Bhakti: માતાને કોણે અને શા માટે આપ્યું ખોડલ નામ ? જાણો રસપ્રદ ગાથા

મા ખોડિયારનું જન્મ સમયનું નામ જાનબાઈ હતું. આઈ જાનબાઈ માતા ખોડલ કેવી રીતે બન્યા તેની સાથે એક રસપ્રદ કથા જોડાયેલી છે. પ્રચલિત માન્યતા અનુસાર આઈ આવડના આશીર્વાદને લીધે મા જાનબાઈ આજે મા ખોડલના નામે પૂજાઈ રહ્યા છે.

Bhakti: માતાને કોણે અને શા માટે આપ્યું ખોડલ નામ ? જાણો રસપ્રદ ગાથા
khodiyar mataji (symbolic image)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Feb 09, 2022 | 6:23 AM

હાથે ત્રિશૂળ, કાને કુંડળ, પગે ખોડંગાતી ચાલ । માથે ટિલડી, મગર અસવારી, આઈ ખોડલ તુજ આધાર ।।

મા ખોડિયાર (khodiyar) એટલે તો ભક્તોના દુઃખડા હરનારા દેવી. સદાય ભક્તોની વ્હારે રહેનારા આઈશ્રી. આખું જગ આજે માને ખોડિયાર કે ખોડલના (khodal) નામે પૂજે છે. પણ, વાસ્તવમાં મા ખોડિયારનું જન્મ સમયનું નામ તો જાનબાઈ હતું. અને આ આઈ જાનબાઈ માતા ખોડલ કેવી રીતે બન્યા તેની સાથે પણ એક રસપ્રદ કથા જોડાયેલી છે.

મા ખોડલ એટલે કે જાનબાઈ તેમની સાતેય બહેનોમાં સૌથી નાના હતા. અને તેમનાથી નાનો હતો તેમનો ભાઈ મેરખિયા. એકનો એક ભાઈ મેરખિયા બહેનોને ખૂબ જ લાડકો હતો ને લાડકોડમાં જ ઉછરી રહ્યો હતો. પણ, એકવાર એક ઝેરી સર્પે મેરખિયાને દંશ દઈ દીધો. માતા-પિતા અને સાતેય બહેનોના જીવ અદ્ધર થઈ ગયા કે હવે કરવું શું ? કહે છે કે ત્યારે એક જાણકારે ઉપાય સૂચવતા કહ્યું કે, “પાતાળલોકમાં અમૃતકુંભ છે. સૂર્ય ઊગે તે પહેલાં તે કુંભ લાવીને જો મેરખિયાને અમૃત પીવડાવવામાં આવે, તો શક્ય છે કે તેનો જીવ બચી જાય !”

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

પ્રચલિત કથા અનુસાર મેરખિયાને બચાવવા મા જાનબાઈ તરત જ પાતાળલોક જવા રવાના થઈ ગયા. અને એટલી જ ઝડપથી પાતાળલોકમાંથી અમૃતકુંભ લઈને પાછા ફરવા લાગ્યા. પણ, પાછા ફરતી વખતે માતા જાનબાઈને પગમાં ઠેસ વાગી ગઈ. તેમને ચાલવામાં તકલીફ પડવા લાગી. સૂર્ય ઉગે તે પહેલાં તેમનું મેરખિયા પાસે પહોંચવું ખૂબ જ જરૂરી હતું. આખરે માએ તેમની સોનાની વાળી એક મગરને પહેરાવી. અને તેના પર સવાર થયા. મા જાનબાઈ પહોંચે નહીં ત્યાં સુધી સૂરજને ઉગતો રોકવામાં આવ્યો હોવાની લોકવાયકા પણ પ્રચલિત છે.

કહે છે કે મા ખોડલ જ્યારે અમૃતકુંભ લઈને તેમના પરિવાર પાસે પહોંચ્યા ત્યારે તે પગમાં થયેલી ઈજાને લીધે ખોડંગાઈ રહ્યા હતા. તેમને જોઈ બહેનો બોલી ઉઠી કે, “જુઓ જાનબાઈ… અરે, આ તો ખોડલ આવી… ખોડલ આવી….” કહે છે કે આ ઘટનાને લીધે જ આઈ જાનબાઈનું નામ ખોડલ પડી ગયું. મા ખોડલે લાવેલાં અમૃતની મદદથી મેરખિયાનું ઝેર ઉતર્યું. અને તેનો જીવ બચી ગયો. દંતકથા અનુસાર આ સમયે સ્વયં મોટી બહેન આવડે ખોડલ માને આશીર્વાદ આપતા કહ્યું કે, “હે જાનબાઈ ! તું બહેનોમાં સૌથી નાની છે. પણ, આજે તે સૌથી મોટું કામ કર્યું છે. હવેથી તું મા ખોડલ કહેવાઈશ અને બહેનોમાં સર્વ પ્રથમ પૂજાઈશ !”

પ્રચલિત માન્યતા અનુસાર આઈ આવડના આશીર્વાદને લીધે જ મા જાનબાઈ આજે મા ખોડલના નામે પૂજાઈ રહ્યા છે. હયાત દેહે અનેકોને પરચા પૂરનારા ખોડલ આજે પણ ભક્તોને હાજરાહજૂરપણાંની અનુભૂતિ કરાવી રહ્યા છે. સૌની મનોકામનાઓને પરિપૂર્ણ કરી મા ભક્તોને તેમનો સાક્ષાત્કાર પૂરી રહ્યા છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ મા ખોડલનાં પ્રાગટ્ય દિને જાણો તેમની પ્રગટભૂમિ રોહિશાળાનો મહિમા

આ પણ વાંચોઃ શું તમે કરી રિદ્ધિ સિદ્ધિ સંગ ગણેશજીની પૂજા ? જાણો ગણેશજીના સમગ્ર પરિવારના પૂજનનો મહિમા

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">