AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ઘરમાં ઉત્તર દિશામાં રાખો આ વસ્તુઓ, વરસશે મા લક્ષ્મીની કૃપા

Vastu Tips: ઘણી વખત આપણે દિશાના જ્ઞાન વિના વસ્તુઓ સ્થાપિત કરીએ છીએ, તે પણ નુકસાનકારક હોઈ શકે છે

Vastu Tips: ઘરમાં ઉત્તર દિશામાં રાખો આ વસ્તુઓ, વરસશે મા લક્ષ્મીની કૃપા
પ્રતિકાત્મક ફોટો
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2021 | 11:55 PM
Share

Vastu Tips : પાંચ તત્વો પર આધારિત જ્યોતિષશાસ્ત્ર (Astrology) અને વાસ્તુશાસ્ત્રનો (Vastushastra) આપણા સુખ, સૌભાગ્ય અને સારા સ્વાસ્થ્ય સાથે ઊંડો સંબંધ છે. આ જ કારણ છે કે કોઈપણ ઘર બનાવતી વખતે આ વાસ્તુ નિયમોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિનું સ્વાસ્થ્ય (Health) તેની જીવનશૈલી અને ખાનપાન પર નિર્ભર કરે છે, પરંતુ વાસ્તુ પણ તેમાં મહત્વનો ભાગ ભજવે છે.

જો તમે વાસ્તુ અનુસાર યોગ્ય દિશામાં કામ કરશો તો તમને ચોક્કસપણે શુભ ફળ મળશે. તમારું શરીર અને મન બંને સ્વસ્થ રહે છે. વાસ્તુ અનુસાર કેટલીક વસ્તુઓ ઘરમાં રાખવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. ઘણી વખત આપણે દિશાના જ્ઞાન વિના વસ્તુઓ સ્થાપિત કરીએ છીએ, તે પણ નુકસાનકારક હોઈ શકે છે.

ઘરનું પ્રવેશદ્વાર (Entrance) ઉત્તર દિશામાં – વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો દરવાજો ઉત્તર દિશામાં હોવો જોઈએ. આ દિશામાં દરવાજો હોવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ સિવાય તમે ઉત્તર દિશામાં ધનના દેવતા કુબેરની મૂર્તિ પણ લગાવી શકો છો. તેનાથી નોકરીમાં પ્રમોશન થાય છે.

ઉત્તર દિશામાં રસોડુંઃ– વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડું (kitchen) ઉત્તર દિશામાં હોવું જોઈએ. આવું હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે હંમેશા માતા અન્નપૂર્ણાના આશીર્વાદ વરસાવે છે. માતા અન્નપૂર્ણાની કૃપાથી અન્નનો ભંડાર હર્યો-ભર્યો રહે છે અને ક્યારેય પણ અન્નની કમી થતી નથી.

ઉત્તર દિશાની દીવાલો પર તિરાડ ન હોવી જોઈએ – વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર દિશાની દીવાલો પર ક્યારેય તિરાડ ન હોવી જોઈએ. જેના કારણે પ્રગતિના માર્ગો બંધ થઈ જાય છે અને ઘરમાં મુશ્કેલીની સ્થિતિ રહે છે.

ઉત્તર દિશામાં અરીસો લગાવો – વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર દિશામાં અરીસો મૂકવો શુભ છે. આ દિશામાં અરીસો રાખવાથી શુભ ફળ મળે છે. આ દિશામાં અરીસો લગાવવાથી વ્યક્તિનું જીવન ખુશહાલ બની જાય છે. આ દિશામાં અરીસો લગાવવાથી આર્થિક સમૃદ્ધિ આવે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Photos : આલિયા ભટ્ટની BFF મેઘના ગોયલે પોતાના લગ્નમાં પહેરી રફલ સાડી, તમે પણ અપનાવી શકો છો આ લુક

આ પણ વાંચો: આ વ્યક્તિએ તેના બોસને બનાવ્યા ઉલ્લુ ! પાંચ વર્ષ સુધી લીધો મફતનો પગાર, જાણો સમગ્ર વિગત

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">