AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Numerology: અંકશાસ્ત્રમાં ઉલ્લેખ છે એ મૂળાંક અને ભાગ્યાંક શું છે? જાણો તેનાથી ભવિષ્ય કેવી રીતે જાણી શકાય?

Numerology: જ્યોતિષશાસ્ત્ર (Astrology)ની એક શાખા અંકશાસ્ત્રની વાત કરીએ તો તેમાં મૂળાંક અને ભાગ્યાંકનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવે છે. ઘણા લોકો આમાં મૂંઝવણ અનુભવે છે કે મૂળાંક અને ભાગ્યાંક એક જ છે અથવા મૂળાંક કોને કહેવાય અને ભાગ્યાંક કોને કહેવાય?

Numerology: અંકશાસ્ત્રમાં ઉલ્લેખ છે એ મૂળાંક અને ભાગ્યાંક શું છે? જાણો તેનાથી ભવિષ્ય કેવી રીતે જાણી શકાય?
Numerology
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2022 | 5:12 PM
Share

આપણા જીવનમાં મૂળાંક અને ભાગ્યાંકનું ખૂબ મહત્વ છે. કેટલીકવાર આપણને જન્મનો સમય કે સ્થળ ખબર હોતી નથી. આવી સ્થિતિમાં કુંડળી બનાવવી મુશ્કેલ બની જાય છે. આવી સ્થીતિમાં અંકશાસ્ત્ર(Numerology) મદદ રૂપ બને છે, અંકશાસ્ત્ર ભવિષ્યની ઘટનાઓની આગાહી કરવા માટેનું એક માધ્યમ છે, જે લોકો પાસે તેના જન્મનો સમય કે વિગત નથી તે અંક દ્વારા ભવિષ્યના અનુમાનોને જાણી શકે છે. અંકશાસ્ત્ર મૂળાંક અને ભાગ્યાંક પર આધારીત છે, તમને સવાલ થશે કે મૂળાંક અને ભાગ્યાંક શું છે અને તે કેવી રીતે મેળવી શકાય તો, આજે અમે આ અહેવાલ દ્વારા તમને મૂળાંક (Mulank) અને ભાગ્યાંક(Bhagyank) વિશે માહિતી આપશું.

મૂળાંક શું છે

મૂળાંક એટલે તમારી જન્મતારીખ. એટલે કે, જો તમારો જન્મ 2 માર્ચે થયો હોય, તો તમારો મૂળાંક 2 હશે. મૂળાંક આપણા સ્વભાવ, ગુણ, ખામી, ખુબીઓ વગેરે વિશે જણાવે છે. જીવનમાં આપણા માટે શું ઉપયોગી છે અને શું નથી, તે મૂળાંક દ્વારા જાણી શકાય છે. તે તમારા મિત્રો અને દુશ્મનો વિશે પણ જણાવે છે.

તે તમારી કારકિર્દી, જીવન સાથી, કાર્યસ્થળ અને નસીબ વિશે પણ માહિતી આપે છે. મૂળાંક નંબરો 1 થી 9 સુધી ગણવામાં આવે છે. જે લોકો 9 થી વધુ તારીખે જન્મ્યા હતા તેઓ તેમના જન્મદિવસની સંખ્યાને એકસાથે ઉમેરીને તેમના મૂળાંક મેળવી શકે છે. ઉદાહરણ તરીકે, જે લોકો 11 તારીખે જન્મ્યા છે, તેમનો મૂળાંક 2 હશે. (1+1=2). એ જ રીતે, અન્ય મૂળાંકો તેમને એકસાથે ઉમેરીને મેળવી શકાય છે.

ભાગ્યાંક શું છે

ભાગ્ય અંકનો ઉપયોગ જાતકની મહત્વપૂર્ણ તારીખ અને ઘટનાઓ અંગે જાણવા માટે થાય છે. ભાગ્યાંકની ગણતરી મૂળાંકની ગણતરી કરતાં થોડી વિસ્તૃત હોય છે. આમાં જાતકની જન્મ તારીખ, મહિનો અને વર્ષ ત્રણેયને ઉમેરીને જે સંખ્યા પ્રાપ્ત થાય છે તે વ્યક્તિનો ભાગ્ય અંક કહેવામાં આવે છે.

તેને એવી રીતે સમજો કે જો કોઈ વ્યક્તિની જન્મ તારીખ 31/5/2022 છે, તો બધાને જોડીને જે સંખ્યા પ્રાપ્ત થશે તે તેનો ભાગ્યાંક હશે. જેમ કે 3+1+5+2+0+2+2=15=1+5=6 આ જન્મ તારીખે જન્મેલ વ્યક્તિનો ભાગ્યાંક 6 છે. વિવાહ, કાર્યસ્થળ, લકી સિટી, લકી નંબર વગેરે વિશે ભાગ્યાંક દ્વારા જાણવામાં આવે છે.

(નોંધ: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. Tv9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)

Follow Us
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે : નાયબ મુખ્યમંત્રી
પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે : નાયબ મુખ્યમંત્રી
વિદ્યાનગરની BBIT કોલેજનું બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ ધરાશાયી
વિદ્યાનગરની BBIT કોલેજનું બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ ધરાશાયી
ઇંધણ બચત માટે વડોદરા મનપાનો માસ્ટર પ્લાન, ઈ-બસ પર ભાર અપાશે
ઇંધણ બચત માટે વડોદરા મનપાનો માસ્ટર પ્લાન, ઈ-બસ પર ભાર અપાશે
12 ધાર્મિક સ્થળો દૂર કરાયા, એક મંદિરમાં માત્ર ઓટલો તોડી સંતોષ મનાયો
12 ધાર્મિક સ્થળો દૂર કરાયા, એક મંદિરમાં માત્ર ઓટલો તોડી સંતોષ મનાયો
g clip-path="url(#clip0_868_265)">