AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhakti: કયા પ્રકારના દુર્યોગને નિવારશે મા અન્નપૂર્ણા ? જાણો દેવી અન્નપૂર્ણાની કૃપા પ્રાપ્તિની સરળ વિધિ

સંકટ સમયે તો અચૂક મા અન્નપૂર્ણાની આરાધના કરવી જોઈએ. કહે છે કે કેટલાંક કષ્ટાદાયક યોગ વચ્ચે જો મા અન્નપૂર્ણાની પૂજા અર્ચના કરવામાં આવે, તો ભક્તોને તે દુર્યોગના દુષ્પરિણામ નથી ભોગવવા પડતા.

Bhakti: કયા પ્રકારના દુર્યોગને નિવારશે મા અન્નપૂર્ણા ? જાણો દેવી અન્નપૂર્ણાની કૃપા પ્રાપ્તિની સરળ વિધિ
માતા અન્નપૂર્ણા
TV9 Bhakti
| Edited By: | Updated on: Dec 12, 2021 | 9:35 AM
Share

દેવી અન્નપૂર્ણાની (goddess annapurna) કૃપા જે શ્રદ્ધાળુઓ પર ઉતરતી હોય છે, તેમના ત્યાં ક્યારેય ધાન્યની ખોટ નથી વર્તાતી. એટલું જ નહીં, ઘરમાં સુખ, સમૃદ્ધિમાં પણ ધીમે ધીમે વૃદ્ધિ થવા લાગે છે. લોકો આ જ સુખની કામના સાથે મા અન્નપૂર્ણાની આરાધના કરતા હોય છે. પણ, ઘણાં ઓછાં લોકોને એ વાતનો ખ્યાલ હશે કે સંકટ સમયે તો ખાસ મા અન્નપૂર્ણાની આરાધના કરવી જોઈએ. કહે છે કે કેટલાંક કષ્ટાદાયક યોગ વચ્ચે જો મા અન્નપૂર્ણાની પૂજા અર્ચના કરવામાં આવે તો ભક્તોને તે દુર્યોગના દુષ્પરિણામ નથી ભોગવવા પડતા.

કયા દુર્યોગથી બચાવશે મા અન્નપૂર્ણા ⦁ કુંડળીમાં દરિદ્રયોગ કે દેવાળીયા થવાનો યોગ હોચ ⦁ કુંડળીમાં ગુરુ ચાંડાલનો યોગ હોય ⦁ શનિ પંચમ, અષ્ટમ કે દ્વાદશ ભાવમાં હોય ⦁ રાહુ દ્વિતીય કે અષ્ટમ ભાવમાં હોય ⦁ કુંડળીમાં વિષ યોગ હોય

કહે છે કે જેની કુંડળીમાં ઉપરોક્તમાંથી કોઈપણ દુર્યોગ હોય તો તેણે ખાસ મા અન્નપૂર્ણાનું શરણું લઈ તેમની પૂજા અર્ચના કરવી જોઈએ. તેને લીધે દુર્યોગના દુષ્પરિણામો ટળી જશે. અને જે-તે વ્યક્તિને યોગના લીધે સર્જાનાર વિવિધ મુસીબતો કે તકલીફોનો સામનો નહીં કરવો પડે.

કુંડળીમાં જો કોઈપણ પ્રકારનો દુર્યોગ હોય તો નિત્ય જ મા અન્નપૂર્ણાનું પૂજન કરવું વિશેષ લાભદાયી બની રહેશે. પણ, જો નિત્ય જ મા અન્નપૂર્ણાની પૂજા-અર્ચના શક્ય ન હોય તો શુક્રવારના રોજ તો અચૂક માનું પૂજન કરવું. તેનાથી દરિદ્રતાનો નાશ થશે. સાથે જ વિવિધ સંકટો પણ આવતા પહેલાં જ ટળી જશે.

ફળદાયી પૂજનવિધિ ⦁ સવારે વહેલાં ઉઠી નિત્યક્રિયાથી પરવારી મા અન્નપૂર્ણાના પૂજનનો સંકલ્પ લો. ⦁ એક બાજોઠ પર લાલ વસ્ત્ર પાથરી મા અન્નપૂર્ણાની તસવીર મૂકો. ⦁ માતાની તસવીર સામે ઘીનો દીવો પ્રજ્વલિત કરો. ⦁ કુમકુમ, અક્ષત, પુષ્પથી દેવીની પૂજા કરો. ⦁ દેવી આગળ ધૂપ અર્પણ કરો અને આસ્થા સાથે તેમની આરતી ઉતારો. ⦁ પૂજા પૂર્ણ થાય ત્યારબાદ દેવીને ભોગ અર્પણ કરો. યાદ રાખો કે દેવીને નૈવેદ્યમાં સંપૂર્ણ ભોજનથાળ પીરસવો જોઈએ. ⦁ મા અન્નપૂર્ણાની પૂજા સમયે એ યાદ રાખવું પણ ખૂબ જ જરૂરી છે કે દેવીને પ્રસાદ અર્પણ કર્યા પૂર્વે ઘરમાંથી કોઈએ પણ ભોજન ગ્રહણ ન કરવું જોઈએ. ⦁ માતાની સન્મુખ જ બેસીને અન્નપૂર્ણા સ્તોત્રના પાઠ કરો અથવા તો મંત્રનો જાપ કરો. અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકરપ્રાણવલ્લભે । જ્ઞાનવૈરાગ્ય સિદ્ધિયર્થં ભિક્ષાં દેહિ ચ પાર્વતી ।। ⦁ પૂજા પૂર્ણ થયા બાદ માને અર્પણ કરેલો ભોગ પ્રસાદની જેમ ગ્રહણ કરો. અને પરિવારના બધાં જ એકસાથે ભોજન ગ્રહણ કરો. (નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : શું તમારા ઘરમાં છે આ પાંચ વસ્તુઓ ? જો ન હોય તો આજે જ લાવી દો, સુખ-સમૃદ્ધિની થશે પ્રાપ્તિ !

આ પણ વાંચો : ॐ નો મંત્ર જાપ કરવાથી આધ્યાત્મિકની સાથે સ્વાસ્થ લાભ પણ થાય છે ! જાણો તેના ફાયદા અને કેવી રીતે કરશો જાપ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">