AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navratri 2022 : નવરાત્રીની આઠમે અજમાવી લો આ ઉપાય, નોકરી સંબંધી તમામ સમસ્યા થઈ જશે દૂર !

દેવી દુર્ગાને (Devi durga) પાન અતિપ્રિય છે. આઠમા કે નવમા નોરતે માતાજીને પાનનું બીડું અર્પણ કરવું જોઈએ. નાગરવેલના પાનમાં ઇલાયચી, લવિંગ, સાકર અને સોપારી ઉમેરીને તેનું બીડું બનાવી દેવીને સમર્પિત કરવું.

Navratri 2022 : નવરાત્રીની આઠમે અજમાવી લો આ ઉપાય, નોકરી સંબંધી તમામ સમસ્યા થઈ જશે દૂર !
Maa durga
TV9 Bhakti
| Edited By: | Updated on: Oct 03, 2022 | 7:23 AM
Share

નવરાત્રીનો (Navratri) તહેવાર પૂર્ણાહુતિની નજીક પહોંચી ચૂક્યો છે. આ મહાઉત્સવના (Mahautsav) અંતિમ દિવસો મહાપુણ્યની પ્રાપ્તિ કરાવનારા છે. ખાસ તો સારી નોકરીની (Job) મનશા રાખનારા ભાવિકો માટે આ સર્વોત્તમ તક છે. જીવનમાં સારી નોકરી મળે તે માટે વ્યક્તિ હંમેશા પ્રયત્ન કરતી જ રહે છે. દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તેને એક સારી નોકરી મળે. પરંતુ આ સપનું દરેક લોકોનું પૂર્ણ નથી થતું. કેટલીકવાર એવું પણ બને છે કે તમે પોતાની પસંદની નોકરી નથી મેળવી શકતા અને નોકરીમાં ટકી રહેવા તમારે સંઘર્ષનો સામનો કરવો પડે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં એવા કેટલાક સરળ ઉપાયો જણાવવામાં આવ્યા છે કે જે અજમાવવાથી આપને મનપસંદ નોકરી મળી શકે છે અને આ ઉપાયો અજમાવવાનો શ્રેષ્ઠ સમય છે નવરાત્રિના અંતિમ દિવસો. એક સારી નોકરી મેળવવા માટે કર્મ તો સારું કરવું જ પડે છે પરંતુ, તેની સાથે ભાગ્યનો સાથ હોવો પણ એટલો જ જરૂરી છે. જો કે કેટલીકવાર ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતી હોય છે. જે વ્યક્તિને ખૂબ પરેશાન કરી નાંખે છે. આ મુસીબતોને દૂર કરવા માટે નવરાત્રિ દરમ્યાન મા દુર્ગા સાથે જોડાયેલ કેટલાક ઉપાયો છે જે અજમાવવાથી આપની નોકરી સંબંધિત મુસીબતો દૂર થશે.

દેવી દુર્ગાને અર્પણ કરો આ વસ્તુઓ

⦁ દેવી દુર્ગાને પાન અતિપ્રિય છે. આઠમા કે નવમા નોરતે માતાજીને પાનનું બીડું અર્પણ કરવું જોઈએ. નાગરવેલના પાનમાં ઇલાયચી, લવિંગ, સાકર અને સોપારી ઉમેરીને તેનું બીડું બનાવી દેવીને સમર્પિત કરવું.

⦁ જો તમને તમારી નોકરીના સ્થળ પર કોઇ પરેશાની હોય કે કોઇ પરેશાન કરી રહ્યું હોય તો આપ દેવી દુર્ગા સાથે હનુમાનજીને પણ પાનનું બીડું અર્પણ કરી શકો છો.

 આ ઉપાય અજમાવવાથી આપની નોકરી સાથે જોડાયેલ સમસ્યાઓનો અંત આવશે

સ્નાન કરતા સમયે કરી લો આ કામ !

જો લાંબાગાળાથી આપને નોકરીમાં પ્રમોશન ન મળી રહ્યું હોય કે પછી તમે જે નોકરી કરવા ઇચ્છા ધરાવો છો તે નોકરીની શોધમાં હોવ, આપને પસંદગીની નોકરી મેળવવામાં મુસીબતોનો સામનો કરવો પડતો હોય તો નિત્ય સ્નાન કરતા સમયે પાણીમાં ઇલાયચી ઉમેરીને તે પાણીથી સ્નાન કરવું જોઇએ. જો આપ નિત્ય ઇલાયચીયુક્ત જળથી સ્નાન કરો છો તો અવશ્ય આપની નોકરી સંબંધિત સમસ્યાઓ દૂર થશે અને આપની આર્થિક સ્થિતિ પણ સારી બનશે.

ઘરનાં મુખ્ય દ્વાર પર આ વસ્તુ મૂકો

દેવી લક્ષ્મી મા દુર્ગાનું જ સ્વરૂપ છે. દેવી લક્ષ્મીની ઉપાસના કરવાથી સારી નોકરી મેળવવામાં મદદ મળે છે. જો તમે પહેલાથી જ નોકરી કરી રહ્યો છો અને નોકરીના સ્થળ પર આપને ઘણો સંઘર્ષ કરવો પડતો હોય તો દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આપના ઘરનાં મુખ્ય દ્વાર પર કમળનું ખીલેલું પુષ્પ રાખી દો. શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવ્યું છે કે માતા લક્ષ્મી પ્રવેશદ્વાર પર પોતાની પ્રિય વસ્તુ જોઇને આકર્ષાશે. અને આ સ્થાન પર નિવાસ કરશે.

આ મંત્રનો કરો જાપ

જો આપને મનપસંદ નોકરી નથી મળી રહી તો આપે આઠમા નોરતાના દિવસે એટલે કે આજે આ પ્રયોગ ખાસ કરવો. 108 મણકા વાળી સ્ફટિકની માળા લેવી અને  “ૐ હ્રીં વાગ્વાદિની ભગવતી મમ કાર્ય સિદ્ધિ કુરુ કુરુ ફટ્ સ્વાહા ।”  મંત્રની 21 માળા કરવી જોઇએ.

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">