AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tulsi Mala: કેવાં-કેવાં ફળની પ્રાપ્તિ કરાવશે તુલસી માળા? જાણો તુલસી માળાથી મંત્રજાપની મહત્તા

તુલસી માળા અત્યંત પવિત્ર અને ખૂબ જ લાભદાયી મનાય છે. આ માળા વિધિવત રીતે ઘરમાં આવે અને ત્યારબાદ તેને સિદ્ધ કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. એટલું જ નહીં, એ ધ્યાનમાં રાખવું પણ જરૂરી છે કે તુલસી માળાથી કોના-કોના જાપ કરી શકાય ?

Tulsi Mala: કેવાં-કેવાં ફળની પ્રાપ્તિ કરાવશે તુલસી માળા? જાણો તુલસી માળાથી મંત્રજાપની મહત્તા
તુલસી માળા
TV9 Bhakti
| Edited By: | Updated on: Dec 24, 2021 | 9:40 AM
Share

એક નાનકડાં મંત્રમાં (mantra) પણ દુર્ભાગ્યને ભાગ્યમાં બદલવાની શક્તિ રહેલી હોય છે. અને કહે છે કે મંત્રની આ જ શક્તિ ત્યારે અનેકગણી વધી જાય છે, કે જ્યારે માળા (mala) દ્વારા તેનો જાપ કરવામાં આવે ! કારણ કે મંત્રજાપ માળાની મદદથી જ વધુ સરળ થઈ શકે છે ! મંત્રજાપ માટે માળાનો ઉપયોગ એટલાં માટે કરવામાં આવે છે, કે જેથી મંત્રની સંખ્યામાં કોઈ ભૂલ ન પડે ! અને મંત્રજાપની સંખ્યાનો ક્રમ પૂર્ણપણે સચવાયેલો રહે. પણ, મંત્રજાપ માટેની આ માળાને પસંદ કરતી વખતે પણ, કેટલીક બાબતોનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. ત્યારે આવો, આજે તુલસીની માળા (Tulsi Mala) વિશે વાત કરીએ.

તુલસી માળા અત્યંત પવિત્ર અને ખૂબ જ લાભદાયી મનાય છે. એટલે ઘણાં ભક્તો તુલસી માળા ઘરે લઈ આવે છે. અને તેનાથી વિવિધ મંત્રનો જાપ કરવા લાગે છે. પરંતુ, આ માળાની ખરીદી કરવી જ પૂરતી નથી. આ માળા વિધિવત રીતે ઘરમાં આવે અને ત્યારબાદ તેને સિદ્ધ કરવામાં આવે તે પણ જરૂરી છે. એટલું જ નહીં, એ ધ્યાનમાં રાખવું પણ જરૂરી છે કે તુલસી માળાથી કોના-કોના જાપ કરી શકાય. જેમ કે તુલસી માળાથી શિવજી, ગણેશજી કે લક્ષ્મીજી સંબંધી જાપ ન કરી શકાય. વાસ્તવમાં તો તુલસી માળા એ શ્રીવિષ્ણુ સંબંધી મંત્રોના જાપ માટે ફળદાયી બની રહે છે.

શ્રીનારાયણને જેમ તુલસીપત્ર અત્યંત પ્રિય છે, તે જ રીતે તેમને તો તુલસીની માળા પણ એટલી જ પ્રિય છે. અને એટલે જ શ્રીહરિ સંબંધી મંત્રોના જાપ માટે તુલસી માળાનો ઉપયોગ કરવો લાભદાયી બની રહે છે. એ જ રીતે વિષ્ણુ અવતાર જેમ કે, શ્રીરામ અને શ્રીકૃષ્ણ સંબંધી મંત્રોના જાપ માટે પણ તુલસી માળાનો પ્રયોગ કરવો ફળદાયી બની રહે છે. તો, ગાયત્રી મંત્રના જાપ માટે પણ તુલસી માળા જ શુભદાયી મનાય છે.

માળાને કેવી રીતે કરશો સિદ્ધ ? ⦁ તુલસી માળાની ખરીદી સોમવાર કે મંગળવારના રોજ શુભ તિથિએ કરવી જોઈએ. ⦁ માળાની ખરીદી બાદ તેને ગંગાજળથી શુદ્ધ કરી પંચોપચારથી તેની પૂજા કરવી જોઈએ. ⦁ માળાને ગુલાબી રંગના કે આછા પીળા રંગના પુષ્પ અર્પણ કરવા. ⦁ ગુલાબી રંગના આસન પર બેસી તુલસીની માળાથી મંત્રજાપ કરવો. આ પ્રયોગથી વિશેષ લાભની પ્રાપ્તિ થશે. ⦁ ઉલ્લેખનીય છે કે મંત્રજાપ બાદ તુલસીમાળાને હંમેશા ગુલાબી રંગના વસ્ત્રથી ઢાંકી રાખવી.

તુલસી માળાના લાભ ⦁ તુલસી માળા દ્વારા મંત્રજાપથી ઘરની અશાંતિ દૂર થાય છે. ⦁ પારિવારિક સુખ, શાંતિની પ્રાપ્તિ થાય છે. ⦁ તુલસી માળા દ્વારા મંત્રજાપથી વ્યક્તિની કલા સંબંધી ક્ષેત્રે પ્રગતિ થાય છે. ⦁ માન્યતા અનુસાર તુલસી માળા વિકારોથી મુક્તિ અપાવી ગળા સંબંધી બીમારીઓનો પણ નાશ કરી દે છે !

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ સૌભાગ્ય અને સમૃદ્ધિના આશિષ પ્રદાન કરશે સ્ફટિકની માળા, જાણો માળાને સિદ્ધ કરવાની રીત

આ પણ વાંચોઃ રુદ્રાક્ષની માળા ઘરમાં લાવતા પહેલાં રાખો આ ખાસ વાતનું ધ્યાન, તો જ પ્રાપ્ત થશે મહાદેવના આશીર્વાદ

વિપક્ષે પીએમ મોદીને લોકસભામાં બોલવા ના દીધા, હોબાળો થતા ગૃહ મુલતવી
વિપક્ષે પીએમ મોદીને લોકસભામાં બોલવા ના દીધા, હોબાળો થતા ગૃહ મુલતવી
અમદાવાદનુ વહીવટીતંત્ર ભાજપના ધારાસભ્યોને છૂછા ગણે છે !
અમદાવાદનુ વહીવટીતંત્ર ભાજપના ધારાસભ્યોને છૂછા ગણે છે !
જાણો અમદાવાદમાં કયા બનશે નવા ઓવરબ્રિજ-અન્ડરબ્રિજ
જાણો અમદાવાદમાં કયા બનશે નવા ઓવરબ્રિજ-અન્ડરબ્રિજ
'બંટી અને બબલી'ની જોડીએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી
'બંટી અને બબલી'ની જોડીએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી
ગજેરા એન્ડ કંપની પર ITના દરોડા ,1500 કરોડનો બેનામી વ્યવહાર મળી આવ્યો
ગજેરા એન્ડ કંપની પર ITના દરોડા ,1500 કરોડનો બેનામી વ્યવહાર મળી આવ્યો
BREAKING : અમદાવાદ એરપોર્ટ ઠપ્પ! ગાઢ ધુમ્મસે ઉડાનો અટકાવી
BREAKING : અમદાવાદ એરપોર્ટ ઠપ્પ! ગાઢ ધુમ્મસે ઉડાનો અટકાવી
રોડ નહીં, ભ્રષ્ટાચાર પાથર્યો! રાજકોટમાં આવો ડામર કોણે મંજૂર કર્યો ?
રોડ નહીં, ભ્રષ્ટાચાર પાથર્યો! રાજકોટમાં આવો ડામર કોણે મંજૂર કર્યો ?
Breaking News : રાજ્યના કેટલાક ભાગોમાં રહેશે વાદળછાયું વાતાવરણ
Breaking News : રાજ્યના કેટલાક ભાગોમાં રહેશે વાદળછાયું વાતાવરણ
એશિયાટિક સિંહોના અકસ્માત વધતા અધિકારીઓની મળી બેઠક
એશિયાટિક સિંહોના અકસ્માત વધતા અધિકારીઓની મળી બેઠક
RTIમાં ખુલાસો થયો, પ્રો. કમલ મહેતાના રિસર્ચ પેપરમાં ગેરરીતિના આક્ષેપ..
RTIમાં ખુલાસો થયો, પ્રો. કમલ મહેતાના રિસર્ચ પેપરમાં ગેરરીતિના આક્ષેપ..
g clip-path="url(#clip0_868_265)">