13 JUNE PANCHANG: આજે કઈ તિથિ અને રાશિ? 13 જૂન, મંગળવારના પંચાગની મેળવો સંપૂર્ણ જાણકારી!
હિન્દુ માન્યતા અને પંચાંગ અનુસાર રાહુકાળ (rahu kaal) તે એ કાળ છે કે જે સમય દરમિયાન કોઈપણ પ્રકારનું શુભ કાર્ય કરવામાં નથી આવતું. માન્યતા અનુસાર આ રાહુકાળ દરમિયાન કરેલું કાર્ય શુભ પરિણામ પણ નથી આપતું.

આજે 13 જૂન, 2023 મંગળવારનો દિવસ છે. પણ, હિન્દુ સંસ્કૃતિમાં તિથિ, વાર, નક્ષત્ર જોઈને કાર્ય કરવાની પ્રણાલી રહી છે. જેની માહિતી આપણને પંચાંગના માધ્યમથી પ્રાપ્ત થતી હોય છે. સનાતન ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે. અને કયા સમયે કાર્ય કરવાથી બચવું જોઈએ. ત્યારે આ પંચાંગ પરથી જ જાણીએ કે તિથિના આધારે આજના દિવસનું શું મહત્વ છે !
ગુજરાતી પંચાંગ
તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ એ દૈનિક પંચાંગના મુખ્ય પાંચ અંગ મનાય છે. ત્યારે તે અનુસાર જ આજના દિવસની વિગતો મેળવીએ.
તિથિ:- ગુજરાતી પંચાંગ અનુસાર આજે વિ. સં. 2079ની જેઠ માસના કૃષ્ણ પક્ષની દશમી તિથિ છે. જે સવારે 09:30 સુધી રહેશે. ત્યારબાદ એકાદશી તિથિનો પ્રારંભ થશે.
વાર:- મંગળવાર
યોગ:- શોભન
કરણ:- બવ
નક્ષત્ર:- રેવતી
સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય
સૂર્યોદય:- 05:55 કલાકે
સૂર્યાસ્ત:- 07:24 કલાકે
આજની રાશિ
આજની ચંદ્ર રાશિ છે મીન રાશિ. મિન રાશિના નામાક્ષર છે (દ, ચ, ઝ, થ). મીન રાશિ બપોરે 1:33 સુધી રહેશે. ત્યારબાદ ચંદ્રનું રાશિ પરિવર્તન થશે. અને બપોરે 1:33 પછી પછી ચંદ્ર મેષ રાશિમાં પ્રવેશ કરશે. મેષ રાશિના નામાક્ષર છે (અ, લ, ઇ). એટલે કે આજે બપોરે 1:33 પછી જન્મેલા બાળકોના નામ આપ મેષ રાશિ પરથી રાખી શકશો.
અભિજીત મુહૂર્ત
કોઈપણ કાર્ય કરવા માટે અભિજીત મુહૂર્ત એ અત્યંત શ્રેષ્ઠ મુહૂર્ત મનાય છે. આજે 13 જૂન, મંગળવારના રોજનું અભિજીત મુહૂર્ત બપોરે 12:13 થી 01:07 સુધી પ્રાપ્ત થઈ રહ્યું છે. 54 મિનિટનું આ અભિજીત મુહૂર્ત અત્યંત ફળદાયી મનાય છે. માન્યતા અનુસાર આ અભિજીત મુહૂર્તમાં કરવામાં આવનાર કાર્યમાં જરૂરથી સફળતા મળે છે.
રાહુ કાળ
હિન્દુ માન્યતા અને પંચાંગ અનુસાર રાહુકાળ તે એ કાળ છે કે જે સમય દરમિયાન કોઈપણ પ્રકારનું શુભ કાર્ય કરવામાં નથી આવતું. માન્યતા અનુસાર આ રાહુકાળ દરમિયાન કરેલું કાર્ય શુભ પરિણામ પણ નથી આપતું. આજે રાહુ કાળ બપોરે 03:50 થી 05:34 સુધી રહેશે. એટલે આ સમય દરમિયાન કોઈપણ શુભ કે માંગલિક કાર્ય કરવાનું ટાળવું જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)