બાળકોને રાશિ અનુસાર કરાવી દો આ ખાસ કામ, વિવિધ સમસ્યાઓથી મળી જશે આરામ !

મિથુન રાશિના બાળકો (Children) પાસે નિયમિતપણે હનુમાન ચાલીસા વંચાવવી જોઈએ અથવા તો સંભળાવવી જોઈએ. આ બાળકોના રૂમમાં ચંદનની સુગંધ પ્રસરાવવાનો પ્રયોગ કરવો અને ભોજન બાદ વરિયાળી અને સાકર ખવડાવવા જોઈએ.

બાળકોને રાશિ અનુસાર કરાવી દો આ ખાસ કામ, વિવિધ સમસ્યાઓથી મળી જશે આરામ !
Family
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Dec 07, 2022 | 6:15 AM

જો ઘરમાં બાળકો હસતા, રમતા અને સ્વસ્થ હોય, તો માતા-પિતા પણ નચિંત રહેતા હોય છે. પણ, સામાન્ય રીતે બાળકો ક્યારેક અભ્યાસને લઈને, ક્યારેક સ્વાસ્થ્યને લઈને, તો ક્યારેક તેમના સ્વભાવને લઈને માતા-પિતાને પરેશાન કરી દેતા હોય છે. ત્યારે આજે એવાં કેટલાંક જ્યોતિષીય ઉપાયોની વાત કરવી છે કે જે બાળકના ઉછેરમાં સકારાત્મક પરિણામ લાવી શકે છે. મોટાભાગે દરેક રાશિના કેટલાંક વિશેષ ગુણ હોય છે. અને બાળકના સ્વભાવ, તેના કાર્યો પર તેની રાશિનો પ્રભાવ ચોક્કસપણે હોય જ છે. ત્યારે આવો જાણીએ કે બાળકમાં સકારાત્મક ગુણો ઉદભવે તે માટે તેની પાસે કયા કાર્ય અચૂક કરાવવા જોઈએ.

1. મેષ રાશિ

મેષ રાશિના બાળકો પાસે નિત્ય જ સૂર્યનારાયણને જળ અર્પણ કરાવવું જોઈએ. આ સમયે બાળકો પાસે “ૐ આદિત્યાય નમઃ ।” મંત્રનો જાપ કરાવવો જોઈએ. મેષ રાશિના બાળકો જો ભોજનમાં થોડાં ગોળનું સેવન કરે તો તે તેમના માટે લાભદાયી બની રહેશે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

2. વૃષભ રાશિ

વૃષભ રાશિના બાળકોને દરરોજ તુલસીના 2 પાનનું સેવન કરાવવું જોઈએ. એ જ રીતે દૂધ પણ નિત્ય જ પીવડાવું જોઈએ. યાદ રાખો, આ બાળકોને શક્ય હોય ત્યાં સુધી લાલ રંગના વસ્ત્ર પહેરાવવાનું ટાળવું જોઈએ. જ્યારે બાળકને 10 વર્ષ પૂર્ણ થઈ જાય, ત્યારે તેની પાસે દુર્ગા ચાલીસાનો પાઠ કરાવવો જોઈએ.

3. મિથુન રાશિ

મિથુન રાશિના બાળકો પાસે નિયમિતપણે હનુમાન ચાલીસા વંચાવવી જોઈએ અથવા તો સંભળાવવી જોઈએ. આ બાળકોના રૂમમાં ચંદનની સુગંધ પ્રસરાવવાનો પ્રયોગ કરવો. સાથે જ મિથુન રાશિના બાળકોને નિત્ય જ ભોજન બાદ વરિયાળી અને સાકર ખવડાવવા જોઈએ.

4. કર્ક રાશિ

શક્ય હોય તો કર્ક રાશિના બાળકોને ગળામાં ચાંદીની ચેઇન ધારણ કરાવવી જોઈએ. અને બને તેટલું તેમને કાળા રંગના વસ્ત્ર પહેરાવવાનું ટાળવું જોઈએ.

5. સિંહ રાશિ

સિંહ રાશિના બાળકોએ દરરોજ સૂર્યનારાયણને જળ અર્પણ કરવું જોઈએ. સૌથી મહત્વની વાત એ છે કે તેમની ખાણીપીણી પર વિશેષ ધ્યાન આપવું. આ બાળકો તામસી વસ્તુઓના સેવનથી દૂર રહે તે તેમના માટે હિતાવહ છે.

6. કન્યા રાશિ

શક્ય હોય ત્યાં સુધી કન્યા રાશિના બાળકોને દિવસમાં એકવાર જરૂરથી મંદિરે દર્શન કરવા લઇ જવા. યાદ રાખો, આ બાળકોને પોકેટ મની આપતા ખાસ ધ્યાન રાખવું જોઈએ. પોકેટ મની બાળકોની આદતને બગાડી શકે છે.

7. તુલા રાશિ

તુલા રાશિના બાળકોને દરરોજ સવારે ભગવાન શિવના દર્શન કરાવવા. તમે શિવાલયમાં જઈને દર્શન કરાવી શકો છો. અથવા તો ઘરમાં રહેલ શિવલિંગના પણ દર્શન કરાવી શકો છો. આ બાળકોને મધ્યમા આંગળીમાં લોખંડની વીંટી ધારણ કરાવવી જોઈએ.

8. વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના બાળકોને ગળામાં ચાંદીની ચેઈન ધારણ કરાવવી જોઈએ. આ બાળકો માટે સૌથી વધુ જરૂરી એ છે કે માતા-પિતા તેમની સાથે સમય વિતાવે.

9. ધન રાશિ

ધન રાશિના બાળકોને તાંબાનું કડુ પહેરાવવું જોઈએ. આ બાળકોની સંગત પર સવિશેષ ધ્યાન આપવું જોઈએ.

10. મકર રાશિ

મકર રાશિના બાળકોએ હનુમાનજીની ઉપાસના કરવી જોઈએ. શક્ય હોય તો નિત્ય જ હનુમાન મંદિરે જવું. 12 વર્ષથી નીચેના બાળકોને વરિયાળી અને સાકરનું સેવન કરાવવું. તેનાથી બાળકો ભણવામાં હોંશિયાર બનશે.

11. કુંભ રાશિ

કુંભ રાશિના બાળકો પાસે નીતિ નિયમોના પાલનનો ખાસ આગ્રહ રાખવો જોઈએ. સાથે જ આ બાળકો સવારે બ્રશ કરી લે પછી તેમને અખરોટ ખવડાવવા જોઇએ.

12. મીન રાશિ

મીન રાશિના બાળકોને ચાંદીનું કડુ કે ચેઇન પહેરાવવા જોઇએ. બાળકને તળેલું, મસાલેદાર, તીખુ ખાવાનું ન આપવું જોઇએ.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Latest News Updates

રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">