Vastu tips : બેડરૂમમાં રાખો આ વસ્તુ, સંબંધમાં આવશે મિઠાસ

|

Feb 20, 2022 | 7:33 AM

વાસ્તુ દ્વારા સંબંધોને વધુ મજબૂત બનાવી શકાય છે. અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે વાસ્તુ અનુસાર બેડરૂમમાં કઈ વસ્તુઓ રાખવી જોઈએ.

Vastu tips : બેડરૂમમાં રાખો આ વસ્તુ, સંબંધમાં આવશે મિઠાસ
Vastu Tips

Follow us on

પ્રેમ( LOVE) અને પરસ્પર તાલમેલ સંબંધો (Relationship) ને વધુ મજબૂત અને સ્વસ્થ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો સંબંધોમાં સમજણ હોય તો ઘણી મુશ્કેલીઓનો સરળતાથી સામનો કરી શકાય છે. જો કે કેટલીકવાર પરસ્પર સંકલન હોવા છતાં, સંબંધોમાં સમસ્યાઓ રહે છે. જેને તકલીફ છે તે વ્યક્તિ સમજી શકતી નથી કે સમસ્યાઓ શા માટે વધી રહી છે. જો કે, તેની પાછળ વાસ્તુ દોષ પણ હોઈ શકે છે. આટલું જ નહીં, લોકો ઘણીવાર એ પણ જાણતા નથી કે સંબંધોમાં તિરાડ પાછળ વાસ્તુ સંબંધિત નિયમો પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

વાસ્તુશાસ્ત્રમાં બનાવેલા નિયમોની અવગણના કરવાથી આર્થિક અને શારીરિક સમસ્યાઓ થાય છે. જો કે, વાસ્તુ દ્વારા સંબંધોને વધુ મજબૂત બનાવી શકાય છે. અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે વાસ્તુ અનુસાર બેડરૂમમાં કઈ વસ્તુઓ રાખવી જોઈએ.

લવ બર્ડ

નામ મુજબ જ તે પ્રેમની નિશાની છે. જો તમારા રૂમમાં લવ બર્ડ છે અથવા તેને રાખવા માંગો છો, તો તેના માટે હંમેશા દક્ષિણ-પશ્ચિમ દિશા પસંદ કરો. જો તમે ઈચ્છો તો લવ બર્ડની મૂર્તિને બદલે રૂમમાં તેની તસવીર પણ લગાવી શકો છો. એવું કહેવાય છે કે આમ કરવાથી સંબંધોમાં મધુરતા આવે છે અને પ્રેમભર્યું વાતાવરણ રહે છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

રાધા-કૃષ્ણનું ચિત્ર

પ્રેમનું પ્રતિક ગણાતા રાધા-કૃષ્ણની તસવીર બેડરૂમમાં લગાવવી શુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર બેડરૂમમાં રાધા-કૃષ્ણનું ચિત્ર કે મૂર્તિ દક્ષિણ-પશ્ચિમ દિશામાં ગોઠવવી જોઈએ. આમ કરવાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ પણ વધે છે.

વાંસનો છોડ

વાસ્તુશાસ્ત્ર અનુસાર વાંસના છોડને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે, જેને ઘરમાં લગાવવાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવે છે. સંબંધો વધું લાગણ સભર રહે તે માટે બેડરૂમના પૂર્વ-દક્ષિણ ખૂણામાં વાંસના છોડને ગોઠવો. એવું માનવામાં આવે છે કે વાંસનો છોડ જે ઝડપે વધે છે, તે જ ગતિથી વ્યક્તિ આગળ વધે છે. આવી સ્થિતિમાં વાંસનો છોડ લગાવ્યા બાદ તે સુકાઈ ન જાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ.

હિમાલયની તસવીર

કહેવાય છે કે ઘરમાં હિમાલયની તસવીર લગાવવાથી સકારાત્મક ઉર્જા આવે છે. બેડરૂમમાં હિમાચલની તસવીર લગાવવાથી મન શાંત થાય છે અને ખુશનુમા વાતાવરણ જળવાઈ રહે છે. તેને તમારા રૂમમાં યોગ્ય જગ્યાએ ગોઠવો.

(નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે અને તેને વિવિધ લેખનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ તમામ સાથે ટીવી 9 પણ સંમત જ છે તેમ માનવું નહી)

આ પણ વાંચો : Child care tips : બાળકોને શિસ્તબદ્ધ બનાવવા ઇચ્છો છો, તો આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

આ પણ વાંચો : Vadodara: વૈષ્ણવ સમાજ દ્વારા વિરોધ થતા ગોવર્ધન નાથ હવેલી સ્થળાંતર કરવાનો નિર્ણય હાલ પુરતો સ્થગિત

Published On - 7:31 am, Sun, 20 February 22

Next Article