અજમાવી લો આ સરળ ઉપાય, વિવાહ આડેના તમામ વિઘ્નોને દૂર કરી દેશે પવનસુત હનુમાન

પવનસુત હનુમાનજીના આશીર્વાદથી (hanuman blessings) જીવનના તમામ પ્રકારના કષ્ટ નષ્ટ થઈ જતા હોય છે. એટલે જ વિવાહ આડેના વિઘ્નોને દૂર કરવા પણ ભક્તો તેમનું શરણું લેતા હોય છે. શનિવારના રોજ એક અત્યંત સરળ ઉપાય અજમાવીને તમે લગ્ન સંબંધી સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો.

અજમાવી લો આ સરળ ઉપાય, વિવાહ આડેના તમામ વિઘ્નોને દૂર કરી દેશે પવનસુત હનુમાન
Lord Hanuman (symbolic image)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Jul 16, 2022 | 6:34 AM

ઘણીવાર એવું બને છે કે યુવક-યુવતીને લગ્ન (marriage) માટે સુયોગ્ય પાત્ર નથી મળતું. તો ક્યારેક સારું પાત્ર મળવા છતાં મનમેળ નથી બેસતો અને વાત આગળ વધે તે પહેલાં જ અટકી જાય છે. તો ઘણીવાર એવું પણ બને છે કે યોગ્ય પાત્ર મળી જાય, વિવાહ નક્કી પણ થઈ જાય, તો પણ, વિવાહમાં વિઘ્નો (Disturbance in marriage) આવીને ઉભા રહી જાય. વારંવાર મુહૂર્ત જોવડાવા છતાં વિવાહ પાછા જ ઠેલાતા જાય. આ બધી જ સમસ્યાઓમાં આ એક અત્યંત સરળ ઉપાય ખૂબ જ ફળદાયી સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આ ખાસ પ્રયોગ શનિવારના (saturday remedies) દિવસે કરવાનો છે. અને તે હનુમાનજીના આશીર્વાદની (hanuman blessings) પ્રાપ્તિ કરાવનારો છે.

ફળદાયી પ્રયોગ

પવનસુત હનુમાનજીને આપણે કષ્ટભંજન દેવ તરીકે પૂજીએ છીએ. તે જીવનના તમામ પ્રકારના કષ્ટને નષ્ટ કરી દે છે.  એટલે જ વિવાહ આડેના વિઘ્નોને દૂર કરવામાં પણ તેમનું શરણું લેવાનું છે. આ માટે વિશેષ કશું જ નથી કરવાનું. શનિવારના દિવસે હનુમાનજીના મંદિરે જઈ તેમને ચમેલીનું તેલ અને સિંદૂર અર્પણ કરવાનું છે. અને ત્યારબાદ તેમને વિવાહ આડેના વિઘ્ન દૂર કરવા માટેની પ્રાર્થના કરવાની છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ઉપરોક્ત જણાવેલ ઉપાય સળંગ 7 શનિવાર સુધી કરવાનો છે.

જો મંદિરમાં જઈ આ પ્રયોગ કરવો શક્ય ન હોય તો ઘરમાં રહેલ હનુમાન પ્રતિમાને આસ્થા સાથે સિંદૂર અને ચમેલીનું તેલ અર્પણ કરી શકાય.

લગ્નવાંચ્છુક યુવક-યુવતી આ પ્રયોગ કરે તો તે વિશેષ ફળદાયી બની રહેશે.

જો લગ્નવાંચ્છુક યુવક-યુવતી આ પ્રયોગ કરી શકે તેમ ન હોય તો તેમના માતા-પિતા પણ આ ઉપાય અજમાવી સંતાનો વતી પ્રાર્થના કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે આ પ્રયોગ લૌકિક માન્યતાઓ પર આધારીત છે. પણ, કહે છે કે શ્રદ્ધા સાથે જો આ પ્રયોગ થાય તો કષ્ટભંજન દેવ ચોક્કસથી પ્રસન્ન થાય છે. અને લગ્ન આડેના તમામ વિઘ્નો ઝડપથી દૂર કરી દે છે. જેને પરિણામે શીઘ્ર વિવાહના યોગ સર્જાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">