AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભૂલથી પણ ન કરવા જોઈએ હોળાષ્ટક દરમ્યાન આ કાર્ય ! નહીંતર, પસ્તાવાનો આવી શકે છે વારો !

હોળાષ્ટકમાં (Holashtaka) નવા મકાન, નવી સંપત્તિ, ઘરેણાં અને ગાડીની ખરીદી કરવી પણ શુભ નથી મનાતી. સાથે જ ઘરના નિર્માણ કાર્યનો પ્રારંભ પણ હોળાષ્ટકમાં ન કરવો જોઇએ. આ દિવસોમાં રોકાણ કે પછી નવા વેપારની શરૂઆત કરવી પણ અશુભ મનાય છે !

ભૂલથી પણ ન કરવા જોઈએ હોળાષ્ટક દરમ્યાન આ કાર્ય ! નહીંતર, પસ્તાવાનો આવી શકે છે વારો !
Holashtak
TV9 Bhakti
| Edited By: | Updated on: Feb 21, 2023 | 6:29 AM
Share

સનાતન ધર્મમાં હોળાષ્ટકનું વિશેષ મહત્વ છે. આપને જણાવી દઇએ કે હોળાષ્ટક એ હોળીના 8 દિવસો પહેલા શરૂ થઈ જાય છે. અને આ આઠ દિવસોમાં કોઇપણ પ્રકારના શુભ કાર્યો કરવામાં નથી આવતા. ફાગણ માસમાં આવતા હોળિકા દહન અને ધૂળેટીના પર્વનું ખૂબ મહત્વ રહેલું છે. પરંતુ, આપને એક વાત જણાવી દઇએ કે આ આઠ દિવસ પહેલા હોળાષ્ટક શરૂ થઇ જાય છે.

આ આઠ દિવસોમાં કોઇપણ પ્રકારના માંગલિક કાર્યો કરવામાં નથી આવતા અને હોળિકા દહન બાદ ફરી શુભ કાર્યોનો પ્રારંભ થઈ જાય છે. આ વર્ષે 7 માર્ચ, મંગળવારે હોળિકા દહન કરવામાં આવશે અને હોળાષ્ટકનો પ્રારંભ 26 ફેબ્રુઆરી, મંગળવારે થશે. તો ચાલો, એ જાણીએ કે આ હોળાષ્ટક દરમિયાન શા માટે શુભ કાર્ય કરવામાં નથી આવતા. અને આ દરમિયાન કયા કાર્ય ભૂલથી પણ ન કરવા જોઈએ.

હોળાષ્ટક દરમ્યાન માંગલિક કાર્યો કેમ નથી કરાતા ?

જ્યોતિશ શાસ્ત્રમાં જણાવવવામાં આવ્યુ છે કે હોળાષ્ટકના સમય દરમ્યાન કોઇ ગ્રહોની ચાલ શુભ નથી હોતી. ગ્રહોનો સ્વભાવ આ સમય દરમ્યાન ઉગ્ર હોય છે. એટલે આ દિવસો દરમ્યાન માંગલિક કાર્યો કરવાથી ગ્રહોની ખરાબ અસરનો સામનો કરવો પડી શકે છે. સાથે જ પરિવારમાં કલેશ અને કંકાસની સ્થિતિ સર્જાય છે. તેમજ ઘરમાં ધનહાનિ અને બીમારી થવાની સંભાવના રહે છે. એ જ કારણ છે કે હોળાષ્ટક દરમિયાન માંગલિક કાર્યો કરવાનું ટાળવામાં આવે છે.

હોળાષ્ટકમાં ભૂલથી પણ ન કરતા આ કામ !

  1.  શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર હોળાષ્ટક દરમ્યાન લગ્ન, ગૃહ પ્રવેશ, મુંડન, નામકરણ અને ઉપનયન સંસ્કાર જેવા શુભ કાર્ય ક્યારેય ન કરવા જોઈએ.
  2.  કહે છે કે, હોળાષ્ટકના આઠ દિવસોમાં હવન અને યજ્ઞ જેવા કાર્યો પણ ન કરવા જોઇએ.
  3.  આ દિવસોમાં રોકાણ કે પછી નવા વેપારની શરૂઆત પણ ન કરવી જોઇએ. નહીંતર આપને નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે.
  4.  હોળાષ્ટકમાં નવા મકાન, નવી સંપત્તિ, ઘરેણાં અને ગાડીની ખરીદી કરવી પણ શુભ નથી મનાતી. સાથે જ ઘરના નિર્માણ કાર્યનો પ્રારંભ પણ હોળાષ્ટકમાં ન કરવો જોઇએ.
  5.  આ સમય દરમ્યાન વિવાહ, સગાઇ સાથે જોડાયેલા કાર્યો પણ ન કરવા જોઇએ. કારણ કે તેની પાછળ એવી માન્યતા રહેલી છે કે જો આ સમય દરમ્યાન આ કાર્યો કરવામાં આવશે  આપને સફળતા પ્રાપ્ત નથી થતી. જો આ સમય દરમ્યાન તમે લગ્ન કે સગાઇ કરો છો તો તે લાંબો સમય ટકતા નથી !
  6.  હોળાષ્ટક દરમ્યાન મુંડન જેવા કાર્યો કરવાનો પણ નિષેધ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ સમય દરમ્યાન નામકરણ સંસ્કાર પણ નથી કરવામાં આવતા. આ સમય દરમ્યાન બાળકના જન્મને લઇને કરવામાં આવતા શુભ સંસ્કારો પણ નથી કરવામાં આવતા. જો આ દિવસો દરમ્યાન બાળકની છ્ઠ્ઠીની તિથિ આવે તો તેની વિધિ પણ હોળાષ્ટક બાદ જ કરવામાં આવે છે.
  7.  હોળાષ્ટક દરમ્યાન નવવધુને પિયરથી સાસરે પણ મોકલવામાં નથી આવતી. એ જ રીતે નવવધુને પિયર મોકલવાની કોઇ વિધિ હોય તો તે પણ હોળાષ્ટક પહેલા કે પછી જ કરવામાં આવે છે !

હોળાષ્ટકમાં ઉપાસનાનું મહત્વ

હોળાષ્ટકના આઠ દિવસ દરમ્યાન માંગલિક કાર્યો કરવાનો નિષેધ છે. પણ, આ સમય ભગવાન વિષ્ણુની ઉપાસના માટે ઉત્તમ મનાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર હોળાષ્ટકના સમયે ભગવાનની ઉપાસના કરવાથી શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે. આ સમયગાળા દરમ્યાન ભગવાન વિષ્ણુની ઊપાસના કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. સાથે જ હોળાષ્ટકના આઠ દિવસો દરમ્યાન જો કોઇ જાતક નિરંતર મહામૃત્યુંજય મંત્રના જાપ કરે છે તો તેને અકાળ મૃત્યુનો ભય નથી સતાવતો.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Follow Us
AAP પ્રમુખ ઈસુદાન ગઢવીનો ભાજપ-કોંગ્રેસ પર મોટો આરોપ
AAP પ્રમુખ ઈસુદાન ગઢવીનો ભાજપ-કોંગ્રેસ પર મોટો આરોપ
દેલા ગામમાં ચૂંટણી બહિષ્કારના પોસ્ટર, નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ
દેલા ગામમાં ચૂંટણી બહિષ્કારના પોસ્ટર, નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ
ટિકિટ ના મળે તો 2027માં મારી તાકાત બતાવી દઈશ: તસ્નીમ આલમ
ટિકિટ ના મળે તો 2027માં મારી તાકાત બતાવી દઈશ: તસ્નીમ આલમ
રાજ્યમાં અંગ દઝાડતી ગરમી સહન કરવા માટે થઈ જજો તૈયાર, અંબાલાલની આગાહી
રાજ્યમાં અંગ દઝાડતી ગરમી સહન કરવા માટે થઈ જજો તૈયાર, અંબાલાલની આગાહી
પાટણ: ચૂંટણી ફોર્મ ભરવા બળદગાડામાં નીકળ્યા ઉમેદવારો!
પાટણ: ચૂંટણી ફોર્મ ભરવા બળદગાડામાં નીકળ્યા ઉમેદવારો!
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર
કોંગ્રેસ ઉમેદવાર પાસે નથી ચૂંટણી લડવાના પૈસા, મતદારો પાસેથી ઉઘરાવ્યા
કોંગ્રેસ ઉમેદવાર પાસે નથી ચૂંટણી લડવાના પૈસા, મતદારો પાસેથી ઉઘરાવ્યા
Breaking News: અંતિમ દિવસે પણ 14 વોર્ડમાં સસ્પેન્સ યથાવત, જુઓ Video
Breaking News: અંતિમ દિવસે પણ 14 વોર્ડમાં સસ્પેન્સ યથાવત, જુઓ Video
Breaking News: આચારસંહિતામાં સરકારી કર્મચારી ભાજપ કાર્યાલયમાં!
Breaking News: આચારસંહિતામાં સરકારી કર્મચારી ભાજપ કાર્યાલયમાં!
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
g clip-path="url(#clip0_868_265)">