનિદેવની મૂર્તિ હંમેશા કાળી હોય છે. આ સિવાય ભક્તો તેને કાળા તલ, કાળી દાળ, કાળા કપડા, લોખંડ વગેરેનું દાન કરે છે. આ સ્થિતિમાં તમારા મનમાં આ સવાલ આવવો જ જોઈએ કે આવું કેમ કરવામાં આવે છે. શનિદેવનો કાળા રંગ સાથે શું સંબંધ છે અને તેમને કાળી વસ્તુઓ કેમ આટલી પ્રિય છે ? શનિદેવના પ્રિય કાળા રંગ વિશે એક પૌરાણિક કથા છે, જે તેમના જન્મ સાથે સંકળાયેલી છે.

કથા અનુસાર, ભગવાન સૂર્યના લગ્ન દક્ષ પ્રજાપતિની પુત્રી સંધ્યા સાથે થયા હતા. સંધ્યાથી જ સૂર્યદેવને મનુ, યમરાજ અને યમુના નામના બાળકો પ્રાપ્ત થયા હતા. કહેવાય છે કે સૂર્ય એટલા તેજસ્વી હતા કે તેનો તાપ સહન કરવો સંધ્યા માટે ખૂબ જ મુશ્કેલ હતો. તેથી સંધ્યાએ પોતાની એક પ્રતિરૂપ છાયાને બનાવી અને પોતે સૂર્ય લોકથી તેના ઘરે જવા રવાના થયા. સંધ્યાની છાયા જોઈને સૂર્યદેવે તેને સંધ્યા સમજી લીધી.

થોડા સમય બાદ છાયા ગર્ભવતી થઈ. ગર્ભધારણના સમયથી જ છાયા ભગવાન શિવની કઠોર તપસ્યા કરતી હતી. આ કારણે, તે ગર્ભાવસ્થા દરમિયાન પોતાની સંભાળ યોગ્ય રીતે રાખી શકતી ન હતી. સમય જતા છાયાએ એક પુત્રને જન્મ આપ્યો જેનો રંગ ખૂબ જ કાળો હતો. કાળા પુત્રને જોઈને સૂર્યદેવે તેને પોતાના બાળક તરીકે સ્વીકારવાની ના પાડી. આ સાંભળીને શનિદેવ ખૂબ દુ:ખી થયા અને ક્રોધિત પણ થયા.

છાયાએ ગર્ભાવસ્થા દરમિયાન મહાદેવનું તપ કર્યું હોવાથી શનિદેવને માતાના ગર્ભમાં ભગવાન શિવની શક્તિ મળી. આથી જ્યારે તેમણે સૂર્ય ભગવાનને ગુસ્સાથી જોયા, ત્યારે સૂર્ય ભગવાનનો રંગ પણ કાળો થઈ ગયો અને તે કુષ્ઠ રોગી બન્યા. ત્યારબાદ સૂર્યદેવે ભગવાન શિવની માફી માંગી અને પોતાની ભૂલ સ્વીકારી લીધી. આ પછી તેમણે શનિદેવને તમામ ગ્રહોમાં શક્તિશાળી બનવાના આશીર્વાદ આપ્યા.

સૂર્યદેવે શનિદેવને તેના કાળા રંગને કારણે નકાર્યા હતા, તેથી શનિદેવે આ ઉપેક્ષિત રંગને જ પોતાનો પ્રિય બનાવ્યો. એટલા માટે શનિદેવને કાળી વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે અને શનિવારે કાળી વસ્તુઓનું દાન કરવામાં આવે છે. એટલું જ નહીં, જો તમે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરો છો તો પણ શનિદેવ પ્રસન્ન થાય છે અને તમારા પર તેમની કૃપા રહે છે.

આ પણ વાંચો : Ganesh Chaturthi 2021 : રાજા જનકના કયા અહંકારને તોડવા ગણેશજીએ લીધો બ્રાહ્મણનો વેશ ? જાણો રસપ્રદ કથા

આ પણ વાંચો : Astrology: સૂર્યનું કન્યા રાશિમાં પરિવહન ! કોને મળશે લાભ અને કોણે રાખવું પડશે વિશેષ ધ્યાન ?

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">