AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મા સરસ્વતીને પ્રસન્ન કરવા ઈચ્છો છો? તો આપ ન કરી બેસતા આ ભૂલ

દેવી સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ એટલે વસંત પંચમી. દેવી સરસ્વતીની કૃપાને પ્રાપ્ત કરવા આ પાંચ બાબતો ક્યારેય ન ભૂલવી. જો આ પાંચ બાબતોનું આજના દિવસે રાખશો ધ્યાન તો અચુક વરસશે દેવીના આશીર્વાદ.

મા સરસ્વતીને પ્રસન્ન કરવા ઈચ્છો છો? તો આપ ન કરી બેસતા આ ભૂલ
વસંત પંચમી દેવી સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ
TV9 Bhakti
| Edited By: | Updated on: Feb 16, 2021 | 12:31 PM
Share

મહા સુદ પાંચમ એટલે વસંત પંચમી. વસંત પંચમી એ દેવી સરસ્વતીનો (GODESS SARSWATI) પ્રાગટ્ય દિવસ કહેવાય છે. આજના દિવસે મા સરસ્વતીની પૂજા થાય છે. વિદ્યાની દેવી સરસ્વતીને રીઝવવાનો આ ઉત્તમ દિવસ કહેવાય છે. ત્યારે જો આપ પણ આજે મા સરસ્વતીને પ્રસન્ન કરવા ઈચ્છો છો તો ધ્યાન રહે કે આ ભૂલો આપ ન કરી બેસો.

1. વસંતપંચમીનો પર્વ એ પ્રકૃતિમાં પરિવર્તનનો સંકેત આપે છે. ત્યારે એવું કહેવાય છે કે વસંત પંચમીના દિવસે છોડ કે વૃક્ષોને નુકસાન ક્યારેય ન પહોંચાડવું. આજના દિવસે તેને બિલકુલ ન કાપવા જોઈએ. 2. વસંત પંચમીના દિવસે રંગબેરંગી કપડા ન પહેરવા જોઈએ. એવું કહેવાય છે કે દેવી સરસ્વતીનો પ્રિય રંગ પીળો છે. એટલે વસંત પંચમીના દિવસે પીળા રંગના જ વસ્ત્રો ધારણ કરવા. 3. વસંત પંચમીના દિવસે શક્ય હોય તો વ્રત રાખવું. પણ જો વ્રત ન કરી થઈ શકે તો ધ્યાન રહે આજના દિવસે સ્નાન કર્યા વગર ભોજન ગ્રહણ ન કરવું જોઈએ. 4. વસંત પંચમીના દિવસે સાત્વિક ભોજન ગ્રહણ કરવું. આજના દિવસે માંસ અને મદિરાનું સેવન વર્જિત ગણાય છે. 5. વસંત પંચમી એ લોકો માંગલિક કાર્યો કરતા હોય છે. તો આજના દિવસથી અભ્યાસનો પ્રારંભ પણ શુભ મનાય છે. ત્યારે આજના દિવસે કોઈ પ્રત્યે ખરાબ વિચાર ન લાવવો. કોઈને અપશબ્દ પણ ન બોલવા. એવું કહેવાય છે કે કોઈ પ્રત્યે જો આપના મનમાં અશુભ વિચાર છે તો આજના દિવસે શરુ કરેલુ આપનું કામ પૂર્ણ થતું નથી.

જો આ તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો દેવી સરસ્વતી વ્યક્તિના તમામ મનોરથ પૂર્ણ કરતાં હોવાની માન્યતા છે. વસંત પંચમીની ખુબ ખુબ શુભેચ્છાઓ.

આ પણ વાંચો ત્રિપુંડના ચમત્કારિક ફાયદા! આ ફાયદાઓ વિશે આપે ક્યારેય નહીં જાણ્યું હોય

Follow Us
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video
નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video
g clip-path="url(#clip0_868_265)">