AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાળકોના જીવનમાં પ્રગતિના દ્વાર ખોલી દેશે આ સંકટ ચોથ !જાણો કામનાપૂર્તિનો મંત્ર

જો આપ જીવનમાં નાની નાની ખુશીઓનો આનંદ ઉઠાવવા માંગતો હોવ તો આજે સંકષ્ટી ચતુર્થીએ (sankashti chaturthi )ભગવાન ગણેશને બુંદીના લાડુનો પ્રસાદ અર્પણ કરવો જોઇએ. ભોગ અર્પણ કર્યા પછી તે પ્રસાદને નાની કુંવારી કન્યાઓમાં વહેંચી દેવો.

બાળકોના જીવનમાં પ્રગતિના દ્વાર ખોલી દેશે આ સંકટ ચોથ !જાણો કામનાપૂર્તિનો મંત્ર
Lord Ganesh (symbolic image)
TV9 Bhakti
| Edited By: | Updated on: Nov 12, 2022 | 6:27 AM
Share

સંકષ્ટી ચતુર્થીનું વ્રત એ જીવનના તમામ સંકટોનું શમન કરનારું મનાય છે. અને આજે શનિવારે આ જ શુભ સંયોગ સાંપડ્યો છે. કહે છે કે આ વ્રત કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઇ રહે છે. આ સિવાય પણ સંકટ ચોથના દિવસે અલગ અલગ ઉપાયો અજમાવવાથી જીવનમાં રહેલ ઘણી બધી સમસ્યાઓનું સમાધાન મળી જાય છે. ભગવાન ગણેશ બુદ્ધિ, સમૃદ્ધિ અને સૌભાગ્ય અર્પણ કરનાર દેવ છે. તેમની ઉપાસનાથી શીઘ્ર ફળની પ્રાપ્તિ થાય છે. ત્યારે આવો, જાણીએ કે વિવિધ કામનાઓની પૂર્તિ અર્થે આજે કયા કયા ઉપાયો અજમાવવા જોઈએ.

પરિવારમાં સુખ-શાંતિ અર્થે

જો આપના પરિવારમાં સુખ-શાંતિનો કાયમી વાસ કરવો હોય તો આજે ગણેશજીને લાલ રંગના પુષ્પ અર્પણ કરવા. સાથે જ તેમને પુષ્પ અર્પણ કરતી વખતે મનમાં “ૐ ગં ગણપતયે નમ:” મંત્રનો જાપ કરવો.

નોકરીમાં બઢતી અર્થે

જો આપ આપની નોકરીમાં પ્રમોશન કે બઢતીની કામના રાખતા હોવ તો આજના દિવસે 8 મુખી રુદ્રાક્ષની વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરીને તેને ગળામાં ધારણ કરવો જોઈએ.

જીવનમાં ખુશીઓ અર્થે

જો આપ જીવનમાં નાની નાની ખુશીઓનો આનંદ ઉઠાવવા માંગતો હોવ તો આજે ભગવાન ગણેશને બુંદીના લાડુનો પ્રસાદ અર્પણ કરવો જોઇએ. ભોગ અર્પણ કર્યા પછી પ્રસાદને નાની નાની કુંવારી કન્યાઓમાં વહેંચી દેવો. માન્યતા અનુસાર તેનાથી ભગવાન ગણેશના આશીર્વાદની પ્રાપ્તિ થશે.

સમસ્યાઓમાંથી મુક્તિ અર્થે

જો આપના જીવનમાં ઘણા પ્રકારની સમસ્યાઓ ચાલી રહી હોય અને તમે ઇચ્છતા હોવ કે ખૂબ જ ઝડપથી તમે આ સમસ્યાઓમાંથી છુટકારો મેળવી લો, તો તલ અને ગોળના લાડુ બનાવીને ભગવાન ગણેશજીની પૂજા કરીને તેમને આ લાડુનો ભોગ અર્પણ કરો. પછી બાકી રહેલા લાડુને પરિવારના સભ્યો વચ્ચે વહેંચી દેવો.

બાળકોના જીવનમાં પ્રગતિ લાવવા

જો આપ આપના બાળકોના જીવનમાં પ્રગતિ લાવવા ઇચ્છતા હોવ તો આજના દિવસે ભગવાન ગણેશજીની પૂજા સમયે એક હળદરની ગાંઠ લો. તેને નાડાછડીથી સંપૂર્ણપણે વિંટીને પૂજા સ્થાન પર રાખી દો. પૂજા પૂર્ણ થાય પછી તે હળદરની ગાંઠને પાણીની મદદથી વાટીને બાળકના મસ્તક પર તેનું તિલક કરવું. બાળકના જીવનમાં પ્રગતિના દ્વાર ખૂલી જશે.

બાળકોના માન-સન્માનમાં વૃદ્ધિ અર્થે

જો આપ આપના બાળકોના માન સન્માનમાં વૃદ્ધિ કરવા ઇચ્છતા હોવ તો આજના દિવસે બાળકના હાથે મંદિરમાં તલનું દાન કરાવો. સાથે જ ગણેશજીના આશીર્વાદની પ્રાપ્તિ કરો.

મનોકામનાની પૂર્તિ અર્થે

આપની તમામ મનોકામનાઓની પૂર્તિ કરવા માટે ભગવાન ગણેશને કુમકુમ અને ચંદનનું તિલક કરવું જોઇએ. સાથે જ નીચે આપેલ ગણેશજીના મંત્રનો 11 વાર જાપ કરવો.

વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ: ।

નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા ।।

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Follow Us
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
રાજકોટમાં ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઈન, ઇંધણ ન મળતા ખેતીકામ પર અસર
રાજકોટમાં ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઈન, ઇંધણ ન મળતા ખેતીકામ પર અસર
g clip-path="url(#clip0_868_265)">