AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips : ચાંદીના હાથીની મૂર્તિ ઘરમાં રાખવી શુભ મનાય છે, તેનાથી આવશે સુખ-સમૃદ્ધિ

Vastu Tips : ચાંદી અને હાથી બંને નકારાત્મકતાને દૂર કરે છે અને સકારાત્મકતા વધારે છે. ચાંદીથી બનેલો હાથી જ્યોતિષ અને વાતુ (Vatu)ની દૃષ્ટિએ ખૂબ જ શુભ માનવામાં આવે છે. હાથીની મૂર્તિ રાખવાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

Vastu Tips : ચાંદીના હાથીની મૂર્તિ ઘરમાં રાખવી શુભ મનાય છે, તેનાથી આવશે સુખ-સમૃદ્ધિ
Silver Elephant
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2022 | 2:53 PM
Share

હિંદુ ધર્મમાં હાથીને સમૃધ્ધીનું પ્રતિક માનવામાં આવે છે. ઉપરાંત ચાંદીમાંથી બનેલો હાથી(Silver Elephant) શુભ માનવામાં આવે છે. માત્ર હિંદુ ધર્મમાં જ નહીં, પરંતુ વાસ્તુ (Vastu) અને ફેંગશુઈ વિજ્ઞાનમાં પણ હાથીની પ્રતિમા, ચિત્ર રાખવું ખૂબ જ શુભ કહેવાય છે. હિંદુ માન્યતા અનુસાર હાથીને ભગવાન ગણેશનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. ઉપરાંત, સંપત્તિની દેવી, લક્ષ્મી હાથી પર સવારી કરે છે. આવો જાણીએ ચાંદીની હાથીની મૂર્તિ ઘરમાં રાખવાના ફાયદા.

ઘરમાં શા માટે ચાંદીની હાથીની મૂર્તિ રાખવી જોઈએ?

વાસ્તુ અનુસાર ઘરમાં ચાંદીની હાથીની પ્રતિમા રાખવાથી માન-સન્માન અને કીર્તિ મળે છે. જ્યોતિષ અને વાસ્તુની દૃષ્ટિએ ચાંદીથી બનેલો હાથી ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર ચાંદી અને હાથી બંને નકારાત્મકતાને દૂર કરે છે અને સકારાત્મકતા વધારે છે. તેમજ ઘરમાં ખુશીનું વાતાવરણ રહે છે અને વેપારમાં પ્રગતિ થાય છે. હાથીની મૂર્તિ રાખવાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

ચાંદીની હાથીની પ્રતિમાથી લાભ થશે

1- ઘર કે ઓફિસમાં ટેબલ પર ચાંદીથી બનેલો હાથી રાખવાથી અટકેલા કામ ઝડપથી થાય છે. ઉત્તર દિશામાં ચાંદીનો હાથી રાખવો ખૂબ જ શુભ હોય છે.

2- ચાંદીના હાથીને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખવાથી આવકના સ્ત્રોત વધે છે.

3- જો કોઈ વિદ્યાર્થી તેની કારકિર્દીમાં વારંવાર નિષ્ફળ જાય છે, તો તે અભ્યાસ રૂમમાં તેના ડેસ્ક પર હાથીની મૂર્તિ રાખી શકે છે. આનાથી બાળકોનું મન માત્ર અભ્યાસમાં જ લાગશે નહીં, તેઓને કારકિર્દીના દરેક વળાંક પર સફળતા પણ મળશે.

4- જો કે હાથીને યોગ્ય દિશામાં રાખવા જોઈએ. ધ્યાન રાખો કે ભુલ્યા પછી પણ હાથીની પ્રતિમા દક્ષિણ કે પશ્ચિમ દિશામાં ન રાખવી જોઈએ. તેનાથી નકારાત્મક ઉર્જા આવે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
g clip-path="url(#clip0_868_265)">