Vastu Shastra: મુખ્ય દરવાજા સાથે જોડાયેલી આ વાતોનું રાખો ધ્યાન રાખો, ઘરમાં આવશે સુખ-શાંતિ

|

Aug 18, 2023 | 6:59 PM

Vastu Tips: જો ઘરનો મુખ્ય દરવાજો સ્વચ્છ અને વ્યવસ્થિત હોય તો ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. મુખ્ય દરવાજાને લઈને વાસ્તુમાં કેટલાક નિયમો આપવામાં આવ્યા છે. આમાં જણાવવામાં આવ્યું છે કે ઘરના મુખ્ય દરવાજાને લઈને આપણે શું ધ્યાન રાખવું જોઈએ. ચાલો જાણીએ આ નિયમો વિશે.

Vastu Shastra: મુખ્ય દરવાજા સાથે જોડાયેલી આ વાતોનું રાખો ધ્યાન રાખો, ઘરમાં આવશે સુખ-શાંતિ
Vastu Shastra

Follow us on

Vastu Tips : કોઈપણ ઘર માટે ઘરના મુખ્ય દરવાજાનું વિશેષ મહત્વ હોય છે. ઘરના મુખ્ય દરવાજાને જોઈને ઘર(house)ના લોકોની જીવનશૈલી અને વ્યક્તિત્વ જાણી શકાય છે. જો ઘરનો મુખ્ય દરવાજો ચોખ્ખો, વ્યવસ્થિત અને સારી રીતે સજ્જ હોય ​​તો ઘરમાં આવતા લોકો પર તેની સારી અસર પડે છે. તેનાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

જો જોવામાં આવે તો મુખ્ય દરવાજાથી માત્ર આવવા-જવાનું કામ જ નથી થતું પરંતુ આપણું સૌભાગ્ય, સુખ અને સમૃદ્ધિ પણ આ દરવાજાથી જ થાય છે. જો તેમાં કોઈ ખામી હોય તો તે આપણી આર્થિક સફળતા, પ્રગતિ, જીવનમાં સુખ અને સગવડમાં ઘટાડો થાય છે.

આ પણ વાંચો : Vastu tips : શું આપના બાળકો ભણવાથી દૂર ભાગે છે તો આજે જ અજમાવો વાસ્તુ સાથે જોડાયેલ આ સરળ ઉપાયો

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સુખ, સંપત્તિ, વિકાસ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય ઈચ્છે છે. જેના માટે તે ઘણી મહેનત પણ કરે છે. આમ છતાં તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વાસ્તુ અનુસાર એવું માનવામાં આવે છે કે તમારા જીવનમાં આવનારી પરેશાનીઓ માટે તમારા ઘરના વાસ્તુ દોષો મોટાભાગે જવાબદાર હોય છે. તેની નકારાત્મક કે સકારાત્મક અસર જીવન પર પડે છે. જાણો ઘરના મુખ્ય દરવાજા સાથે જોડાયેલા કેટલાક વાસ્તુ નિયમો, જેને અપનાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે.

  1. શુભ ફળ મેળવવા માટે ઘરનો મુખ્ય દરવાજો ઉત્તર કે પૂર્વ દિશામાં બનાવવો જોઈએ.
  2. ઘરનો મુખ્ય દરવાજો ઘરના બીજા દરવાજા કરતા મોટો હોવો જોઇએ.
  3. ઘરની સામે કોઈ અવરોધ ન હોવો જોઈએ. કોઈ વૃક્ષ, થાંભલો, મકાન, પાણીની ટાંકી, ખાડો, જર્જરિત ઈમારત ન હોવી જોઈએ.
  4. ધ્યાન રાખો કે પ્રવેશદ્વાર પર કોઈ કાણું કે તિરાડ ન હોવી જોઈએ. જો એમ હોય, તો તેને ઠીક કરો.
  5. ઘરનો મુખ્ય દરવાજો બે ભાગમાં જ ખોલવો જોઈએ. વાસ્તુમાં તેને શુભ માનવામાં આવે છે.
  6. ઘરનો મુખ્ય દરવાજો હંમેશા અંદરની તરફ ખુલવો જોઈએ. ઘરનો દરવાજો ક્યારેય બહારની તરફ ન ખોલવો જોઈએ, તેનાથી આર્થિક નુકસાન થાય છે.
  7. ઘરના મુખ્ય દરવાજાને આકર્ષક રાખો. એક તોરણ મૂકો. મુખ્ય દરવાજા પર સ્વસ્તિક, ઓમ અથવા કોઈપણ શુભ ચિન્હ લગાવો.
  8. ઘરના મુખ્ય દરવાજાની સામે તુલસી અને કેળનો છોડ લગાવવા અત્યંત શુભ માનવામાં આવે છે. આના ઘરના વાસ્તુ સંબંધિત દોષ દુર થાય છે
  9. ઘરના દરવાજા પર ઘંટડી લગાવો. તેનાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશતી અટકાવે છે.
  10. મુખ્ય દરવાજા પર ક્રિસ્ટલ બોલ મૂકો. દરવાજા પર લાલ રિબન મૂકો. તેનાથી નકારાત્મકતા પણ દૂર થાય છે.
  11. મુખ્ય દરવાજાની સામે કે તેની આસપાસ ગંદકી કે કચરો ન રાખવો જોઈએ, બલ્કે તે હંમેશા સાફ હોવો જોઈએ. તેનાથી ઘરમાં પોઝિટીવ ઉર્જા આવશે.
  12. મુખ્ય દરવાજાની સામે કે તેની આસપાસ ચપ્પલ ન ઉતારો
  13. ઘરનો દરવાજમાં અવાજ ન આવે તેનું ખાસ ધ્યાન રાખવું. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે.

(અહીં આપેલી માહિતી જ્યોતિષીય મૂલ્યાંકન પર આધારિત છે અને TV9 તેનાથી સંબંધિત કોઈ દાવો કરતું નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવ્યું છે.)

ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

Next Article