Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજે પિતૃદોષમાંથી મુક્તિ મેળવવાનો શ્રેષ્ઠ અવસર, જાણો પિતૃઓને કેવી રીતે કરશો પ્રસન્ન?

Bhakti: એવું માનવામાં આવે છે કે અમાસે સાંજે ગૌધૂલી સમયે પિતૃઓ પોતાના પ્રિયજનોને જોવા ધરતી પર આવે છે. એટલા માટે શનિવારી અમાસની સાંજે દીવો પ્રજવલિત કરી પિતૃઓની પ્રસન્નતા અર્થે પાઠ કરવા જોઈએ. પિતૃશાંતિના ઉપાયોથી આપના સઘળા કષ્ટો પણ દૂર થઈ જશે.

આજે પિતૃદોષમાંથી મુક્તિ મેળવવાનો શ્રેષ્ઠ અવસર, જાણો પિતૃઓને કેવી રીતે કરશો પ્રસન્ન?
Pipal Tree (symbolic image)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Apr 30, 2022 | 6:19 AM

શનિવારી અમાસનું હિન્દુ ધર્મમાં ખૂબ વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આજનો દિવસ શનિદેવની કૃપા મેળવવાની સાથે સાથે પિતૃઓની પૂજા અર્ચના કરવા માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે અને આજે તે જ દુર્લભ અવસર આપણને પ્રાપ્ત થયો છે. શનૈશ્વરી અમાસે પિતૃઓની શાંતિ માટે કોઈ બ્રાહ્મણને જો દાન આપવામાં આવે તો તે ખૂબ શુભ માનવામાં આવે છે તો ચાલો જાણીએ કે પિતૃદોષથી મુક્તિ મેળવવા આ દિવસે કયા કયા વિશેષ ઉપાયો કરવા જોઈએ?

પીપળાના વૃક્ષની પૂજા

જો કોઈની કુંડળીમાં પિતૃદોષ હોય તો તેમણે શનિવારના દિવસે આવતી અમાસે પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રજવલિત કરવો. એક કાંસાના પાત્રમાં દૂધ, ગંગાજળ, કાળા તલ લેવા. ત્યારબાદ પીપળાના વૃક્ષની 7 પ્રદક્ષિણા કરવી. પ્રદક્ષિણા દરમ્યાન એક મંત્રનો જાપ કરતા રહેવું. તે મંત્ર છે ।। ૐ બ્રહ્મ દેવાય નમઃ ।। પરિક્રમા પૂર્ણ કર્યા પછી પીપળાના વૃક્ષને જનોઈ અર્પણ કરવી. સાથે જ પ્રસાદમાં કાળી કે સફેદ વસ્તુ અર્પણ કરીને પ્રાર્થના કરવી કે, “બ્રહ્મ દેવ, શનિદેવ, પિતૃદેવ અમારાથી કોઈ ભૂલ થઈ હોય તો અમને માફ કરીને આપની કૃપા અમારા પર વરસાવો.”

આજનું રાશિફળ તારીખ : 17-04-2025
Mongoose vs Snake : સાપ નોળિયાને કેમ હરાવી શકતો નથી? આ 5 કારણો છે
Train Historic Journey : ભારતની પહેલી ટ્રેનમાં કેટલા લોકોએ મુસાફરી કરી હતી?
Gold Price Prediction : એલર્ટ, 1,25,000 ને પર જશે સોનાનો ભાવ ! જાણો કારણ
ઝહીર ખાન-સાગરિકા ઘાટગેના દીકરાના નામનો અર્થ શું છે?
જયા કિશોરીએ કહી મહાભારતની આ 3 વાત, જે શીખી લેશો તો ક્યારેય હારશો નહીં..

પિતૃ તર્પણ કરો

શનિવારી અમાસે ખાસ કરીને આપના પિતૃઓનું તર્પણ કરવું જોઈએ. જવ, કાળા તલ અને જળની સાથે પુષ્પોથી તર્પણ કરવાથી આપના પિતૃઓ પ્રસન્ન થાય છે અને પિતૃદોષમાંથી આપને મુક્તિ મળે છે.

બ્રાહ્મણોને ભોજન કરાવો

શનિવારી અમાસના દિવસે પૂર્વજોની પસંદનું જમવાનું બનાવીને કોઈ બ્રાહ્મણને ભોજન અવશ્ય કરાવવું જોઈએ. સાથે જ તેમને યથાશક્તિ દક્ષિણા પણ આપવી જોઈએ. આ કાર્ય કરવાથી પિતૃઓના આશીર્વાદ આપને પ્રાપ્ત થશે.

ફળદાયી સ્તોત્ર

એવું માનવામાં આવે છે કે અમાસે સાંજે ગૌધૂલી સમયે પિતૃઓ પોતાના પ્રિયજનોને જોવા ધરતી પર આવે છે. એટલા માટે શનિવારી અમાસની સાંજે દીવો પ્રજવલિત કરીને નાગસ્ત્રોત, મહામૃત્યુંજય મંત્ર અને રુદ્ર સૂક્ત કે પિતૃ સ્ત્રોત અને નવગ્રહ સ્ત્રોતનો પાઠ અવશ્ય કરવો જોઈએ. આ કાર્ય કરવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે સાથે જ દરેક પ્રકારના કષ્ટો નાશ પામે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ ગુજરાતમાં પણ વિદ્યમાન થયા છે શ્રીવેંકટેશ્વર ! તિરુમાલાના તિરુપતિ બાલાજી જેવો અહીંનો મહિમા

આ પણ વાંચોઃ શનિવારી અમાસ અને ગ્રહણનો દુર્લભ યોગ, પૂર્ણ કરશે આપના સઘળા મનોરથ !

આગામી 2 દિવસ ગરમીથી નહીં મળે રાહત, આ જિલ્લામાં હીટવેવની આગાહી
આગામી 2 દિવસ ગરમીથી નહીં મળે રાહત, આ જિલ્લામાં હીટવેવની આગાહી
ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
જુહાપુરામાં બેફામ કારચાલક પર ટોળાનો હુમલો, 7 લોકોની કરી અટકાયત
જુહાપુરામાં બેફામ કારચાલક પર ટોળાનો હુમલો, 7 લોકોની કરી અટકાયત
રાજકોટમાં બસ ચાલકે 5 લોકોને લીધા અડફેટે, 4 લોકોના મોત
રાજકોટમાં બસ ચાલકે 5 લોકોને લીધા અડફેટે, 4 લોકોના મોત
આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
g clip-path="url(#clip0_868_265)">