AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કઈ દિશાનો વાસ્તુદોષ તમારા ઘરમાં વારંવાર લાવે છે બીમારી ? જાણો, રોગમુક્તિની સરળ વિધિ

કેટલાંક પરિવારોમાં એવું બનતું હોય છે કે કોઈને કોઈ સતત બીમાર રહેતું જ હોય છે. એક વ્યક્તિ સાજો થાય અને બીજો બીમાર પડે. બીજો સાજો થાય, ત્યાં વળી ત્રીજાને કોઈ રોગ સતાવા લાગે. આ માટે ઘરનો વાસ્તુદોષ (vastu dosh) પણ કારણભૂત હોઈ શકે છે !

કઈ દિશાનો વાસ્તુદોષ તમારા ઘરમાં વારંવાર લાવે છે બીમારી ? જાણો, રોગમુક્તિની સરળ વિધિ
VastuPurush
TV9 Bhakti
| Edited By: | Updated on: Nov 13, 2022 | 6:17 AM
Share

જો તમારું જીવન અનેકવિધ સમસ્યાઓથી ઘેરાયેલું હોય, તો તેનું સૌથી મોટું કારણ ઘરનો વાસ્તુદોષ પણ હોઈ શકે છે ! આમ તો વ્યક્તિની કુંડળીના ગ્રહ તેના જીવન પર સૌથી મોટી અસર કરે છે. પણ, ઘણીવાર એવું બને છે, કે કુંડળીમાં શુભયોગ ચાલી રહ્યા હોય, છતાં વ્યક્તિ એક પછી એક મુસીબતોથી ઘેરાતો રહે છે. ઘરના સભ્યો સતત બીમાર જ પડતા રહેતાં હોય છે ! આનું સૌથી મોટું કારણ ઘરનો વાસ્તુદોષ પણ હોઈ શકે છે ! ત્યારે આવો, આજે તે જ વિશે વિગતે જાણીએ.

વાસ્તુદોષ અને બીમારી !

કેટલાંક પરિવારોમાં એવું બનતું હોય છે કે કોઈને કોઈ સતત બીમાર રહેતું જ હોય છે. એક વ્યક્તિ સાજો થાય અને બીજો બીમાર પડે. બીજો સાજો થાય, ત્યાં વળી ત્રીજાને કોઈ રોગ સતાવા લાગે. એમાં પણ જો ઘરની મુખ્ય વ્યક્તિ એટલે કે જેની આવક પર ઘર ચાલતું હોય તે જો સતત બીમાર રહેતી હોય તો તેનું કારણ હોઈ શકે છે ઘરનો વાસ્તુદોષ !

નૈઋત્ય ખૂણાનો દોષ !

પરિવારમાં સતત સતાવતી રોગની સમસ્યા માટે ઘરનો નૈઋત્ય ખૂણો, એટલે કે દક્ષિણ-પશ્ચિમ ભાગ મહત્વનો બની રહે છે. જો ઘરનો આ ખૂણો નીચો હોય, એટલે કે પાણીનો ઢોળાવ આ દિશામાં હોય તો ત્યાં વસનારા લોકો સતત બીમારીનો ભોગ બનતા જ રહે છે ! ત્યારે તે દૃષ્ટિએ આ દિશામાં ખૂબ જ ઝડપથી વાસ્તુદોષ નિવારણનું કામ કરવું હિતાવહ બની રહે છે.

રોગમુક્તિ અર્થે વાસ્તુદોષ નિવારણ

⦁ ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં કોઇ ખાડો હોય અથવા તો કૂવો, બોરિંગ કે પાણીની ટાંકી હોય તો તેને બંધ કરાવી દો.

⦁ દક્ષિણ-પશ્ચિમ દિશામાં રસોઇઘર હોય, એટલે કે ઘરનું રસોડું હોય તો તેને બીજી દિશામાં સ્થાપિત કરી દો.

⦁ ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં લાગેલી ટાઈલ્સ પણ ઘરના સભ્યની તબિયત પર અસર કરી શકે છે ! જો આ દિશા તરફના રૂમમાં સફેદ રંગની કે ચીકણી ટાઇલ્સ લગાવેલી હોય તો તુરંત જ તેને બદલાવી દો. શક્ય હોય તો વુડન ટાઈલ્સ લગાવડાવી દો. અથવા લાકડા રંગની ટાઈલ્સ લગાવડાવો.

⦁ મંગળવારે દક્ષિણ-પશ્ચિમ દિશાની છત પર એક ‘મહાવીરી ઝંડો’ એટલે કે, હનુમાનજીના ચિત્ર સાથેનો ધ્વજ શુભ મૂહુર્તમાં લગાવો. ધ્યાન રાખો, કે મહાવીરી ઝંડો નૈઋત્ય ખૂણામાં જ લગાવવો જોઈએ. આ ઉપાય આપના માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">