AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ઘરમાં હાજર આ 5 વસ્તુઓથી આવે છે ગરીબી અને બીમારીઓ, આવી વસ્તુ તરત જ કરો દુર

Vastu Tips: વાસ્તુ અનુસાર જો કોઈ ઘરમાં કોઈ દેવી-દેવતાની તુટેલી મૂર્તિ હોય કે કોઈ તસ્વીર ફાટી ગઈ હોય કે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હોય તો તેને તરત જ ઘરની બહાર કોઈ પવિત્ર સ્થાન પર મૂકી દો.

Vastu Tips: ઘરમાં હાજર આ 5 વસ્તુઓથી આવે છે ગરીબી અને બીમારીઓ, આવી વસ્તુ તરત જ કરો દુર
Vastu Tips
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2023 | 7:46 PM
Share

વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરોમાં વાસ્તુ યોગ્ય હોય છે અને કોઈપણ પ્રકારનો વાસ્તુદોષ નથી હોતો ત્યાં હંમેશા સુખ, સકારાત્મક ઉર્જા અને સુખ-શાંતિ રહે છે. પરંતુ તેનાથી વિપરિત જે ઘરોમાં વાસ્તુદોષ હોય અથવા કોઈ સામગ્રી ખોટી દિશામાં રાખવામાં આવે ત્યાં હંમેશા નકારાત્મક ઉર્જા રહે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, વાસ્તુ દોષના કારણે વ્યક્તિના મનમાં નકારાત્મક લાગણી ઉત્પન્ન થાય છે અને વ્યક્તિ ઘણીવાર બીમાર પડી જાય છે.

ખંડિત મુર્તિ

હિંદુ ધર્મમાં મૂર્તિ પૂજાનું વિશેષ મહત્વ છે. વાસ્તુ અનુસાર જો કોઈ ઘરમાં કોઈ દેવી-દેવતાની તુટેલી મૂર્તિ હોય કે કોઈ તસ્વીર ફાટી ગઈ હોય કે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હોય તો તેને તરત જ ઘરની બહાર કોઈ પવિત્ર સ્થાન પર મૂકી દો. હિંદુ ધર્મમાં તૂટેલી મૂર્તિની પૂજા કરવી સારી માનવામાં આવતી નથી. વાસ્તુ અનુસાર ખંડિત મૂર્તિઓની પૂજા કરવી વર્જિત માનવામાં આવે છે. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. આવી સ્થિતિમાં જો ઘરમાં તૂટેલી મૂર્તિ કે તસવીર હોય તો તેનું નદીમાં વિસર્જન કરવું જોઈએ.

તૂટેલો માલ- સામાન

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં જે વસ્તુઓ નકામી થઈ ગઈ હોય અથવા તૂટી ગઈ હોય તેમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે. આવી સ્થિતિમાં નકામી વસ્તુઓને તરત જ ઘરમાંથી હટાવી દેવી જોઈએ. ઘણા લોકોને તૂટેલા સામાનનો સતત કેટલાક દિવસો સુધી ઉપયોગ કરવાની આદત હોય છે. આવી સ્થિતિમાં ઘરમાં રહેતા સભ્યોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

કાંટાવાળા છોડ

વાસ્તુ અનુસાર ઘરોમાં લીલા છોડ રાખવાથી સકારાત્મક ઉર્જાનો પ્રભાવ રહે છે. પરંતુ ઘરની અંદર કોઈપણ સમયે સુકાઈ ગયેલા છોડ અથવા એવા છોડ કે જેમાં ખૂબ કાંટા હોય તેને ઘરમાં ન રાખવા જોઈએ. આનાથી ઘરમાં તણાવ અને રોગ પેદા થાય છે.

મુખ્ય દ્વાર સામે મંદિર

ઘણીવાર એવું જોવા મળે છે કે ઘણા ઘરોમાં મંદિર એવા મુકવામાં આવે છે જ્યાં મુખ્ય દરવાજો સીધો હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજાની સામે મંદિર બિલકુલ ન હોવું જોઈએ. જેના કારણે તે વ્યક્તિને ભાગ્યનો પૂરો સાથ નથી મળતો. જે ઘરોમાં દેવી-દેવતાઓનું મંદિર આવા સ્થાને હોય ત્યાં પૂજાનું પૂર્ણ ફળ મળતું નથી.

(અહીં આપેલી માહિતી જ્યોતિષીય મૂલ્યાંકન પર આધારિત છે અને TV9 તેનાથી સંબંધિત કોઈ દાવો કરતું નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવ્યું છે.)

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">